સુરત: સુરત મહાનગર પાલિકાની ચૂંટણી (Surat Municipal Corporation Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મતદારોની ઉત્કંઠા વધી રહી છે....
રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM RUPANI) વડોદરામાં એક સભાને સંબોધી રહ્યા હતા, દરમિયાન બેભાન થયા બાદ સોમવારે તેમનો કોવિડ ટેસ્ટ (COVID...
સુરત: (Surat) સુરતમાં ઉમેદવારો લેન્ડલોર્ડ હોવાનું તેમની એફિડેવિટ પરથી પ્રસ્થાપિત થાય છે. આમેય સુરતમાં જમીન મકાન મિલકતના ભાવો આસમાને હોવાથી હાલ ચૂંટણી...
વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ તેના માટે જ પડકાર બની ગઈ છે. નવી નીતિના આગમન પછી, લાખો લોકોએ વોટ્સએપ (WhatsApp)ને અલવિદા કહી દીધું,...
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે સીએમ વિજય રૂપાણીને એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા...
આણંદ: આણંદ શહેરમાં વિવિધ સ્થળોએ ટ્રાફિક વધતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તથા ટ્રાફિકના કર્મચારીઓની અપૂરતી સંખ્યાના કારણે જનતાને...
મોડાસા: અરવલ્લી જિલ્લામાં ખાખી વર્દીમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તોડ પાણી કરતા હોવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જીલ્લામાં સ્વચ્છ...
નડિયાદ: કોરોના કાળમાં પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોની સેવા – સુશ્રુષા કરતાં ફ્રન્ટલાઇન વોરિયર્સનું નડિયાદની સન્ડે ક્રિકેટ ક્લબ દ્વારા સન્માન કરવામાં...
મોડાસા: મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વોર્ડ.નં-૧ થી વોર્ડ.નં-૫ના ઉમેદવારો જાહેર કરતાની સાથે ટીકીટ માટે દાવેદારી કરનાર સક્ષમ અને પાર્ટીનું વર્ષોથી કામગીરી...
ગોધરા: ચૂંટણીઓ માં રાજકીય પક્ષોમાં ટિકિટ લઈને પક્ષના કાર્યકરોમાં ક્યાંક નારાજગી જોવા મળતી હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નગરપાલિકાની...
દાહોદ: દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે તાજેતરમાં જ એક માનસિક અસ્વસ્થ મહિલા જે પોતાના પરિવારથી વિખૂટી પડીને ખોવાઇ હતી તેને છેક તેલંગાણા...
ગોધરા: ગોધરાના આઠ વર્ષના કિહાનખાન ફિરોઝખાન પઠાણ કોરોના યોદ્ધા તરીકે 165 સંસ્થાઓ દ્વારા, ચાર વર્લ્ડ અને રાષ્ટ્રીય કક્ષાના રેકોર્ડ માટે ,...
જમ્મુ કાશ્મીર (J & K)માં કાર્યરત આતંકવાદી સંગઠનો (TERRORISM GROUP) હવે પંજાબ (PUNJAB)માં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થી (KASHMIRI STUDENTS)ઓને કાશ્મીર ખીણમાં હથિયારોની...
વડોદરા: વડોદરામાં રવિવારે સાંજે ત્રણ જાહેરસભા સંબોધનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તેમના આગમન સમયે મુખ્યમંત્રીનો વિરોધ ન થાય...
દાહોદ : દાહોદ જિલ્લામાં હાલ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે. આવા સમયે પ્રજા માનસમાં પણ આ ચુંટણીને લઈ અનેક...
મોડાસા: માલપુરના અંધારીવાડીમાં રહેતા શ્રમજીવી પરિવારના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઘરમાં પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારો અને ઘરવખરી બળીને ખાખ થઇ...
આ અઠવાડિયાના પહેલા જ દિવસે ( FIRST DAY OF WEEK) દેશના લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. અને પ્રાથમિક જરૂરિયાતો સહિતની વસ્તુઓના ભાવ...
મહારાષ્ટ્ર (MAHARASHTRA)ના જલગાંવમાં એક ભયાનક માર્ગ અકસ્માત (ROAD ACCIDENT)માં 15 મજૂરોએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રે યાવલ તાલુકાના કિંગાવ ગામ...
