Gujarat

ગુજરાતમાં પોસ્ટર યુદ્ધ: કેજરીવાલના ટોપીવાળા બેનર પર લખ્યું, ‘હું હિન્દુ ક્રિયા કરીશ નહીં’

સુરત(Surat): દિલ્હીનાં આમ આદમી પાર્ટી(AAP)ના મુખ્યમંત્રી(CM) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને મંત્રી રાજેન્દ્ર પાલ(Rajendra Pal)નાં ધર્મ અંગે વિવાદાસ્પદ વિડીયો વાયલર થયો હતો. ત્યારબાદ રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા ગતરોજથી જ વિરોધ થઇ થયો છે. ત્યારે હવે આ વિરોધનો વંટોળ ગુજરાત પહોંચ્યો છે. સુરત, અમદાવાદ (Ahmedabad) અને રાજકોટ(Rajkot)માં આપ પાર્ટી વિરુદ્ધ બેનરો(Banners) લાગ્યા છે. ‘હું ઈશ્વરને માનીશ નહીં’ તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવામાં આવ્યાં છે.

બેનરમાં આવું લખ્યું છે
સુરત, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા છે. આ બેનરોમાં અરવિંદ કેજરીવાલનાં મુસ્લિમ પોશાક અને ટોપી પહેરેલા બતાવવામાં આવ્યા છે. તેમજ બેનર પર ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહિ, આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ તેમજ ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’નું પોસ્ટરમાં લખાણ લખાયું છે. આમ, ગુજરાતમાં એક તરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે.

કેજરીવાલનાં ગુજરાત પ્રવાસ પહેલા જ પોસ્ટર વોર
આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા આવી રહ્યા છે. તેઓ વડોદરામાં તિરંગા યાત્રા પણ કાઢશે. શહેરના ભગતસિંહ ચોકથી કીર્તિ સ્થંભ સુધી તિરંગા યાત્રા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને લોકો તિરંગા યાત્રામાં જોડાશે. ત્યારે આ તિરંગા યાત્રામાં ધર્માંતરણની ઘટનાને લઈને વિરોધ થઈ શકે છે. ભાજપે ગઈકાલે લોકોને અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવા અપીલ કરી હતી. ત્યારે આપની આજે તિરંગા યાત્રામાં લોકો વિરોધ કરી શકે છે. જો કે આ પહેલા જ અનેક આપ પાર્ટી વિરુદ્ધ પોસ્ટરો લાગતા ચુંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. જોકે આ બેનર કોણે લગાવ્યાં એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ છે સમગ્ર મામલો
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામૂહિક ધર્માંતરણની ઘટના સામે આવી હતી. સામૂહિક ધર્માંતરણ દરમિયાન કેબિનેટ મંત્રીએ હાજરી આપતા વિવાદ થયો છે. રાજેન્દ્ર ગૌતમે સામૂહિક ધર્માંતરણ કાર્યક્રમમાં સનાતન ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓની નિંદા પણ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ બુધવારે વિજયાદશમીના દિવસે કરોલબાગમાં રાની ઝાંસી રોડ પર આવેલા આંબેડકર ભવનમાં રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી અને તેમણે શપથ લીધા હતા કે, તેઓ હિન્દુ દેવી-દેવતાઓની પૂજા નહી કરે.

Most Popular

To Top