દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ તાજેતરના સમયમાં તેની ઘોષણાઓમાં ઘણી માહિતી છુપાવી છે. કોઈ કાનૂની ગુનો ન હોવા...
નવી દિલ્હીવડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ અર્જુન માર્ક 1 એ ટેન્ક (Arjun MK-1A) સૈન્યને સોંપ્યુ હતું. અત્યાધુનિક ક્ષમતાથી સજ્જ આ ટેન્ક સંપૂર્ણ...
મંગળ પર જીવન: વૈજ્ઞાનિકો પેહલાથી જ મંગળ (Mars Planet) પર જીવનના મુદ્દાને લઇ એક ચોક્કસ દિશામાં સંશોધન કરી રહ્યા છે, અને ઘણા એવા...
શાળા (Shcool) ઓની ‘નવું સામાન્ય’ પરિવર્તન એ ઓનલાઇન વર્ગખંડો છે. 2020 ની શરૂઆત સુધી, મોબાઇલ ફોન (Mobile phone) , કમ્પ્યુટર (Computer) અને...
શહેરના રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટોમાં વર્ષોથી એક અજીબ વિડંબના રહી છે. કપડા બજારમાં ઉઠમણાની મોટાભાગની ફરિયાદો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે....
રાજસ્થાનમાં રવિવારે પેટ્રોલના ભાવ રૂ.99 પ્રતિ લિટરને પાર કરી ગયા છે. જ્યારે છઠ્ઠા દિવસે પેટ્રોલના ભાવવધારા બાદ ડીઝલ રૂ.91ની સાથે ટોચની સપાટીએ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વદેશી રીતે બનાવવામાં આવેલા અર્જુન મેઈન બેટલ ટેન્ક (એમકે -1એ)ને ભારતીય આર્મીને સોંપી હતી. ભારતની એકતા દર્શાવતુ...
ફાસ્ટેગનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ અને ભાટિયા ટોલનાકે સ્થાનિક વાહન માલિકો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ટોલટેક્સને...
પુલવામા હુમલાની બીજી વરસીએ આજે જમ્મુ અને કાશ્મીરના જમ્મુ શહેરમાંથી આજે એક શક્તિશાળી આઇઇડી મળી આવ્યું હતું અને આ સંદર્ભમાં ચારને અટકાયતમાં...
પ્રેમીઓના દિવસ તરીખે ઓળખાતા વેલેન્ટાઇન ડેના દિવસે આજે શહેરભરમાં મોટી સંખ્યામાં લગ્નો યોજાયા હતા. જેને લીધે શહેરના રસ્તાઓ પણ ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાઇ...
સરકારે આજે જણાવ્યું હતું કે તેણે ૧પમી ફેબ્રુઆરીની મધરાતથી ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યું છે અને તે બેસાડાયા વિનાના કોઇ પણ વાહનને દેશભરના ઇલેકટ્રોનિક...
ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. આ સાથે, તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે...
રવિવારે અહીં ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંતે 249 રનની એકંદર લીડ સાથે ભારતીય ટીમે પોતાને કમાન્ડિંગ પોઝિશનમાં મૂકી...
વડોદરા: (Vadodra) વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન એક સભાને સંબોધિત કરતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અચાનક ઢળી પડ્યા હતા. ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર...
ગુજરાત: (Gujarat) રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહયો છે. રાજ્યમાં આજે નવા 247 કેસ નોંધાયા હતા. આજે 270 દર્દીઓ સાજા (Patient...
નવસારી, વલસાડ: (Navsari, Valsad) નવસારી-વલસાડ જિલ્લામાં રવિવારે કોરોનાનો નવો કોઈ કેસ નોંધાયો ન હતો. નવસારીમાં સતત ત્રીજા દિવસે પણ કોરોનાનો એકપણ કેસ...
કોર્ટે 23 વર્ષીય નૌદીપ કૌર ( navdeep kaur) ની કથિત ગેરકાયદેસર ધરપકડ અંગે સૂમોટો નોંધ લેતા નોટિસ ફટકારી હતી. જસ્ટિસ અરૂણકુમાર (...
