Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 417

Top News

More Posts

   The Latest

Most Popular


તાઉતે વાવાઝોડુ ઉત્તર ગુજરાતમાંથી મંગળવારે મોડી રાત્રે રાજસ્થાન તરફ સરકી ગયું હતું. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં ધીરે ધીરે તાઉતેના વાદળો વિખેરાઈ ગયા હતા એટલું જ નહીં આકાશ સ્વચ્છ બની ગયું હતું. જો કે તેની અસર હેઠળ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૨૬ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં ખેડાના નડિયાદમાં ૯ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ ક્હ્યું હતું કે રાજ્યમાં ૨૨૬ તાલુકાઓમાં વરસાદ થયો હતો જેમાં નડિયાદમાં ૯ ઈંચ, ગીર ગઢડામાં ૭.૪ ઈંચ, ઉનામાં ૭ ઈંચ, ભાવનગરમાં ૬.૫ ઈંચ, ખેડાના મહુધામાં ૬.૫ ઈંચ , આણંદમાં ૬.૩ ઈંચ, ઉમરગામમાં ૬ ઈંચ, માતરમાં ૬ ઈંચ, પારડીમાં ૫.૭ ઈંચ, ખંભાતમાં ૫.૨ ઈંચ, ખેડામાં ૫ ઈંચ, તારાપુરમાં ૫ ઈંચ, વસોમાં ૫ ઈંચ, સુરત સિટીમાં ૫ ઈંચ, ઓલપાડમાં ૪.૭ ઈંચ, મહેમદાવાદમાં ૪.૭ ઈંચ, ખેરગામમાં ૪.૬ ઈંચ, ધનસુરામાં ૪.૬ ઈંચ, જલાલપોરમાં ૪.૪ ઈંચ, સોજીત્રામાં ૪.૪ ઈંચ, કઠલાલમાં ૪ ઈંચ, રાજુલામાં ૪ ઈંચ, પ્રાંતીજમાં ૪ ઈંચ અને હિંમતનગરમાં ૪ ઈંચ વરસાદ થયો હતો. આમ ૨૪ તાલુકાઓમાં ૪થી ૯ ઈંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત ૧૧૫ તાલુકાઓમાં ૧થી ૪ ઈંચ વરસાદ થયો હતો.

To Top