પાલિકા એ જાહેર સ્વરાજ્યની લોક સેવા કરતી એક સ્વાયત સંસ્થા (સ્ટેચ્યુટરી બોડી) છે અને તેને કાયદામાં વિશાળ સતા અને અબાધિત અધિકારો સહિત...
શ્રાદ્ધ પક્ષ ભાદરવા મહિનામાં આવે છે.મૃત્યુ પામેલા પોતાના પિતૃના આત્માની શાંતિ માટે શ્રાદ્ધમાં પિંડદાન કરવામાં આવે છે અને કાગવાસ નાંખવામાં આવે છે.જેમના...
અક્ષયકુમારની ‘રામસેતુ’ની સાથે દિવાળી પર અજય દેવગનની ‘થેન્ક ગૉડ’ રજૂ થવાની જાહેરાત ટ્રેલરમાં થયા પછી કોની ફિલ્મ મેદાન મારી જશે એની ચર્ચા...
એક બહુ ઊંચું નારિયેળનું ઝાડ હતું.તેની પર સરસ પાણીદાર નાળિયેર ઊગ્યાં હતાં.નાળિયેરના ઝાડને તેની બધા કરતાં વધારે ઊંચાઈનું બહુ અભિમાન હતું.નાળિયેરના ઝાડની...
કપિલ શર્માના શોની નવી સીઝનને અગાઉ જેવો સારો પ્રતિસાદ મળવા બાબતે શંકા પ્રવર્તી રહી છે. એનું કારણ એ છે કે તેની શરૂઆત...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૧૭ મી સપ્ટેમ્બરે, પોતાના જન્મ દિને મધ્ય પ્રદેશના કિનો નેશનલ પાર્કના ખાસ જંગલમાં નામિબિયાથી લાવેલા આઠ ચિત્તા...
મુંબઈ: પ્રખ્યાત કોમેડિયન (Comedian) રાજુ શ્રીવાસ્તવ (Raju Srivasatav) નથી રહ્યા. આજે સવારે કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન થયું છે. રાજૂ શ્રીવાસ્તવ ઘણાં દિવસથી...
પેટાગોનિયાનાં સ્થાપક લગભગ અડધી સદી પછી કંપનીની બે સંસ્થાઓમાં ભાગ કરી રહ્યા છે જેમાં પેટાગોનિયાનાં નફાની રકમ આબોહવા પરિવર્તનના વૈશ્વિક સંકટ સામે...
બિહાર: બિહારના (Bihar) સાસારામ સ્ટેશન પાસે માલગાડીના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટના (Accident) બાદ દિલ્હી-હાવડા (Delhi-Havda) રેલવે (railway)...
8 વર્ષ બાદ ચિત્તાએ તો દેશમાં પુનરાગમન કરી લીધું છે. નામિબિયાથી 8 ચિત્તાઓને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. આ ચિત્તાઓને...
બ્રિટનના સદ્ગત રાણી કવીન ઇલિઝાબેથ સેકન્ડના અંતિમ દર્શન કરવા ડેવિડ બેકમ અગિયાર કલાક લંડનના પેલેસની બહાર અગિયાર કલાક રસ્તા પર કતારમાં ઊભો...
આજકાલ આપણા ગરવી ગુજરાતના સાગરકાંઠાઓ અને બંદરોથી કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાયાના સમાચારો છાસવારે વાંચવા મળે છે. ત્યાર પછી ડ્રગ્સનું અને તેની દાણચોરી...
નિષ્ઠાને દરેક કામ નિષ્ઠાથી કરવાની ટેવ. પછીએ ક્ચુંબર સમારવાનું હોય કે ગાડી ચલાવવાની હોય. બેન્કનું ATM કાર્ડ વાપરવાનું હોય કે પછી પનીરબટર...
બ્રિટનના મહારાણી એલિઝાબેથનું આઠમી સપ્ટેમ્બરે ખૂબ ટૂંકી બિમારી પછી અચાનક અવસાન થયું. તેઓ ૯૬ વર્ષના હતા તેથી વહેલી વિદાય લીધી તેવું તો...
