Halol

હાલોલના વાઘવાણી ગામે પારિવારિક ઝગડો મારામારીમાં ફેરવાયો , એક ઇસમનું સારવાર દરમ્યાન મોત

હાલોલ:
હાલોલ તાલુકાના વાઘવાણી ગામે ગત રાતે પારિવારિક ઝગડો મારા મારી ફેરવાયો હતો. જેમાં એક ઇસમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપો કરતા હાલોલ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટર દ્વવારા પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસ વર્તુળ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના વાઘવાણી ગામે ગત ગુરુવારે રાત્રે ગામ માં રહેતા દિલીપસિંહ માધવસિંહ પરમાર પોતાના ઘરે હતા. ત્યારે તેમના કુટુંબી પ્રવીણસિંહ ઉદેસિંહ, તેમજ તેમનો પુત્ર અલ્પેશ પ્રવિણસિંહ અને અલ્પેશનો સાળો રાજેન્દ્રસિંહ દિલીપસિંહના ઘરે જઈ માં બેનની ગાળો બોલી બોલાચાલી ઝગડો કરી ઝપાઝપી કરતા સામાન્ય બોલાચાલી માંથી ઝગડો ઉગ્ર બની જતા આરોપીઓએ દિલીપસિંહ ને છાતીના ભાગે ગેબી માર મારતા દિલીપસિંહ નીચે પડી ગયા હતા. ઝગડાને લઇ ગામ લોકો દોડી આવ્યા હતા. અને ત્યારબાદ તેમને સારવાર અર્થે હાલોલ ખાનગી હોસ્પિટલમાં લાઈગયા હતા. ત્યારબાદ તેઓ ને હાલોલ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. જેને લઇ દિલીપસિંહ પરમારના પરિવારજનોએ હાલોલ ગ્રામ્ય પોલીસને જાણ કરી કે ઝગડામાં આરોપીઓએ ઘરમાં ઘુસી લોખંડની પાઈપ અને સળીયા થી માર મારતા તેઓ ઇજાગ્રત થયા હતા જેને કારણે તેમનું મોત નીપજ્યું હૉવાનું જણાવતા પોલીસે પ્રાથમિક તપાસ બાદ અકસ્માત મોતનો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટર દ્વવારા પીએમ કરાવી વધુ તપાસ હાથધરી છે.

હવે દિલીપસિંહ નું મોત કાયા કારણોસર થયું છે તે પોસ્ટ મોટામ રિપોર્ટ બાદ તેમજ પોલીસ તપાસ માં બહાર આવે તેમ છે. જોકે હાલોલના વાઘવાની ગામે એકજ પરિવારના લોકો વચ્ચે થયેલા સામાન્ય બોલાચાલી બાદ થયેલ મારા મારીને લઇ નાનકડા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો આવ્યો હતો.

Most Popular

To Top