Gujarat

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હોળી-ધુળેટીની રજાઓમાં 11,200 પ્રવાસી નોંધાયા

ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોમાં કોરોનાના ફેલાવા વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રવિવારે 4000 અને સોમવારે ધુળેટીના દિવસે 7,200 પ્રવાસી નોંધાતાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત અન્ય રાજ્યમાંથી વધુ પ્રવાસીઓ આવશે એવી તંત્રની ગણતરી ખોટી પડી હોય એમ લાગી રહ્યું છે. જો કે, હોળી-ધુળેટીની રજાઓ દરમિયાન ધારવા કરતા ઓછા પ્રવાસીઓ આવ્યા એ પણ સારું જ કહેવાય.

બાકી જો 15000થી 20000 પ્રવાસીઓ ત્યાં આવતાં તો કોરોના સંક્રમણ ફેલાવાનો પણ ભય હતો. સાથે સાથે કોરોના મહામારી વચ્ચે આટલા બધા પ્રવાસીઓ એક સાથે ભેગા થઈ જાત તો ભીડને કાબૂ કરવી પણ મુશ્કેલ પડત. જો કે, ઓછી ભીડને કારણે સ્થાનિક તંત્ર પ્રવાસીઓને સાચવી શક્યા છે અને શાંતિ પૂર્ણ હોળી-ધુળેટીના તહેવારે પ્રવાસીઓ મોજ માણીને ગયા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના 1 લાખ પ્રવાસીઓ લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય છે. જો કે, આ લક્ષ્યને એક ટાર્ગેટના રૂપમાં પણ જોઈ શકાય.

વે ગરમીની સિઝન ચાલુ થઈ છે. તો બીજી બાજુ કોરોના પણ વધી રહ્યો છે. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યા ઓછી થઇ ગઈ છે. લોકો એક વાર આવે તો બીજી વાર આવવાનું પણ પસંદ કરતાં નથી. આમ હવે પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 21મી માર્ચે 2000 પ્રવાસીઓ, 22મી માર્ચે 1152 પ્રવાસીઓ, 23મી માર્ચે 1200 પ્રવાસીઓ, 24મી માર્ચે 1800 પ્રવાસીઓ, 25મી માર્ચે 3200 પ્રવાસીઓ, 26મી માર્ચે 2800 પ્રવાસીઓ, 27મી માર્ચે 2000 પ્રવાસીઓ, જ્યારે રવિવારે 28મી માર્ચે 4000 પ્રવાસી નોંધાયા છે.

ધુળેટીના દિવસે જે સૌથી વધુ પ્રવાસીઓની અપેક્ષા હતી તેના કરતાં માત્ર 7,200 પ્રવાસી નોંધાયા છે. આમ મહત્ત્વના બે દિવસમાં માત્ર 11,200 પ્રવાસી નોંધાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેર વચ્ચે સોમવારે રજા હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો પરંતુ નર્મદા જિલ્લામાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતાં તંત્ર દોડતું થઇ ગયું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top