Business

સરકારી કાર્યક્રમોમાં એસ.ટી. બસોનો ઉપયોગ કરી તેનું ભાડું ચૂકવવામાં આવતું નથી

ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દેવા યુક્ત નિગમ છે. અવાર નવાર રાજ્ય સરકાર દ્વારા સરકારી કાર્યક્રમોમાં એસટી બસનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેનું ભાડું ચૂકવવામાં આવતું નથી. બસનો ઉપયોગ કરી ભાડું ચૂકવાતું ન હોવાને કારણે નિગમ ખોટમાં જાય છે, તેવું વિધાનસભામાં વાહન વ્યવહાર વિભાગ, માર્ગ અને મકાન વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું.

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાનો સરકાર પર સીધો આક્ષેપ

સુખરામ રાઠવાએ વધુમાં કહ્યું હતું કે એસ.ટી.માં ડ્રાયવર-કંડક્‍ટરની જગ્‍યાઓ ખાલી છે, તેમની ભરતી પ્રક્રિયા બંધ હોવાના કારણો શું છે ? ડ્રાઈવર-કંડક્‍ટર વગર ગામડાની બસો બંધ કરી દેવામાં આવે છે, જેથી ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં, કોર્ટ કચેરીના કામે આવતા પ્રજાજનોને મુશ્‍કેલીઓ ઉભી થાય છે. ખાસ કરીને ગામડાની બસોનું સંચાલન નિયમિત થાય એની કાળજી રાખવી જરૂરી છે.

રાજ્યમાં 1200 નવી બસ ખરીદાશે
વાહન વ્યવહાર વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મોદીએ કહ્યું હતું કે, ઈલેકટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે સરકારે સબસીડી આપવા 106 કરોડની બજેટમાં જોગવાઈ કરી છે. રાજ્યમાં જુદી જુદી 1200 નવી બસો ખરીદવા માટે 367 કરોડની જોગવાઈ કરાઈ છે.

સુરત, અંબાજી, સાપુતારામાં ટુરીસ્ટ સ્પોટ ડેવલપ કરાશે
સુરતના ભીમરાડ ખાતે મીઠા કાયદા સામે સત્યાગ્રહના પ્રતીક સમાન ગાંધી સ્મારક તથા મ્યૂઝિયમનો વિકાસ કરવા 10 કરોડનો ખર્ચ કરાશે, જે પૈકી બજેટમાં 1 કરોડની જોગવાઈ કરાઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ વડનગરમાં જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે પ્રેરણા શાળાનો વિકાસ કરવા 50 કરોડની યોજના અમલમાં મૂકાશે, તે પૈકી બજેટમાં 5 કરોડની જોગવાઈ કરાઈ છે. શામળાજી તીર્થનો વિકાસ કરવા માટે 2 કરોડની જોગવાઈ કરાઈ છે.

અંબાજીથી સાપુતારા સુધીના વન વિસ્તારના ઈકો ટુરિસ્ટ સ્પોટ વિકસાવવા માટે 60 કરોડની યોજના અમલી બનશે, તે પૈકી બજેટમાં 2 કરોડની જોગવાઈ કરાઈ છે. ડાંગમાં રામ પ્રવાસન સર્કિટ વિકસાવવા માટે 30 કરોડની યોજના અમલી બનશે, તે પૈકી બજેટમાં 1 કરોડની જોગવાઈ કરાઈ છે. વલસાડના પારડી ખાતે ઉમરસાડી ગામે બીચને પ્રવાસન તરીકે વિકસાવવાનું 10 કરોડનું આયોજન કરાયું છે. આ વખતે બજેટમા 1 કરોડની જોગવાઈ કરાઈ છે.

વઘઈથી સાપુતારા વચ્ચેના સર્પાકાર રસ્તાને વધુ સુંદર બનાવવા સરકારે લીધો આ નિર્ણય
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં વિવિધ માર્ગોના વિકાસ માટે જંગી નાણાંકિય જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને ગીરીમથક સાપુતારાને જોડતા વઘઈ – સાપુતારા રસ્તાનું 1200 કરોડના ખર્ચે ચાર માર્ગીકરણ કરાશે. વિધાનસભામાં માર્ગ મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા, વિભાગના સિનિયર કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, વલસાડથી ઉમરગામ થઈને નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરંબદર, દ્વારકા, જામનગર, મોરબી જિલ્લામાંથી પસાર થતાં અને કચ્છના નારાયણ સરોવર સુધીના 1600 કિમીના કોસ્ટલ હાઈવેના વિકાસ માટે 2400 કરોડનું આયોજન કરાયું છે. દક્ષિણ ગુજરાતના કોસ્ટલ હાઈવેના વિકાસના પ્રોજેકટ હાથ ધરાશે.

Most Popular

To Top