Gujarat

રાજ્યમાં કોરોનાની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ : નવા 848 કેસો, 12ના મોત

રાજ્યમાં રવિવારે કોરોનાના કેસોમાં ઘરખમ ઘટાડા સાથે નવા 848 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 126 , વડોદરા મનપામાં 126, સુરત મનપામાં 91, રાજકોટ મનપામાં 27, જામનગર મનપામાં 20, જુનાગઢ મનપામાં 11, ભાવનગરમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસો નોંધાયા છે. જ્યારે 433 કેસો અન્ય જિલ્લાઓમાં નોંધાયા છે.

આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 8.16 લાખ કેસો નોંધાયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2915 જેટલા દર્દીઓ સ્વાસ્થ્યમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓનું મૃત્યુ થયું છે. જેમાં અમદાવાદમાં 3, વડોદરા મનપામાં 1, સુરત મનપામાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 9933 દર્દીઓએ દમ તોડ્યો હતો.

અત્યાર સુધીમાં રાજ્યમાં 788293 દર્દીઓએ કોરોમાને મ્હાત આપી છે. હાલમાં રાજ્યમાં 18008 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 371 દર્દીઓ વેન્ટીલેટર પર અને 17637 દર્દીઓનું સ્વાસ્થ્ય સુધારા પર અથવા તો સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,26,335 લોકોને રસી આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કુલ 1,84,04,654 લોકોને રસી આપવામાં આવી છે. 18 થી 45 વર્ષ સુધીના 182569 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top