SURAT

સુરત : સરદાર બ્રિજ પર ગૌમાંસ ભરેલો ટેમ્પો પલટ્યો, ક્રાઇમ બ્રાન્ચે તપાસ ચાલુ કરી

સુરત ( surat) શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ જતા સરદાર બ્રિજ ઉપર આજે વહેલી સવારે પીકઅપ ટેમ્પો ( pick up tempo) પલટી ગયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે ટેમ્પોમાં ગૌમાંસ હોવાની શંકા ઊભી થઈ હતી. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ડ્રાઇવર દ્વારા ગફલતભરી રીતે હંકારતા ટેમ્પો પલ્ટી ગયો હતો. જેમાં ગૌમાંસ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવતાં ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી ટેમ્પોના ડ્રાઈવરને ઝડપી લીધો છે. અને બાદમાં ક્રાઈમબ્રાંચે ચક્રો ગતિમાન કરીને ટેમ્પોના ચાલકને ઝડપી લીધો હતો.

પીકઅપ ટેમ્પોનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ડેપ્યુટી પોલીસ કમિશનર ભાવના પટેલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા .માંસનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં રસ્તા ઉપર વિખરાયેલ જોવા મળતા ફાયર વિભાગને જાણ કરીને તેને સાફ કરી દેવામાં આવ્યો હતો. તેમજ માંસને ટેમ્પોમાં ભરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાવી હતી.

ટેમ્પામાં ગૌમાસ હતું કે કેમ તે દિશામાં તપાસ શરૂ 

અકસ્માતની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રોડ પર મોટી સંખ્યામાં માંસના લોચા જોઈ તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. તેઓએ સૌ પ્રથમ રસ્તો ધોવડાવી રસ્તો ચોખ્ખો કર્યો હતો. બાદમાં આ ગૌમાંસ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. માંસને તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છે. અને જો આ ગૌમાંસ હોવાનું બહાર આવશે તો આ મામલે ગુનો નોધી તપાસ પણ શરુ કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. 

ગૌરક્ષકો ભારે રોષ
સમગ્ર ઘટનાને લઇને ગૌરક્ષકો ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાયનું કતલ કરવું એ ગેરકાયદેસર હોવા છતાં પણ કેટલાક લોકો તેને ઉપરવટ જઇને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તાજેતરમાં જ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ગૌમાંસ વેચાતો હોવાની જાણ ગૌરક્ષકોને થતા 150 કિલો કરતાં પણ વધુ ગૌમાંસ જ ઝડપી પાડ્યું હતું. સુરતમાં કેટલાક વિસ્તારોમાં ગૌમાંસ કતલખાનામાંથી લાવીને વેચવાની પ્રવૃત્તિ ચાલી રહી છે તેને લઈને ગૌરક્ષકો નારાજગી જોવા મળી રહી છે. પોલીસે આ બાબતે ગંભીરતાથી લઈને ગાયને કતલખાને લઇ જવાતા રોકવી તેમજ ગૌમાંસ વેચાણ બંધ થાય તેના માટે સખ્તાઇપૂર્વકની કામગીરી કરવી જરૂરી છે.

Most Popular

To Top