National

મુંબઈ લોકલ ટ્રેન 2 લાઈનો પર 27 કલાક રહેશે બંધ, બ્રિટિશ સમયનો કર્ણાક બ્રિજ થશે ધ્વસ્ત

નવી દિલ્હી: સાઉથ મુંબઈમાં (South Mumbai) બ્રિટિશ (British) સમયના એક બ્રિજને (Bridge) તોડી પાડવા માટે 27 કલાક બે લાઈનો પર રેલ (Rail) સેવા બંધ કરવામાં આવી છે. દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મસ્જિદ બંદર સ્ટેશન વચ્ચેના બ્રિટિશ યુગના કર્ણાક બ્રિજને (Carnac Bridge) તોડી પાડવા માટે મધ્ય રેલવે આજે રાતથી 27 કલાકનો મેગા બ્લોક કરશે. આ દરમિયાન મુંબઈની ઘણી લોકલ ટ્રેનો અને સેન્ટ્રલ અને હાર્બર લાઈનની એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવશે.

મધ્ય રેલવેએ જણાવ્યું છે કે મેગા બ્લોક 19 નવેમ્બરે રાત્રે 11 વાગ્યે શરૂ થશે અને 21 નવેમ્બરના રોજ સવારે 2 વાગ્યે સમાપ્ત થશે, જેના કારણે આ સમયગાળા દરમિયાન મુંબઈની લોકલ અને એક્સપ્રેસ ટ્રેનોને અસર થશે. આ મેગા બ્લોકના કારણે દરરોજના 37 લાખથી વધુ લોકલ ટ્રેનના મુસાફરો તેમજ બહારની ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને અસર થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે મધ્ય રેલવેના મુંબઈ નેટવર્ક પર 1,800 થી વધુ લોકલ ટ્રેન સેવાઓ ચાલે છે, જેમાં ‘હાર્બર’ અને ‘મેઈન’ લાઈનોનો સમાવેશ થાય છે, જે દક્ષિણ મુંબઈમાં CSMT થી નીકળે છે.

મેઇન લાઇન, હાર્બર લાઇન પર પહેલા સેવાઓ શરૂ થશે
મેઈનલાઈન પરનો આ 17 કલાકનો બ્લોક CSMT અને ભાયખલા વચ્ચે કામ કરશે. 17 કલાકનો બ્લોક 19 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યે શરૂ થશે અને 20 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે સમાપ્ત થશે. તેવી જ રીતે હાર્બર લાઇન પર CSMT અને વડાલા વચ્ચે 21 કલાકનો બ્લોક રહેશે. 21 કલાકનો બ્લોક 19 નવેમ્બરે રાત્રે 11 વાગ્યે શરૂ થશે અને 20 નવેમ્બરે રાત્રે 8 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે, બ્લોક શરૂ થયા બાદ અનુક્રમે 17 અને 21 કલાક પછી મુખ્ય લાઇન અને હાર્બર લાઇન પર ટ્રેનોની અવરજવર સરળ રહેશે.

બ્લોક દરમિયાન આ રૂટ પરથી ટ્રેનો પસાર થશે
મુસાફરોની સુવિધા માટે, લોકલ ટ્રેનો ભાયખલા, પરેલ, કુર્લા, દાદર અને થાણે, કલ્યાણ અને કર્જત-કસારા સ્ટેશનો વચ્ચે મેઇનલાઇન પર અને વડાલાથી પનવેલ અને હાર્બર લાઇન પર ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે દોડશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અમારી પાસે ભાયખલા, પરેલ, દાદર, કુર્લા અને વડાલા સ્ટેશનો પર ટ્રેનોને રિવર્સ માટે પ્લેટફોર્મ છે તેથી અમે ટ્રેનો ચલાવીશું. આ સિવાય જે રેલવે સ્ટેશન નજીક કામ કરવામાં આવી રહ્યું છે ત્યાં બિનજરૂરી ભીડ ટાળવા વિનંતી કરી છે. એવું કહેવામાં આવે છે કે નાગરિક પરિવહન સંસ્થાઓને બ્લોક સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે વધારાની બસો ચલાવવા માટે વિનંતી કરવામાં આવી છે અને તેઓ આમ કરવા માટે સંમત થયા છે.

મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
ટ્રાફિકની ભીડને ટાળવા માટે, 18 મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે અને 68 મેલ/એક્સપ્રેસ ટ્રેનો દાદર, પનવેલ પુણે અને નાસિક સ્ટેશનો પર ટૂંકા-ટર્મિનેટ અથવા શોર્ટ ઓરિઝિનેટ કરવામાં આવ્યું છે. તેમજ વધુમાં જણાવવામાં આવ્યું છે કે શનિવાર અને રવિવાર તેમજ રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રિ દરમિયાન, મધ્ય રેલવે મુલુંડ અને થાણે વચ્ચે કોપરીથી શરૂ થતા ROB ગર્ડર્સ માટે બે કલાકથી વધુ સમય માટે વિશેષ ટ્રાફિક અને પાવર સ્ટોપ ચલાવશે. આ સાથે જ બ્લોક પણ રહેશે.

કર્ણાક બ્રિજ 1866-67માં બનાવવામાં આવ્યો હતો
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રિજ 1866-67માં બાંધવામાં આવ્યો હતો અને 2018માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બે (IITB)ની નિષ્ણાત ટીમ દ્વારા તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો, જોકે 2014માં જ ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી.

મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે, “આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રોડ ટ્રાફિક માટે અસુરક્ષિત જાહેર કરાયેલા કર્ણાક બ્રિજને હટાવવા માટે બ્લોક કરવામાં આવશે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે લોખંડના પુલનો મોટો ભાગ તોડી પાડવામાં આવ્યો છે, તેથી બ્લોક દરમિયાન માત્ર રેલવે ઓવર બ્રિજ (ROB) ના લોખંડના માળખાને કાપીને રોડ ક્રેનની મદદથી દૂર કરવામાં આવશે.

Most Popular

To Top