ખેડૂત આંદોલન દરમિયાન ટૂલકિટ કેસ (TOOL KIT CASE)માં પર્યાવરણવિદ દિશા રવિની ધરપકડ થયા બાદ હવે તેના નજીકના લોકો ઉપર ગાળિયો કસાવાની તૈયારી...
કાકા કાલેલકરે અને સ્વામી આનંદે આજથી સો વર્ષ પહેલાં ચાર ધામની યાત્રા કરી ત્યારે ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ સુધી પહોંચવા માટે...
રામ મંદિર ( ram mandir) ના નિર્માણને ધ્યાનમાં રાખીને રામના નામે સંકલ્પ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત બ્રેડ લાઇનર (...
ચીની દિગ્ગજ ઈન્ટરનેટ કંપની બાયડન્સ તેના શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટીકટોક (Tiktok) ની ભારતીય સંપત્તિ વેચવાની સંભાવનાને શોધી રહી છે. બ્લૂમબર્ગના એક અહેવાલ...
જો કોઈ શાયર વિશે વાત કરે , તો તે વાત ગાલિબ વિના સંપૂર્ણ ન જ થઇ શકે. અસદુલ્લા બેગ ખાન, જેને આપણે મિર્ઝા ગાલિબ (MIRZA...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ (TRADING) દિવસે એટલે કે સોમવાર, શેરબજારમાં તીવ્ર તેજી આવી. આજે બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ (SENSEX) 359.87...
મેં સપનોં કા સૌદાગર હૂં. લોગ તરા કે સમયમેં સપણે દેખતે હૈ, મૈં કભી કભા દિનમેં ભી દેખ લેતા હૂં. મેં ઐસી...
આ સત્ય ઘટના છે. એક ઓફિસમાં પટાવાળાને અચાનક મોઢાનું કેન્સર થયું. ઓપરેશનના અઢીથી ત્રણ લાખ રૂપિયા થતા હતા. પટાવાળાની નોકરીને વધારે સમય...
જયારે જયારે કોઇ પણ નાની મોટી ચુંટણી આવે તેમા દેશ નુ ભાવી મતદારો જોતા હોય છે, પરતું જે રીતે ચુંટણી ની ટીકીટ...
જે થવાનું છે એ તો થશે જ. પણ જે નથી થવાનું એને શકય બનાવવાની મથામણમાં આપણે જીવનનો આનંદ ગુમાવી બેસીએ છીએ. આપણે...
હિમશિલા ફાટવાને કારણે જયાં ભયંકર હોનારત સર્જાઇ. છેલ્લાં પાંચ વરસમાં હું ચાર વાર ઉત્તરાખંડની યાત્રામાં હતો તે દરમિયાન જોવા મળ્યું છે કે...
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટી પડવાને કારણે થયેલા વિનાશ અને જાન અને માલના નુકસાનથી વધુ ચિંતાજનક બાબત એ છે કે હિમાલય ક્ષેત્રમાં...
નવી દિલ્હી: લગભગ 11 વર્ષ જુના નરેન્દ્ર દાભોલકર (Narendra Dabholkar) હત્યાકાંડ (Murder) મામલે આજે પુણેની (Pune) વિશેષ અદાલતે કાર્યવાહી કરી હતી. જેમાં નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસમાં અદાલતે બે આરોપીઓને ઉમર કેદની સજા સંભળાવી હતી. તેમજ મુખ્ય આરોપી અને આખા હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ ગણાતા આરોપી સહિત ત્રણને નિર્દોશ જાહેર કર્યા હતા.
એક દશક પૂર્વે 20 ઓગસ્ટ 2013ના રોજ જ્યારે પૂણેના રહેવાસી નરેન્દ્ર દાભોલકરપૂણેના ઓમકારેશ્વર બ્રિજ પર મોર્નિંગ વોક પર નીકળી રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નરેન્દ્ર દાભોલકર મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ ચળવળનું નેતૃત્વ કરવા માટે જાણીતા હતા. હુમલાખોરોએ દાભોલકર પર એક પછી એક 5 ગોળીઓ ચલાવી હતી, જેમાંથી 2 ગોળી ખોટી રીતે ફાયર થઈ હતી પરંતુ ૩ ગોળી તેમના માથા અને છાતીમાં વાગી હતી. તેમજ તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
દાભોલકરની અંધશ્રદ્ધા સામેની ઝુંબેશ
ઘટનાને અંજામ આપ્યા બાદ બાઇક સવાર હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. દાભોલકરની હત્યા પાછળનું મુખ્ય કારણ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને સનાતન સંસ્થા વચ્ચેના સંઘર્ષને માનવામાં આવે છે. આ કેસમાં પાંચ લોકોને આરોપી માનવામાં આવ્યા હતા.
