Dakshin Gujarat

એવું તો શું થયું કે યુવકે ધોબીની નોકરી કરતા યુવાનનો ગળાથી છાતીનો ભાગ કટરથી ચીરી નાંખ્યો

વલસાડ : વલસાડના (Valsad) નાનકવાડા ગામે રહેતા યુવાન પર પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી ધોબી તળાવમાં રહેતા એક યુવાને હુમલો (Attack) કર્યો હતો. તેણે યુવાનના ગળાથી છાતીના ભાગમાં કટરથી (Cutter) ઘા કરતાં ઘાયલ યુવાનને સિવિલ હોસ્પિટલમાં (Hospital) લઇ જવો પડ્યો હતો અને તેને 34 ટાંકા લેવા પડ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના નાનકવાડામાં રહેતો જય કાર્તિક પટેલ ધોબી તળાવમાં કપડાં ધોવાની નોકરી કરે છે. 3 દિવસ અગાઉ તે પોતાની સાથે જ કપડાં ધોવાની નોકરી કરતી એક મહિલા સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો. જેને મહિલાનો પતિ જોઇ ગયો હતો. જેની અદાવતમાં ગતરોજ જય કપડાં ધોવા ગયો ત્યારે મહિલાનો પતિ અજય બચુ રાઠોડ ત્યાં કટર લઇને આવ્યો અને તેની સાથે બોલાચાલી કરી તેને ગળાના ભાગે કટર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેના પગલે જયના શરીર પર ગળાથી લઇ છાતી સુધીની ચામડી કપાઇ ગઇ હતી અને તેને સારવાર અર્થે સિવિલમાં લઇ જવો પડ્યો હતો. જ્યાં તેને 34 ટાંકા લેવા પડ્યા હતા. આ સંદર્ભે જયના પિતા કાર્તિકે વલસાડ પોલીસ મથકે અજય રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નવસારી રૂસ્તમવાડીના આધેડનો ગળે ફાંસો ખાઈ આપઘાત
નવસારી : નવસારી રૂસ્તમવાડીના આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી રૂસ્તમવાડી શિવ મંદિરની સામે ચંદુભાઈ છોટુભાઈ રાઠોડ (ઉ.વ. 55) રહેતા હતા. 4 માસ પહેલા ચંદુભાઈની પત્ની તેમના અસ્થિર મગજના દીકરાને લઈ પોતાના ભાઈના ઘરે પિયર રહેવા જતી રહી હતી. જેથી ચંદુભાઈ એકલવાયું જીવન જીવતા હતા. જેના કારણે ચંદુભાઈએ ગત 13મીએ બપોરે પોતાના ઘરે વાંસના દાંડા સાથે પલંગની પટ્ટી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. હુકમચંદને સોંપી છે.

Most Popular

To Top