સોમવારે અષાઢી બીજના દિવસે મેઘરાજાએ 14 કલાકમાં હાંસોટ વિસ્તારમાં એક ઇંચ વરસાદ ખાબકતાં ધરતીપુત્રોને રાહત થઇ હતી. ભરૂચ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય...
ગત મહિને જ અંકલેશ્વર સુરવાડી બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જ્યાં ગતરોજ રાત્રિના સમય દરમિયાન 3થી 4 બાળક બ્રિજની વચ્ચોવચ ડિવાઇડર પર...
અષાઢી બીજના પાવન પર્વે ભરૂચમાં 250 વર્ષથી નીકળતી ઐતિહાસિક રથયાત્રા સીમિત રહી હતી. ભરૂચના સમસ્ત ભોંય જ્ઞાતિપંચ દ્વારા આયોજિત રથયાત્રાનું માત્ર મંદિર...
નવી દિલ્હી: કોવિડ-19ના રોગ માટે કારણભૂત કોરોનાવાયરસ (Corona virus) સાર્સ કોવ-ટુનો ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) એક મોટી ચિંતાની બાબત છે અને તેની...
સુરત: શહેર (Surat)ની વીર નર્મદ દ.ગુ.યુનિ. (VNSGU)એ નેશનલ એજ્યુકેશન પોલિસી (National education policy) અંતર્ગત મલ્ટિ ડિસિપ્લિનરી સબ્જેક્ટ ભણાવી તમામ ફેકલ્ટીના વાડાઓમાંથી વિષયોને...
સોમવારે સુરત જિલ્લા સહકારી સંઘ ની ૭૩મી વાર્ષિક સાધારણ સભા બારડોલી ખાતે યોજાઈ હતી, જેમાં પિયત સહકારી મંડળીઓમાં સને ૨૦૨૦-૨૧માં ભારૂંડી સિંચાઈ...
પલસાણાના દસ્તાન નજીક અધૂરા ફ્લાય ઓવર બ્રિજ મામલો ઉગ્ર બની રહ્યો છે. એક સપ્તાહથી ભારતીય હિતરક્ષક પાર્ટી દ્વારા ઉપવાસ આંદોલન ચલાવાઈ રહ્યું...
બારડોલી નગરપાલિકાના કથિત કચરા કૌભાંડને ઉજાગર કરવા બારડોલી નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર ચૌધરીએ ખુદ વજન કાંટાથી લઈ ડમ્પિંગ સાઇટ સુધીની કામગીરીનું...
ભાવનગરની સર તખતસિંહજી હૉસ્પિટલ ખાતે સોમવારે બે પીએસએ પ્લાન્ટસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કેન્દ્રીય આરોગ્ય, પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું...
રાજભવન દ્વારા એક લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને જીવનજરૂરી કીટ પહોંચાડવાના લક્ષ્યાંકની સિદ્ધિ સાથે કોરોના સેવાયજ્ઞનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં દાતાઓનો આભાર...
કોરોના મહામારીને કારણે અમદાવાદ શહેરમાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત અષાઢી બીજના રોજ સોમવારે 144મી જગન્નાથ રથયાત્રા રથયાત્રા ભાવિક ભક્તો, ગજરાજો, ભજન મંડળીઓ, આખાડાઓ...
રવિવારે રાત્રે યુરો 2020 ની ફાઇનલ (Euro 2020 final) રમાય હતી. આ મેચમાં ઇટાલી (Italy)એ પેનલ્ટી શૂટઆઉટ (Penalty shootout) પર ઇંગ્લેન્ડને 3-2થી પરાજિત...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સિસ સેન્ટરનો સોમવારે કેન્દ્રિય ગૃહ મંત્રી...
પલસાણા: પલસાણાના (Palsana) કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાલ વેક્સિનેશનના કેમ્પો યોજી રસીકરણની (Vaccintion) કામગીરીમાં પક્ષપાત અને પ્રાંતવાદની રાજનીતિ રમાતાં તેમની કામગીરી...