જય જૈન એક એવું નામ જેમણે નક્સલાઇટ્સ અને આદિવાસી વિસ્તારનાં ગામોમાં શિક્ષકો, મહિલા અને વિદ્યાર્થીઓને શિક્ષાની ટ્રેનિંગ આપીને શિક્ષણનો મહિમા વધાર્યો છે....
અમે ભારતના એક એવા ઠગનું નામ સાંભળ્યું હશે, જેણે એવું કહેવાય છે કે તાજમહલથી લઈને આપણી સંસદ સુદ્ધાં વેચવાનો પેંતરો કર્યો હતો....
માનવી જયારે બર્બર અવસ્થામાં હતો ત્યારે નરમાંસ ખાવાની પ્રથા પણ એના કહેવાતા સમાજમાં સ્વીકૃત હતી. સ્ત્રી પર આધિપત્ય કબીલાના હર કોઇ પુરુષનું...
એકવીસમી સદીનો ત્રીજો મોટો પડકાર (challenge) છે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો. AI દ્વારા કમ્પ્યુટર અને એવી ટેકનોલોજી ઊભી થઇ છે કે જે માણસની જેમ...
કેરળની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં અદ્વિતિય કહી શકાય તેવું ઓપરેશન હાલમાં પાર પડ્યું. આ ઓપરેશન ટૂંકા ગાળામાં બે વ્યક્તિ પર થયું. તેમાં એક...
જેઓ 60 કે 65 વર્ષથી ઉપરની ઉંમરના છે, એમાંથી ઘણાને એવું કહેતા સાંભળ્યા છે કે 65 (કે જે તે ઉંમર) તો થયા...
સુરત : દશેક દિવસ પહેલા કતારગામમાં (Katargam) સાતથી આઠ લાખના હીરાની લૂંટ (Diamond Robbery) કરીને લૂંટારાઓ ફરાર થઇ ગયા હતા, તેમાં હજુ...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરત થાય તે પહેલા આવતીકાલથી શરૂ થઈ રહેલું વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર કર્મચારીઓના આંદોલનના પગલે તોફાની...
સુરત: સુરત (Surat) શહેરના હેવી ટ્રાફિકમાંથી (Heavy Traffic) મંગળવારે બે વિદેશી રિક્ષા (Auto) લઈ પસાર થતા હતા. ત્યારે લોકોની નજર તેમના ઉપર...
વલસાડ : વલસાડના (Valsad) અત્યંત બિસ્માર માર્ગના (Road) કારણે ગર્ભવતી મહિલાનું મિસકેરેજ થઇ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. વલસાડના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરોમાં આ...
સુરત: સુરતમાં (Surat) માલધારી સમાજના તબેલાઓ હટાવવા અને રાજ્યભરમાં ગોચરના અભાવે છૂટા ફરતા પશુઓ પાંજરાપોળમાં મોકલી ભૂખ્યા રાખવાના વિરોધમાં માલધારી સમાજે બુધવારે...
સુરત: આજે વિશ્વ અલ્ઝાઇમર દિવસ (World Alzheimer’s Day) નિમિત્તે વિશ્વમાં આ રોગથી બચી શકાય એ માટે હોસ્પિટલોમાં તેમજ વિવિધ એનજીઓ દ્વારા કેમ્પોનું...
સુરત : મૃતક પોલીસ કર્મચારીની પત્નીને મળતા વધારાના રૂા.2.60 લાખની પેન્શનની (Pension) રકમમાંથી 60 હજારની લાંચ માંગનાર હિસાબી શાખાનો વર્ગ-3નો કર્મચારી રંગેહાથ...
ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) હવે આંદોલન (Movement) નગરી બની છે. ખાસ કરીને જુદા જુદા ૧૮ જેટલા સંગઠ્ઠનો ગાંધીનગરમાં જુદા જદા સ્થાનો પર...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી સપ્ટે.થી ઓકટો.ના બે સપ્તાહ દરમ્યાન ગુજરાતમાં (Gujarat) એક ડઝન સભાઓને સંબોધન કરે તેવી તૈયારીઓ ચાલી રહી...
ગાંધીનગર : સૌરાષ્ટ્ર – કચ્છની ૫૪ બેઠકો પર નજર રાખીને મંગળવારે ભાજપના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રાજકોટમાં બપોરે રેસકોર્સ રોડ...
