Business

સુરતમાં પતિએ પત્નીના મોત પર રચ્યું ષડ્યંત્ર, આ રીતે ભાંડો ફૂટ્યો

સુરત: અડાજણ ખાતે રહેતા પતિએ માનસિક બીમાર પત્નીથી કંટાળી તેણીના માથામાં માર મારતાં તેનું મોત નીપજ્યું હતું. જો કે, પત્નીનું ઊંઘમાં જ મોત થયાનું તરકટ રચ્યું હતું. પરંતુ પીએમમાં ગળામાં ઇજાનાં નિશાન મળતાં ઘટના બહાર આવતાં અડાજણ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • અડાજણમાં પતિએ માનસિક બીમાર પત્નીને માથામાં માર મારી હત્યા કરી
  • પતિએ પત્નીનું ઊંઘમાં જ મોત થયાનું તરકટ રચી કાઢ્યું
  • પીએમમાં ગળાના ભાગે ઘસરકાનાં નિશાન જોવા મળતાં ઘટના બહાર આવી

અડાજણ ખાતે સોમેશ્વરા સોસાયટીમાં રહેતા દિનેશ પટેલે પોલીસ સમક્ષ કેફિયત જણાવી હતી કે, તેમની પત્ની 37 વર્ષીય વૈશાલી ગઈકાલે બપોરે એલ.પી.સવાણી સ્કૂલમાં પ્રિન્સિપાલને મળવા માટે એકલી ગઈ હતી. દરમિયાન વૈશાલીનો પતિ ઘરે સૂઇ ગયો હતો. વૈશાલી ઘરે આવી કપડાં-વાસણ ધોઇ બપોરે વિક્સ લગાવી મેઇન હોલમાં નીચે ગાદલું પાથરી સૂઇ ગઈ હતી. અને રાતના આઠેક વાગ્યા સુધી પરત જાગી ન હતી. આથી તેના પતિએ વૈશાલીને બૂમો પાડી ચાદર ખેંચી હતી. પરંતુ વૈશાલીનું શરીર ઠંડું લાગ્યું હતું. અને મોં પર પાણી છાંટ્યું હતું. બાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તબીબે ચેક કરતાં મૃત જાહેર કરી હતી.

પીએમ રીપોર્ટમાં થયો ખુલાસો
નવી સિવિલમાં વૈશાલીના ગળાના ભાગે જમણી બાજુ ઘસરકાનાં નિશાન દેખાયાં હતાં. આથી પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, વૈશાલી ત્રણ વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી. ગઈકાલે પત્નીની માનસિક બીમારીથી કંટાળેલા પતિનો ઝઘડો થયો હતો. ઝઘડો થતાં પતિએ છૂટી વસ્તુ મારતાં માથામાં ઇજા થઈ હતી. બાદ ગળાના ભાગે પણ ઘસરકા થયા હતા. વૈશાલીએ સ્કૂલમાં પ્રિન્સિપાલ સાથે પણ ઝઘડો કર્યો હતો. આ ઘટના બાદ પતિ બહાર જમવા ગયો અને ઘરે આવીને સૂઈ જઈ અને મોત થયાનું નાટક રચ્યું હતું. અડાજણ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

રાંદેરમાં પતિએ કરી પત્નીની હત્યા
ઉલ્લેખનીય છે કે રાંદેર વિસ્તારમાં પણ પતિફાઈ પત્ની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. સામાન્ય બોલાચાલીમાં ગળું દબાવી હેવાન પતિએ (Husband Killed Wife) પત્નીની નિર્મમ હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બે દિવસ પહેલાં ઘરમાંથી મૃત હાલતમાં મળી આવેલી રાંદેરની પરિણીતાની હત્યા તેના પતિએ જ કરી હોવાનો ખુલાસો થતાં પોલીસે પતિને પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે. ઘટના એમ હતી કે, સુરતના રાંદેર વિસ્તારમાં નવયુગ કોલેજ પાસે આવેલી બોમ્બે કોલોનીમાં રહેતા ઉષા વસાવાનો મૃતદેહ તેમના જ ઘરમાં ગઈ તા. 13મી સપ્ટેમ્બરના રોજ મળ્યો હતો. તેના પતિ પ્રકાશ વસાવાએ પહેલાં તો પત્ની હાર્ટ એટેકથી મરી ગઈ હોવાનું રટણ કર્યું હતું. ત્યાર બાદ તેણીએ આપઘાત કર્યો હોવાની સ્ટોરી ઉપજાવી હતી. દરમિયાન મૃતક ઉષા વસાવાની બહેને પોલીસ સમક્ષ તેના બનેવી પર શંકા વ્યક્ત કરતા પોલીસે ઉષા વસાવાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ (Postmortem) કરાવ્યું હતું. જેમાં ગળું દબાવીને ઉષા વસાવાની હત્યા કરાઈ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. દરમિયાન મૃતકનો પતિ પ્રકાશ વસાવા ફરાર થઈ ગયો હતો. તેથી એ શંકા પ્રબળ બની હતી કે ઉષા વસાવાની હત્યા (Murder) તેના પતિ પ્રકાશ વસાવાએ જ કરી છે. આજે રાંદેર પોલીસે પ્રકાશ વસાવાની બાતમીના આધારે અટકાયત કરી હતી.

Most Popular

To Top