નાસા (NASA)એ ભારતીય મૂળની ઇન્ટર્ન (Indian intern) પ્રતિમા રોયની હિન્દુ દેવી-દેવતાઓ (Devotees) સાથેની એક નવી તસવીર પોસ્ટ (Tweet) કરી છે, યુએસ સ્પેસ...
વાપી: (Vapi) વલસાડ જિલ્લામાં (Valsad District) સોમવારે અષાઢી બીજના દિવસે સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 35 મીમી અને વલસાડમાં 27 મીમી વરસ્યો હતો....
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)એ આતંકવાદી સલાઉદ્દીન (Syed Salauddin)ના પુત્રોને સરકારી નોકરીથી બરતરફ કરવા અંગે નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું...
ગૃહમાં ટ્રસ્ટ વોટ (Trust vote) ગુમાવ્યા બાદ લઘુમતી સરકારનું નેતૃત્વ કરી રહેલા વડા પ્રધાન કેપી શર્મા ઓલી (PM Oli)ને મોટો ફટકો પડતાં...
જકાર્તા: ઇન્ડોનેશિયા (Indonesia) માં કોરોના (corona) રોગચાળો કાબૂ બહાર ગયો છે અને દેશમાં આ દિવસોમાં ઓક્સિજનની તીવ્ર તંગી (oxygen crisis)નો સામનો કરવો...
દેશમાં કોરોના (Corona in India) ચેપની બીજી તરંગમાં (Second wave) હજુ કેસોની સંખ્યા વધઘટ થવાની ચાલુ જ છે. જો કે નિષ્ણાંતોના અનુમાન મુજબ...
સુરત: (Surat) સુરતમાં કોંગ્રેસની સાયકલ રેલી બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં પેટ્રોલ ડિઝલના (Petrol Diesel) ભાવ વધારાનો વિરોધ શરૂ કરાયો...
વસ્તી નિયંત્રણ (Population control) અંગે ઉત્તર પ્રદેશ સરકાર (UP Govt)ની નવી નીતિ (Policy)ની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકાર (Cnetral govt)તેના પર કાયદો લાવવાની...
બ્રિટિશ અબજપતિ સર રિચાર્ડ બ્રેન્સને ( richard brense) વિશ્વની પ્રથમ ખાનગી અવકાશયાત્રા ( Leisure travel) સફળ રીતે કરી બતાવીને એક ઇતિહાસ સર્જી...
સંપત્તિનો સંગ્રહ અને સંપત્તિને વધારતા રહેવું એ આપણા જીવનની સૌથી મોટી ગતિવિધિઓમાંથી એક છે. આપણો મોટાભાગનો સમય અને પ્રયાસો આ ગતિવિધિમાં જ...
સુરત: (Surat) સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ખજોદ ગામે સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના (Dream City Project) ભાગ સ્વરૂપે 66 લાખ ચોરસ ફુટમાં 2600...
સુરત: (Surat) સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરની છ મુખ્ય રથયાત્રાઓ (Rathyatra) અલગ-અલગ સ્થળેથી યોજવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો...
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના ધર્મશાળા (Dharamshala)માં વરસાદ (Heavy Rain)નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પર્યટન ક્ષેત્ર ભાગસૂમાં સોમવાર સવારે વાદળ ફાટવાથી (Cloud...
gandhinagar : અમદાવાદ આજે ગાંધીનગરમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ વચ્ચે રવિવારે ગાજવીજ સાથે મેઘરાજાની ( monsoon) બીજી ઈનિંગનો...
અમદાવાદ શહેરમાં કોરોના ( corona ) ની વચ્ચે આજે બે વર્ષના અંતર બાદ ભગવાન જગન્નાથની ( jagannath yatra) 144મી રથયાત્રા નીકળી હતી...
ઇશ્વર સાક્ષાત નથી એમ માની પોતાનું ઘર તજી દેનાર દયાનંદ સરસ્વતી એક વખત એક નદિ કિનારે બેઠા બેઠા ચિંતન કરતા હતા. તેઓ...
ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા વાર્ષિક દીક્ષાંત સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિ
‘સ્વ’ના વિકાસ સાથે સમાજ અને માનવજાતના કલ્યાણ માટે જ્ઞાનનો ઉપયોગ કરવાની અપીલ
ગોધરા:
પંચમહાલ જિલ્લાના વિંઝોલ સ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 7મો વાર્ષિક દીક્ષાંત સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ દીક્ષાંત સમારંભમાં યુનિવર્સિટીની વિવિધ શાખાઓના ૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી તથા સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ૧૪૦ જેટલા વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ (PhD)ની ડિગ્રી આપવામાં આવી હતી.

ગુરુ ગોવિંદને સ્મરણાંજલિ, સમાજ સુધારણાનો સંદેશ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતની આઝાદીમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની તથા સમાજ સુધારક ગુરુ ગોવિંદને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુરુ ગોવિંદે આદિવાસી સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરી સમાજ સુધારણાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું, જે આજે પણ યુવાનો માટે પ્રેરણારૂપ છે.
શિક્ષકો અને માતા-પિતાના ત્યાગની ગૌરવપૂર્વક યાદ

રાજ્યપાલે ગોલ્ડ મેડલ વિજેતાઓ સહિત તમામ ડિગ્રીધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર શિક્ષકો તેમજ પોતાના સપનાઓને બાજુએ રાખી સંતાનોના શિક્ષણ માટે સમર્પિત માતા-પિતાના ત્યાગને ગૌરવપૂર્વક યાદ કર્યા હતા.
સત્ય, ધર્મ અને માનવતાના માર્ગે ચાલવાની અપીલ

તૈત્તિરીય ઉપનિષદના ઉપદેશનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે સત્ય પ્રકાશની જેમ અંધકારને દૂર કરે છે અને સત્યવાદી જીવન ભય અને તણાવથી મુક્ત રાખે છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ શુભકર્મ, વિવેક અને બુદ્ધિકૌશલ્ય દ્વારા મેળવેલા જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ના વિકાસની સાથે સમાજ અને માનવજાતના કલ્યાણ માટે કરે.
રાજ્યપાલે ઉમેર્યું હતું કે માનવ જીવન માત્ર રોટી, કપડાં અને મકાન પૂરતું નથી, પરંતુ સહિષ્ણુતા, દયા અને પરોપકાર માનવતાની સાચી ઓળખ છે. શિક્ષણનો હેતુ માનવતા અને નૈતિકતાનો વિકાસ કરવાનો હોવો જોઈએ.
ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્ર ઘડતરની વાત
યુવા પદવીધારકોને સંબોધતા રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે શિક્ષણનો હેતુ માત્ર રોજગાર મેળવવાનો નથી, પરંતુ ચારિત્ર્ય નિર્માણ દ્વારા સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં યોગદાન આપવાનો છે. જીવનના આગામી દસ વર્ષોને કારકિર્દી નિર્માણ માટે અત્યંત મહત્વના ગણાવી તેમણે યુવાનોને સંપૂર્ણ પરિશ્રમ અને સકારાત્મક દૃષ્ટિકોણ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું.
યુનિવર્સિટીની પ્રવૃત્તિઓ અને ડિજિટલ સ્ટુડિયોનું ઇ-લોકાર્પણ
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ હરિભાઈ કટારિયાએ સ્વાગત પ્રવચન કરીને યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. કુલ સચિવ ડૉ. અનિલ સોલંકીએ આભાર વિધિ કરી હતી.
દીક્ષાંત સમારંભ દરમિયાન રાજ્યપાલ દ્વારા ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ડિજિટલ સ્ટુડિયોની ઇ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા રાજ્યપાલનું સુતરની માળા પહેરાવી અને પીઠોરા પેઇન્ટિંગનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોની વિશાળ ઉપસ્થિતિ
આ સમારોહમાં જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા, રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ, પોલીસ અધિક્ષક હરેશ દુધાત સહિત યુનિવર્સિટીના ટ્રસ્ટીગણ, આચાર્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.