Gujarat Main

કોંગ્રેસને એક પછી એક ઝટકા: સુરતના મોટા ગજાના નેતા ફરી ભાજપમાં જોડાશે

સુરત : હાલ સુરતમાં ભાજપમાંથી આપમાં નેતાઓ દ્વારા પ્રયાણ કરવાની મોસમ ચાલી હતી, ત્યારે હવે કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. હાલ ગુજરાત કોંગ્રેસમાં કોણ મુખ્ય પ્રમુખ કે કોણ પ્રદેશ પ્રમુખ બનશે એ પણ નક્કી નથી ત્યાં કોંગ્રેસમાં વધુ એક ભૂકંપ સર્જાય તેવા સમાચાર સામે આવ્યા છે. સુરતના કોંગ્રેસ (surat congress) ના મોટા ગજાના નેતા એવા ધીરુભાઇ ગજેરા (dhiru gajera) ભાજપનો ખેસ ધારણ કરશે. અને એક સમયે પાટીદાર સાથે જોડાયેલા નેતાને પોતાની સાથે રાખી ભાજપ મોટુ કાર્ડ રમી રહ્યું છે. 

હાલ ગુજરાત કોંગ્રેસની કમાન કયા નેતાઓના હાથમાં સોંપવાની તે જ નક્કી થઈ શક્તુ નથી. ત્યાં ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાવાની વાત માત્રથી કોંગ્રેશને મોટો ઝટકો લાગ્યો છે. ધીરુભાઇ ગજેરાનું આમ જોવા જઈએ તો ગુજરાતના રાજકારણમાં મોટું નામ છે. એક સમયે તેઓ ભાજપ (BJP) ના જ સદસ્ય અને જાણીતા નેતા હતા. જો કે ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં ગયા હતા. અને વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહી ધારાસભ્ય પણ બન્યા હતા. ત્યારબાદ ધીરુ ગજેરા 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પણ રહ્યા હતા. પરંતુ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરીથી ભાજપમાં આવી રહ્યાં છે.

ભાજપમાં ધીરુ ગજેરાને જોડવા પાછળનો હેતુ શું???
પાટીદાર ફેક્ટર સાથે જોડાયેલા ધીરુ ગજેરા ભાજપમા જાય તો કોંગ્રેસ (Gujarat congress) ને મોટો ફટકો પડી શકે છે. આ સાથે જ સુરતના રાજકારણમાં પણ મોટાપાયે ફેરફાર થઈ શકે છે. એક રીતે હજુ ધીરુ ગજેરા પાટીદારોના નેતા છે, તેઓ પાટીદાર (Patidar) મત ભાજપના ખોળામાં લાવવામાં સફળ બની શકે છે. સાથે જ ભાજપ સુરતમાં હવે સવાણી વિરુદ્ધ ગજેરાની રણનીતિ કરવાના મૂડમાં છે. તાજેતરમાં જ સુરતના પાટીદારના મધ્યસ્થી અને ઉદ્યોગપતિ એવા મહેશ સવાણી આપ (AAP) માં જોડાયા હતા. ત્યારે પાટીદારોની નારાજગી દૂર કરવા ભાજપ માટે ધીરુ ગજેરાનું જોડાવુ જાણે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે.  

ઉલ્લેખનીય છે કે હાલના તબક્કે સૂત્રોના કહેવા પ્રમાણે ધીરુ ગજેરાનું ભાજપમાં જોડાવાનો લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

Most Popular

To Top