Business

મોદી 3.0 માં  જિલ્લાની લોકોની  સરકાર પાસે આશા-અપેક્ષા જાણવા વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ

  • શહેર કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર-2024 ની પત્રકાર પરિષદ યોજાઈ
  • વડોદરા જિલ્લા ભાજપા પ્રભારી ગોરધન ઝડફિયાએ લોકોને સૂચનો આપવા અપીલ કરી 

વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી હેઠળ  જિલ્લામાં પ્રજાના ભાજપ સરકાર પાસે આશા અપેક્ષા અને સૂચનો જાણવા શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદનું શહેર ભાજપા  કાર્યાલય ખાતે આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાના પ્રભારી ગોરધન ઝડફિયાએ માહિતી આપી હતી. 

શહેર  કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 ની પત્રકાર પરિષદ પૂર્વ ગૃહમંત્રી અને  પ્રભારી ગોરધન ઝડફિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં સાંસદ રંજનબહેન ભટ્ટ , જિલ્લા પ્રમુખ સતીશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, સહીત સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અંગે ગોરધન ઝડફિયાએ ચિતાર આપ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ 26 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્તરે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ કરાવ્યો હતો. જેમાં દેશના એક કરોડ લોકોના ત્રીજી વખત બનનારી મોદી સરકાર પાસે શું અપેક્ષા સૂચનો છે તે એકત્ર કરી સંકલિત કરાશે.  ભાજપ મોદી સરકાર 2024 ના તેઓના ચૂંટણી  ઘોષણા પત્રો જાહેર કરશે અને ત્રીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ 5 વર્ષમાં તેને પુરા કરવા કાર્યરત રહેશે. ગુજરાતમાં આ અભિયાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આરંભ કરાવ્યો હતો. જેમાં 15 લાખ પ્રજાના સૂચનો એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. શહેર –  જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્રનો પ્રારંભ કરવતા ઝડફિયાએ LED રથ, સૂચનો મોકલવા 9090902024 નંબર, જાહેર સ્થળોએ સૂચન પેટીઓ તેમજ ઇમેઇલ વિષે માહિતી આપી હતી.  ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે હાલ સુધીમાં મોદી સરકારે જે જે કામો અંગેનો સંકલ્પ કર્યો છે તે પૈકી 95 ટકા કામો પૂર્ણ કાર્ય છે. ત્યારે હવે લોકોની આશા અપેક્ષાઓ પરિપૂર્ણ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 

Most Popular

To Top