Vadodara

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કમ ટીમના કોચ અંશુમન ગાયકવાડનું નિધન…


ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કોચ અંશુમન ગાયકવાડનું વડોદરા શહેરના એલેમ્બિક ગોરવા રોડ ખાતે આવેલ ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે દુઃખદ નિધન થયેલ છે. 71 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને હવે અલવિદા કહી દીધેલ છે. કેન્સરની સારવાર માટે લંડન ગયા બાદ સારવાર ચાલુ રાખવા માટે તેઓ વડોદરા પાછા આવ્યા હતા.

અંશુમન ગાયકવાડ 22 વર્ષની કારકિર્દીમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે 40 ટેસ્ટ મેચ અને 15 વનડે મેચ રમ્યા હતા અને સાથે જ 205 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા. વર્ષ 1997 થી 1999 સુધી તે ભારતીય ક્રિકેટ ટીમના કોચ રહ્યા હતા.

Most Popular

To Top