Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 80 કેસ : વધુ બેના મોત

રાજ્યમાં કોરોના કેસ હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે, સાથે મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા વધુ 80 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા અને અરવલ્લીમાં એક-એક દર્દીનું મૃત્યુ સાથે રાજ્યમાં મૃત્યુઆંક 10,064 થયો છે. શુક્રવારે અમદાવાદ મનપા 15, સુરત મનપામાં 18, સુરત ગ્રામ્યમા 03, વડોદરા મનપામાં 04, વડોદરા ગ્રામ્ય 04, રાજકોટ મનપામાં 04, વલસાડમાં 03, અમરેલીમાં 5, અને નવસારીમાં 2 નવા દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 2,644 થઈ છે.

10 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, અને 2,634 દર્દીઓ સ્ટેબલ છે. આજે 228 દર્દીઓ સાજા થયા છે. શુક્રવારે 18 થી 45 વર્ષ સુધીના 1,24,526 વ્યકિતઓને પ્રથમ ડોઝ , 3,906ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 48,568 વ્યક્તિને પ્રથમ ડોઝ, 44,463 વ્યક્તિને બીજો ડોઝ, જ્યારે 136 હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસને પ્રથમ ડોઝ અને 7,197ને બીજો ડોઝ અપાયો હતો. આમ કુલ 2,48,796 વ્યક્તિને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 2,62,11,578 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top