SURAT

આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાને હજીરા પ્લાન્ટના વિસ્તરણ મંજૂરી

સુરત: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ (ArcelorMittal) અને નિપ્પોન સ્ટીલ (Nippon Steel) ઈન્ડિયાના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ને તેના હજીરા (Hazira) ખાતેના ફ્લેગશીપ પ્લાન્ટના વિસ્તરણ માટે પર્યાવરણલક્ષી મંજૂરી પ્રાપ્ત થઈ છે. પ્લાન્ટની હાલની ક્ષમતા વાર્ષિક 9 મિલિયન ટન છે. તે વધારીને વાર્ષિક 15 મિલિયન ટન કરવામાં આવશે.વર્ષ 2030 સુધીમાં સ્થાનિક સ્ટીલ ઉત્પાદન ક્ષમતા બમણી કરીને વાર્ષિક 300 મિલિયન ટન કરવાના ભારત સરકારના ધ્યેયને રાષ્ટ્રિય સ્ટીલ નીતિને અને એએમ-એનએસ ઈન્ડિયાના પોતાના લાંબાગાળાના આયોજનને આ ક્ષમતા વિસ્તરણથી નોંધપાત્ર પ્રમાણમાં વેગ મળશે.

વિકાસમાં યોગદાન આપવા પર્યાવરણીય કામગીરીમાં સતત સુધારા માટે પ્રતિબદ્ધ
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ના ચેરમેન આદિત્ય મિત્તલે જણાવ્યું હતું કે, “2019 માં બજારમાં પ્રવેશ્યા પછી કંપનીએ હજીરા પ્લાન્ટમાં પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ડીકાર્બોનાઇઝેશનમાં અને ભારતીય સ્ટીલ ઉદ્યોગના વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે AMNS ભારતના વિકાસમાં યોગદાન આપવા પર્યાવરણીય કામગીરીમાં સતત સુધારા માટે પ્રતિબદ્ધ છે. અને ઉચ્ચ-ગુણવત્તાવાળા, ટકાઉ સ્ટીલના ઉત્પાદન માટે ભારતને તેની આર્થિક મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાની જરૂર છે.

આજનો દિવસ કંપનીની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.”
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દીલીપ ઓમ્મેન જણાવ્યું હતું કે “આ વિસ્તરણ વૃદ્ધિના અમારા ભવિષ્યના તબક્કાને વેગ આપશે, જે કંપનીને સ્થાનિક બજારની વધતી જતી માંગને પહોંચી વળવામાં સક્ષમ બનાવશે, સાથે સાથે ઉચ્ચ-ગ્રેડ મૂલ્ય-વર્ધિત સ્ટીલનું ઉત્પાદન કરવા માટે પણ સજ્જ કરશે. તે ભારતની $5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા તરફ વિકાસ યાત્રાને ટેકો આપવાની એએમ/એનએસ ઈન્ડિયાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”

અહેવાલ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને સુપરત કરાયો
મંત્રાલય દ્વારા વિગતવાર પર્યાવરણીય મૂલ્યાંકન અનુસરીને કેન્દ્ર સરકારના વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગે પર્યાવરણલક્ષી મંજૂરી આપી છે. આ અહેવાલ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને સુપરત કરાયો હતો જે જુલાઇ મહિનામાં હજીરા ખાતે જીલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટ સુરત જીલ્લાના અધ્યક્ષપદ હેઠળ હાથ ધરેલી જાહેર સુનાવણી પછી એસેસમેન્ટ રિપોર્ટ કેન્દ્ર સરકારને આખરી મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો.

Most Popular

To Top