Vadodara

ડો. શરદ પટેલ વિધામંદિર પુનિયાદના સેવા નિવૃત્ત આચાર્યનો વિદાય સમારંભ યોજાયો



શિનોર: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પુનિયાદની ડો.શરદ પટેલ વિધા મંદિરના સેવા નિવૃત્ત આચાર્ય ભરત પટેલ આજે શાળામાંથી સેવા નિવૃત્ત થતાં શાળા સંચાલકો ધ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો .
જાણવા મળ્યાં મુજબ શિનોર તાલુકાના પુનિયાદ ખાતે શ્રી નવચેતન કેળવણી મંડળ સંચાલિત ડો.શરદ પટેલ વિધા મંદિરના આચાર્ય સેવા નિવૃત્ત થતાં શ્રી નવચેતન કેળવણી મંડળ ના પ્રમુખ સંજયભાઈ પટેલ , શિનોર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પટેલ તથા પુનિયાદ ગામ ના અગ્રણી મહેશ પટેલ સાથે શાળા ના શિક્ષક ગણ , કર્મચારીઓ અને ગ્રામજનો સાથે શાળાના પૂર્વ અને હાલ અભ્યાસ કરતાં વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં. શાળા સંચાલક ધ્વારા આચાર્ય ભરતભાઇ પટેલ ની શિક્ષણ સાથે ની વફાદારી અને નિયમિતતા ના વખાણ કરી સેવા બિરદાવી હતી અને શાળા સંચાલક મંડળ ધ્વારા નિવૃત્ત આચાર્ય ભરતભાઇ પટેલ નું નિવૃત્તી મય જીવન ખુશહાલ રહે અને મંડળ અને આચાર્ય બંને એ એકબીજા ને મદદ વિનંતી કરી હતી નિવૃત્ત આચાર્ય ભરતભાઇ પટેલે શાળા સંચાલક મંડળે આપેલ સાથ સહકાર ને બિરદાવી હતી..

Most Popular

To Top