પાલિકાની તંત્રની નિષ્ક્રિયતાને કારણે કારેલીબાગ વિસ્તારમાં એક મહિના બાદ પણ ભૂવાનુ યોગ્ય પૂરાણ બાકી
શહેરના પૂર્વ વિસ્તારમાં રૂ. 1.75કરોડના ખર્ચે બનાવેલ સાયકલટ્રેક રૂટપર રોડમા નવો ભૂવો આકાર પામ્યો..
વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ શહેરના રોડમા ભૂવાઓ, ખાડાઓનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જ્યારે બીજી તરફ સ્માર્ટ પાલિકા તંત્રની નિષ્ક્રિયતા પણ સામે આવી છે જેમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપીરગના દવાખાના નજીક છેલ્લા એક મહિના પહેલાં પડેલા ભૂવાનુ યોગ્ય રીતે પૂરાણ ન કરાતાં લોકો માટે જોખમી બન્યો છે.
શહેરમાં ગત સોમવારે પ્રાકૃતિક આપદા સાથે સાથે માનવસર્જિત આપદાને કારણે ત્રણ દિવસ સુધી સમગ્ર વડોદરા જળમગ્ન બની ગયું હતું જેના કારણે શહેરમાં લોકોના મકાનો, દુકાનો, ઓફિસોમાં ઘરવખરી, ફર્નિચર, વીજ ઉપકરણો, વાળ/કોલેજોના પુસ્તકો, સ્ટેશનરી સહિત વાહનોને મોટું નુકસાન થયું છે. બીજી તરફ પૂરના ચાર દિવસ બાદ શહેરમાં વરસાદી પૂરના પાણી ઓસરી ગયા છે પરંતુ ત્યારબાદ ની સ્થિતિ વધુ ભયાવહ જોવા મળી રહી છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા વાઘોડિયારોડ ખાતે ગત વર્ષ-2023માં તે વખતના સ્થાઇ સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ દ્વારા અંદાજે રૂ. 1.75કરોડના ખર્ચે સાયકલટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો તે સાયકલટ્રેક રૂટપર આવેલા ઉમા ચારરસ્તા ખાતે નવો ભૂવો પડી રહ્યો છે. હજી ભૂવો નાનો છે જે ધીમે ધીમે મોટો બનતો જાય છે પરંતુ અહીં સ્થાનિક કાઉન્સિલરો કે પાલિકાના અધિકારીઓ ની જાણે નજર જ નથી પડી રહી અહીં કોઇપણ પ્રકારના બેરિકેટીંગ કરવામાં કે આડાશ ઉભી કરવામાં આવી નથી જેના કારણે રાત્રે અથવાતો વરસાદી પાણી ભરાશે ત્યારે અચાનક વાહનદારીઓ કે રાહદારીઓ અથવાતો મૂંગા પશુઓ માટે જોખમી બની શકે છે. શહેરમાં અવારનવાર વિવિધ વિસ્તારોમાં ભૂવા પડી રહ્યાં છે જે સિલસિલો યથાવત છે.
બીજી તરફ સ્માર્ટ વડોદરા મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા સામે આવી છે જેમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપીરગના દવાખાના નજીકના સાધનાનગર રોડ ખાતે એકાદ મહિના પહેલાં ભૂવો પડ્યો હતો જેનું એક મહિના બાદ પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પૂરાણ કર્યું નથી. અહીં સ્થાનિક લોકોએ માટી, રોડાથી હંગામી ધોરણે પૂરાણ કર્યું હતું અને પાલિકા તંત્રને રજૂઆત કરતાં પાલિકા તંત્ર દ્વારા ભૂવા ફરતે બેરિકેડ લગાડી પટ્ટીઓ લગાવી ફક્ત દેખાડો જ કર્યો છે. સદનસીબે આ રોડપર પૂરના પાણી ઓછા હોય અહીંથી પસાર થતાં લોકોનો આબાદ બચાવ થયો છે. પાલિકા તંત્ર દ્વારા શું કોઇ દુર્ઘટના બનશે ત્યારબાદ આવા જોખમી ભૂવાઓ, ખાડાઓની કામગીરી કરવામાં આવશે તેવા સવાલો સ્થાનિકોએ ઉઠાવ્યા છે.