SURAT

સુરતના હીરા ઉદ્યોગકારે રામલલ્લાને અર્પણ કરી અનોખી ભેંટ, યુગો સુધી પ્રભુ સાથે રહેશે

સુરત(Surat): અયોધ્યામાં (Ayodhya) રામલલ્લાની (Ramlala) પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે સુરતના લેબગ્રોન ડાયમંડ (LabgrownDiamond) ઉત્પાદકે મુકુટ (Mukut) આપવાની જાહેરાત કરી હતી. હવે આ મુકુટ રામલલ્લાને અર્પણ કરવામાં આવ્યું છે. વસંતપંચમીના દિવસે 350 કેરેટ લેબગ્રોન ડાયમંડથી શણગારાયેલું મુકુટે રામલલ્લાની મૂર્તિની શોભા વધારી હતી.

સુરતની ગ્રીનલેબ ડાયમંડ કંપનીમાં આ લેબગ્રોન ડાયમંડમાંથી મુકુટ બનાવાયું છે. વસંત પંચમીના દિવસે મુકુટ રામમંદિરના ટ્રસ્ટીઓને ભેંટ સ્વરૂપે આપતી વખતે કંપનીના ચેરમેન મુકેશ પટેલે કહ્યું હતું કે, રામલલ્લાને ગ્રીનલેબ ડાયમંડ તરફથી આ ભેંટ આપવામાં આવી છે. હવે આ મુકુટ યુગો સુધી રામલલ્લા સાથે રહેશે. આ અત્યંત આનંદ અને ભગવાન પ્રત્યેની ભક્તિની ક્ષણ રહી છે. આપણે આવા પવિત્ર પ્રસંગમાં ફાળો આપતા રહીએ.

મુકેશ પટેલે વધુમાં કહ્યું કે, પ્રભુ શ્રી રામ માટે ભવ્ય મુકુટની રચના કરવાની તક મળી તે સન્માનથી વિશેષ છે. સદીઓના અતૂટ રાષ્ટ્રીય ઉત્સાહ અને સામૂહિક દ્રઢતા પછી પ્રભુ શ્રી રામના મંદિરનું નિર્માણ કરવાનું સ્વપ્ન આખરે સાકાર થયું છે.

મુકુટ કારીગીરી અને પર્યાવરણીય ચેતનાના શિખરનું પ્રતિક
મુકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, ગ્રીનલેબ ડાયમંડના કારીગરો દ્વારા આદર અને ચોકસાઈથી તૈયાર કરાયેલું આ મુકુટ કારીગરી અને પર્યાવરણીય ચેતનાના શિખરનું પ્રતીક છે. 4000 ગ્રામનું ગોલ્ડ મુકુટ એક શ્રેષ્ઠ કૃતિ છે. તેમાં 350 કેરેટ હીરા, 450 કેરેટ રત્નો અને 650 કેરેટ મોતી જડવામાં આવ્યા છે. આ તમામ ધાતુ, રત્નો પર્યાવરણને નુકસાન કર્યા વિના નૈતિક રીતે મેળવવામાં આવ્યા છે.

આ મુકુટમાં લેબોરેટરીમાં ઉત્પાદિત ગ્રીન ડાયમંડનો ઉપયોગ કરાયો છે. જે પર્યાવરણ પ્રત્યેની અમારી જવાબદારીને પ્રતિબિંબિત કરે છે. જવાબદાર ઉત્પાદન પ્રથાઓ પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા જાળવી રાખીને આ સમૃદ્ધિનું પ્રતીક છે. જેમ મુકુટ દેવતાની કૃપા કરે છે, તે પરંપરા અને નવીનતા, આદર અને જવાબદારીના દીવાદાંડી તરીકે કામ કરે છે. તેની સુંદરતા સમયને પાર કરે છે, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને ભક્તિની ટેપેસ્ટ્રીમાં એકસાથે વણાટ કરે છે.

Most Popular

To Top