National

દેશના ભૂતપૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હી : દેશના પૂર્વ એટર્ની જનરલ (Former Attorney General ) સોલી સોરાબજી(Soli Sorabjee)નું નિધન થયું છે. તે 91 વર્ષ(dies at the age of 91)ના હતા. ઘણા દિવસોથી તેમની તબિયત ખરાબ હતી. સોરબજીને કોરોના ચેપ લાગ્યો હતો કે નહીં તે અત્યારે જાણી શકાયું નથી. આ અંગે પરિવાર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સોલી સોરાબજીનું પૂરું નામ સોલી જહાંગીર સોરાબજી હતું.

મળતી માહિતી મુજબ વરિષ્ઠ એડવોકેટ, પૂર્વ એટર્ની જનરલ અને પદ્મ વિભૂષણ (PADMA VIBHUSHAN) સોલિ સોરાબીનું આજે સવારે નિધન થયું છે. તેઓ 1989 થી 1990 અને ત્યારબાદ 1998 થી 2004 દરમિયાન દેશના એટર્ની જનરલ હતા. સોલી સોરાબજીનો જન્મ 1930 માં બોમ્બેમાં થયો હતો. તે 1953 થી બોમ્બે હાઇકોર્ટ(BOMBAY HIGH COURT)માં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. 1971 માં, સોલી સોરાબજી સુપ્રીમ કોર્ટના સિનિયર સલાહકાર બન્યા. તેઓ બે વખત ભારતના એટર્ની જનરલ રહ્યા હતા. તેઓ પ્રથમ વખત 1989 થી 90 અને બીજી વખત 1998 થી 2004 દરમિયાન એટર્ની જનરલ હતા.

સોલી સોરાબજીને દેશના સૌથી મોટા માનવ અધિકાર વકીલો તરીકે ઓળખવામાં આવે છે. 1997 માં, સંયુક્ત રાષ્ટ્રએ તેમને ત્યાંના માનવાધિકારની સ્થિતિ જાણવા વિશેષ દૂત તરીકે નાઇજીરીયા મોકલ્યા. ત્યારબાદ, તે 1998 થી 2004 સુધી માનવ અધિકારના પ્રમોશન અને પ્રોટેક્શન પર યુએન-સબ કમિશનના સભ્ય અને બાદમાં અધ્યક્ષ બન્યા. સોલી સોરાબજી અભિવ્યક્તિની સ્વતંત્રતાની તરફેણમાં હતા. તેમણે ભારતની સર્વોચ્ચ અદાલતમાં અનેક ઐતિહાસિક કેસોમાં પ્રેસની સ્વતંત્રતાનો બચાવ કર્યો છે અને સેન્સરશીપ ઓર્ડર અને પ્રકાશનો પરના પ્રતિબંધોને બચાવવા માટે તેમનો મુખ્ય ફાળો છે. માર્ચ 2002 માં, તેમને પદ્મ વિભૂષણ એવોર્ડ, બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી નવાજવામાં આવ્યા.

દેશમાં કોરોનાથી મૃત્યુઆંક વધી રહ્યો છે. હવે ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયું છે. વરિષ્ઠ વકીલ, ભૂતપૂર્વ એટર્ની જનરલ અને પદ્મ વિભૂષણ સોલિ સોરાબજીનું આજે સવારે કોરોના ચેપથી નિધન થયું હતું. મહત્વની વાત છે કે સોલિ સોરાબજી દેશના મોટા માનવાધિકાર વકીલમાં માન્યતા ધરાવે છે. 1997 માં, સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારની પરિસ્થિતિ વિશે જાણવા માટે તેમને ખાસ દૂત તરીકે નાઇજીરીયા મોકલ્યા હતા. જેમાં તેમણે નોંધનીય ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ, તે 1998 થી 2004 સુધી માનવ અધિકારના પ્રમોશન અને પ્રોટેક્શન પર યુએન-સબ કમિશનના સભ્ય અને બાદમાં અધ્યક્ષ બન્યા હતા.

સોલી સોરાબજી અભિવ્યક્તિની સ્વતંત્રતાના મહાન હિમાયતી હતા. તેમણે ભારતની સર્વોચ્ચ અદાલતમાં અનેક કેસોમાં પ્રેસની સ્વતંત્રતાનો બચાવ કર્યો હતો. પ્રેસ પરના પ્રતિબંધોને બચાવવા માટે તેમનો મુખ્ય ફાળો છે. માર્ચ 2002 માં, તેમને પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

Most Popular

To Top