વિશેષ સરકારી વકીલ પ્રકાશ સૂર્યવંશીએ ગુરુવારે કહ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ સંબંધિત કેસ માટે વિશેષ અદાલતના વધારાના સત્રમાં ન્યાયાધીશ એએ જાધવ સંભવતઃ શુક્રવારે ચુકાદો સંભળાવશે. ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે 20 સાક્ષીઓની પૂછપરછ કરી હતી જ્યારે બચાવ પક્ષે બે સાક્ષીઓની પૂછપરછ કરી હતી. ફરિયાદ પક્ષે પોતાની અંતિમ દલીલોમાં કહ્યું હતું કે આરોપીઓ દાભોલકરના અંધશ્રદ્ધા સામેના અભિયાનના વિરોધમાં હતા.
સીબીઆઈને કેસ મળ્યો
શરૂઆતમાં આ કેસની તપાસ પુણે પોલીસ કરી રહી હતી, પરંતુ બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ 2014માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ આ કેસનો કબજો લઈ લીધો હતો અને જૂન 2016માં તેને આ કેસ સાથે જોડી દેવામાં આવ્યો હતો. તેમજ આ કેસમાં હિંદુ જમણેરી સંગઠન સનાતન સંસ્થા ડૉ. વીરેન્દ્ર સિંહ તાવડેની ધરપકડ કરવામાં આવી હતી.
ફરિયાદ પક્ષ અનુસાર તાવડે હત્યાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. તેમણે દાવો કર્યો હતો કે સનાતન સંસ્થા દાભોલકરની સંસ્થા મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા કરવામાં આવતા કામનો વિરોધ કરે છે. તાવડે અને અન્ય કેટલાક આરોપીઓ આ સંસ્થા સાથે જોડાયેલા હતા.
સીબીઆઈએ તેની ચાર્જશીટમાં શરૂઆતમાં ભાગેડુ સારંગ અકોલકર અને વિનય પવારને શૂટર્સ તરીકે નામ આપ્યા હતા. પરંતુ બાદમાં સચિન અન્દુરે અને શરદ કાલસ્કરની ધરપકડ કરી હતી અને પૂરક ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે તેઓએ દાભોલકરને ગોળી મારી હતી.
સમાન પેટર્ન, પરંતુ ઘણી હત્યાઓ
ત્યારબાદ કેન્દ્રીય એજન્સીએ એડવોકેટ સંજીવ પુનાલેકર અને વિક્રમ ભાવેની કથિત સહ-ષડયંત્રકારી તરીકે ધરપકડ કરી હતી. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 120B (ષડયંત્ર), 302 (હત્યા), આર્મ્સ એક્ટની સંબંધિત કલમો અને UAPAની કલમ 16 (આતંકવાદી કૃત્યો માટે સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
તેમજ આ મામલામાં તાવડે, અન્દુરે અને કાલસ્કર જેલમાં છે જ્યારે પુનાલેકર અને ભાવે જામીન પર જેલની બહાર આવ્યા હતા. દાભોલકરની હત્યા પછી, સામ્યવાદી નેતા ગોવિંદ પાનસરે (કોલ્હાપુર, ફેબ્રુઆરી 2015), કન્નડ વિદ્વાન અને લેખક એમ.એમ. કલબુર્ગી (ધારવાડ, ઓગસ્ટ 2015) અને પત્રકાર ગૌરી લંકેશ (બેંગલુરુ, સપ્ટેમ્બર 2017) સહિત ત્રણ અન્ય સમાન કાર્યકરોની પણ હત્યા કરવામાં આવી હતી. તેમજ આ ચારેય કેસમાં ગુનેગારો એકબીજા સાથે સંકળાયેલા હોવાની આશંકા છે.