સુરત: (Surat) આપ (AAP) નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ (Manish Sisodia) રવિવારે સુરતમા રોડ શો (Road Show) યોજ્યો હતો. વરાછામાં...
સુરત: (Surat) સુરતના આંગણે સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના (Surat District Cricket Association) નેજા હેઠળ તથા બી.સી.સી.આઈ. (BCCI_ તથા ગુજરાત ક્રિકેટ એસોસીએશનના સીધા...
સુરત: (Surat) આગામી તા.21મીએ સુરત મહાપાલિકા માટે મતદાન થનાર છે, પ્રચાર ધીરેધીરે વેગ પકડી રહ્યો છે ત્યારે જ મનપાના વોર્ડ નં.14 (ઉમરવાડા-માતાવાડી)માંથી...
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (RAHUL GANDHI)એ રવિવારે આસામ (ASSAM)માં વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી પ્રચાર ની શરૂઆત કરી હતી. તેમણે શિવાસાગર...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર (Election Campaign) ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે નેતાઓ પણ પોતાની જીત માટે વિરોધી પક્ષના નેતાઓને નીચા...
સુરત: (Surat) શહેરમાં યોજાતા વિવિધ કાર્યક્રમો, લગ્ન (Marriage) સમારંભો તથા વિવિધ મેળાવડાઓમાં મોટાભાગે લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. પરિણામે શહેરમાં ફરીથી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( narendra modi) રવિવારે ચેન્નાઈ ( chennai) પહોંચ્યા હતા. અહીં તેમણે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતમાં બનેલી...
પુલવામા હુમલાની બીજી વર્ષગાંઠ પર, સુરક્ષા દળોએ આતંકી હુમલાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો. સુરક્ષા દળોએ જમ્મુ બસ સ્ટેન્ડમાંથી 7 કિલો ઇમ્પ્રોવિઝ્ડ એક્સપ્લોઝિવ...
ભારત અને ઇંગ્લેન્ડ (INDIA VS ENGLAND) વચ્ચે ચેન્નાઈના ચેપાક સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ટોસ જીત્યા...
કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાને શ્રીનગર સ્થિત તેમના મકાનમાં બંધ કરી દેવામાં...
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ ( superstar prabhash) અને પૂજા હેગડે ( pooja hegde) સ્ટારર ફિલ્મ ‘રાધે શ્યામ’ ( radhe shyam) નું ટીઝર રિલીઝ...
કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂત આંદોલનના 80 દિવસ પૂરા થયા છે. દરમિયાન, ગાઝીપુર સરહદ પર સતત હલચલ ચાલી રહી છે....
વેલેન્ટાઇન ડે (Valentine’s Day) પર રવિવારે શહેરમાં 1000 લગ્ન થશે. 1500 રિંગ સેરેમની થશે. 35 કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાનો અંદાજ છે. લગ્નની...
નવી દિલ્હી: લગભગ 11 વર્ષ જુના નરેન્દ્ર દાભોલકર (Narendra Dabholkar) હત્યાકાંડ (Murder) મામલે આજે પુણેની (Pune) વિશેષ અદાલતે કાર્યવાહી કરી હતી. જેમાં નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસમાં અદાલતે બે આરોપીઓને ઉમર કેદની સજા સંભળાવી હતી. તેમજ મુખ્ય આરોપી અને આખા હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ ગણાતા આરોપી સહિત ત્રણને નિર્દોશ જાહેર કર્યા હતા.
એક દશક પૂર્વે 20 ઓગસ્ટ 2013ના રોજ જ્યારે પૂણેના રહેવાસી નરેન્દ્ર દાભોલકરપૂણેના ઓમકારેશ્વર બ્રિજ પર મોર્નિંગ વોક પર નીકળી રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નરેન્દ્ર દાભોલકર મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ ચળવળનું નેતૃત્વ કરવા માટે જાણીતા હતા. હુમલાખોરોએ દાભોલકર પર એક પછી એક 5 ગોળીઓ ચલાવી હતી, જેમાંથી 2 ગોળી ખોટી રીતે ફાયર થઈ હતી પરંતુ ૩ ગોળી તેમના માથા અને છાતીમાં વાગી હતી. તેમજ તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
દાભોલકરની અંધશ્રદ્ધા સામેની ઝુંબેશ
ઘટનાને અંજામ આપ્યા બાદ બાઇક સવાર હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. દાભોલકરની હત્યા પાછળનું મુખ્ય કારણ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને સનાતન સંસ્થા વચ્ચેના સંઘર્ષને માનવામાં આવે છે. આ કેસમાં પાંચ લોકોને આરોપી માનવામાં આવ્યા હતા.
