મોંઘવારીએ માઝા મૂકી છે. તો બચત ક્યાંથી થઈ શકે? વર્તમાન સમયનું સર્વસ્વીકાર્ય સત્ય છે અને સૌથી વધુ અસર મધ્યમવર્ગીય માનવી આ મોંઘવારીનો માર સહન કરે છે! જ્યાં શિક્ષણ પાછળ જ અનહદ ખર્ચ થતો હોય તો આજનું યુગલ બીજા સંતાન માટે કેવી રીતે વિચારી શકે? એક સંતાન પાછળ હજારો રૂપિયાનો ખર્ચ થતો હોય તો બીજું સંતાન પણ ખર્ચાળ જ નિવડે ને? અને બાળક જેમ જેમ મોટું થાય તેમ અન્ય ખર્ચ પણ વધતો જાય. આજના હરીફાઈયુગમાં સ્કૂલ ફી, ટ્યુશન ફી, કપડાં લત્તા, ખીસા ખર્ચી, વાહનોમાં ઈંધણનાં ખર્ચા વિ. અનેક ખર્ચા વાલીઓએ સંતાનો માટે કરવાના હોય છે. એડમિશન ખર્ચ કઈ રીતે ભૂલી શકાય? ધનવાન વર્ગને નાણાંકીય ચિંતા કદાચિત ન સતાવતી હોય પણ મધ્યમવર્ગીય યુગલ બીજા સંતાન માટે ચિંતાનો વિષય બની જાય છે. પહેલાંના સમયમાં પાંચ-છ સંતાનો સોંઘવારીમાં અવશ્ય ઉછરી જતાં પણ હવે એ બિલકુલ શક્ય નથી. માનસિક રીતે પણ વધુ સંતાનો સહન થઈ શકતાં નથી. હાઈપર એક્ટિવ સંતાન માતાપિતા માટે ચિંતાનો વિષય બની જાય છે. પણ બીજું સંતાન કે ત્રીજું સંતાન ન લાવવા માટે મોંઘવારીનો માર વધુ જવાબદાર છે.
સુરત -નેહા શાહ આ લેખમાં લખેલ વિચારો લેખકના પોતાના છે.