National

CM અરવિંદ કેજરીવાલે LNJP હોસ્પિટલ પહોંચ્યા, સત્યેન્દ્ર જૈનને ગળે લગાવ્યાં, હીરો કહ્યાં

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલ રવિવારે એલએનજેપી હોસ્પિટલમાં (Hospital) દાખલ રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને મળ્યા હતા. સીએમ કેજરીવાલની તેમના ભૂતપૂર્વ કેબિનેટ સહયોગી જૈન સાથે આ મુલાકાત લગભગ એક વર્ષ પછી થઈ છે. સીએમ કેજરીવાલે સત્યેન્દ્ર જૈન સાથેની તેમની મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. કેજરીવાલે આ તસ્વીરો પર જૈનને વીર અને બહાદુર માણસ કહ્યાં છે.

  • સીએમ કેજરીવાલે સત્યેન્દ્ર જૈન સાથેની તેમની મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી
  • સત્યેન્દ્ર જૈન ગુરુવારે તિહાર જેલના બાથરૂમમાં પડી ગયા હતા

સત્યેન્દ્ર જૈન ગુરુવારે તિહાર જેલના બાથરૂમમાં પડી ગયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ પછી જૈનને ડીડીયુ હોસ્પિટલમાંથી દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં આપના દિલ્લીના પૂર્વ સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈનની સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી પર શુક્રવારે સુનાવણી થઈ હતી. જેમાં SCએ સત્યેન્દ્ર જૈનને છ સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા છે. જણાવી દઈએ કે જૈનના વકીલ અભિષેક એમ સિંઘવીએ ખરાબ તબિયતને ટાંકીને વહેલી સુનાવણીની માંગ કરી હતી. 18 મેના રોજ, SCએ EDને નોટિસ પાઠવીને આ મામલે જવાબ માંગ્યો હતો. જૈન 31 મે, 2022થી કસ્ટડીમાં છે. 6 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેણે SCમાં અપીલ કરી હતી.

જાણો શું છે સત્યેન્દ્ર જૈન સાથે જોડાયેલો મામલો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધારે 24 ઓગસ્ટ, 2017ના રોજ જૈન વિરુદ્ધ મની-લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. 14 ફેબ્રુઆરી 2015થી 31 મે 2017 સુધી સત્યેન્દ્ર જૈને અનેક વ્યક્તિઓના નામે જંગમ મિલકતો ખરીદી હતી. જેના તેઓ હિસાબ આપી શક્યા ન હતા. તેમની સાથે પૂનમ જૈન, અજીત પ્રસાદ જૈન, સાનિલ કુમાર જૈન, વૈભવ જૈન અને અંકુશ જૈન વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top