વિશેષ સરકારી વકીલ પ્રકાશ સૂર્યવંશીએ ગુરુવારે કહ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ સંબંધિત કેસ માટે વિશેષ અદાલતના વધારાના સત્રમાં ન્યાયાધીશ એએ જાધવ સંભવતઃ શુક્રવારે ચુકાદો સંભળાવશે. ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે 20 સાક્ષીઓની પૂછપરછ કરી હતી જ્યારે બચાવ પક્ષે બે સાક્ષીઓની પૂછપરછ કરી હતી. ફરિયાદ પક્ષે પોતાની અંતિમ દલીલોમાં કહ્યું હતું કે આરોપીઓ દાભોલકરના અંધશ્રદ્ધા સામેના અભિયાનના વિરોધમાં હતા.
સીબીઆઈને કેસ મળ્યો
શરૂઆતમાં આ કેસની તપાસ પુણે પોલીસ કરી રહી હતી, પરંતુ બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ 2014માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ આ કેસનો કબજો લઈ લીધો હતો અને જૂન 2016માં તેને આ કેસ સાથે જોડી દેવામાં આવ્યો હતો. તેમજ આ કેસમાં હિંદુ જમણેરી સંગઠન સનાતન સંસ્થા ડૉ. વીરેન્દ્ર સિંહ તાવડેની ધરપકડ કરવામાં આવી હતી.
ફરિયાદ પક્ષ અનુસાર તાવડે હત્યાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. તેમણે દાવો કર્યો હતો કે સનાતન સંસ્થા દાભોલકરની સંસ્થા મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા કરવામાં આવતા કામનો વિરોધ કરે છે. તાવડે અને અન્ય કેટલાક આરોપીઓ આ સંસ્થા સાથે જોડાયેલા હતા.
સીબીઆઈએ તેની ચાર્જશીટમાં શરૂઆતમાં ભાગેડુ સારંગ અકોલકર અને વિનય પવારને શૂટર્સ તરીકે નામ આપ્યા હતા. પરંતુ બાદમાં સચિન અન્દુરે અને શરદ કાલસ્કરની ધરપકડ કરી હતી અને પૂરક ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે તેઓએ દાભોલકરને ગોળી મારી હતી.
સમાન પેટર્ન, પરંતુ ઘણી હત્યાઓ
ત્યારબાદ કેન્દ્રીય એજન્સીએ એડવોકેટ સંજીવ પુનાલેકર અને વિક્રમ ભાવેની કથિત સહ-ષડયંત્રકારી તરીકે ધરપકડ કરી હતી. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 120B (ષડયંત્ર), 302 (હત્યા), આર્મ્સ એક્ટની સંબંધિત કલમો અને UAPAની કલમ 16 (આતંકવાદી કૃત્યો માટે સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
તેમજ આ મામલામાં તાવડે, અન્દુરે અને કાલસ્કર જેલમાં છે જ્યારે પુનાલેકર અને ભાવે જામીન પર જેલની બહાર આવ્યા હતા. દાભોલકરની હત્યા પછી, સામ્યવાદી નેતા ગોવિંદ પાનસરે (કોલ્હાપુર, ફેબ્રુઆરી 2015), કન્નડ વિદ્વાન અને લેખક એમ.એમ. કલબુર્ગી (ધારવાડ, ઓગસ્ટ 2015) અને પત્રકાર ગૌરી લંકેશ (બેંગલુરુ, સપ્ટેમ્બર 2017) સહિત ત્રણ અન્ય સમાન કાર્યકરોની પણ હત્યા કરવામાં આવી હતી. તેમજ આ ચારેય કેસમાં ગુનેગારો એકબીજા સાથે સંકળાયેલા હોવાની આશંકા છે.