નવસારી: (Navsari) નવસારી સિવિલ હોસ્પિટલોમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ (Patient) માટે માત્ર 8 બેડની સુવિધા સામે શરૂ કરાયેલા વોર્ડમાં એકપણ દર્દી સારવાર લઈ રહ્યા...
ભારતીય મેડિકલ એસોસિએશન (IMA) એ બાબા રામદેવને પડકાર્યા (CHALLENGE TO BABA RAMDEV) છે. આઈએમએ ઉત્તરાખંડ (UTTRAKHAND)એ બાબા રામદેવને એલોપથીની હોસ્પિટલો (ALLOPATHY HOSPITAL)માં સારવાર...
ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (Gujarat Public Service Commission) દ્વારા જીપીએસસી (GPSC Class I & II) ક્લાસ 1 અને 2 ની પ્રાથમિક...
સુરત : પેટ્રોલ-ડીઝલ (PETROL-DIESEL), ખાતર, જંતુનાશક દવાઓના વધેલા ભાવ વચ્ચે સુરત શહેર જિલ્લામાં તાજેતરમાં તૌકતે વાવાઝોડા (CYCLONE TAUKTAE)ને લીધે સુરત જિલ્લા (SURAT...
સુરત: કોરોના સંક્રમણની પ્રથમ લહેર (CORONA FIRST WAVE) પછી બીજી લહેર (SECOND WAVE) પણ આક્રમક રહેતાં કાપડના વેપાર (CLOTHE MARKET)ને સૌથી વધુ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનની બાકીની મેચ યુએઈમાં રમાશે. શનિવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ની વિશેષ સામાન્ય સભામાં (SGM) આ...
સુરત (surat) ઉધના (udhna) વિસ્તારમાં એક જર્જરિત એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરી ધડાકાભેર તુટી (Gallery collapse) પડતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે...
કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા કાલોલ તળાવનું પાણી કાલોલ પોલીસ સ્ટેશનની સામે આવેલી તલાવડીમાં નાખવા માટે ની પાઈપ લાઈન માટેનું કામ થઈ રહ્યું...
દાહોદ: ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં પોલીસ સ્ટેશન રોડ પર રોડને અડીને આવેલ જમીન ઘરવિહોણા ઈસમને મકાનના બાંધકામ માટે જમીનની ફાળવણી...
કાલોલ: કાલોલ તાલુકાના ઘુસર પંથકમાં બેફામ રેતીખનન થઈ રહી હતી અને આ અંગેની વ્યાપક ફરિયાદો મળતી હતી ઘુસર, સુરેલી તેમજ ભૈરવ ની...
દાહોદ: દાહોદ જિલ્લામાં રેન્જ આઈ.જીની સરપ્રાઈઝ ચેકિંગ બાદ દાહોદ જિલ્લામાં પોલીસ હરકતમાં આવી છે અને દાહોદ,લીમડી, લીમખેડા, ઝાલોદની રેન્જ આઈ.જી દ્વારા...
શહેરા: શહેરા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમા આપવામા આવતા ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા હોવાના આક્ષેપ સાથે કાર્ડધારક એ પુરવઠા વિભાગમા ફરીયાદ કરતા...
મોબાઈલ એ હવે આપણા જીવનનું અંગ બની ગયો છે. પ્રધાન મંત્રીથી માંડીને પટાવાળા સુધી અને બાર વરસના બાળકથી શરૂ કરી બાણુ વરસના...
મહાત્મા ગાંધીજીનું સૂત્ર છે ‘સત્ય એ જ પરમેશ્વર.’ કોઇ પણ સામાજિક, રાજકીય કે આર્થિક બાબતમાં સત્યને સાબિત કરવાની જરૂર રહેતી નથી જયારે...
બે–ચાર દિવસ પહેલાનાં ગુજરાતમિત્રમાં સમાચાર વાંચવા મળ્યા કે ટાટા સ્ટીલની મેનેજમેન્ટે કોરોનાને કારણે મોતને ભેટેલ કર્મચારીઓના જીવીત કુટુંબીજનોને ૬૦ વર્ષની ઉંમર સુઘી...
વડોદરા: દેશભરના મેડિકલ ક્ષેત્રે લાંછનરૂપ મનાતા ધિરજ હોસ્પિટલના સંચાલકોએ જવાબ આપવા વધુ દસ દિવસની મુદ્દત માંગતાં સીડીએચઓએ મંજૂરી આપી દીધી હતી. મુદ્દત...
મનની સ્થિરતા જરૂરી છે. શારીરિક કાર્યોથી થાક લાગે તો માનવી આરામ કરે પછી થાક ઉતરી જાય છે. મનોમંથન કરી માનવી અનેક વિચારો...
કોરોનાનો પહેલો વેવ શરૂ થયો ત્યારથી આજદીન સુધી સુરતના અને ગ્રામ્ય વિસ્તારના જનરલ પ્રેકિટશનરો શહેરના અને ગ્રામ્ય વિસ્તારના લોકોની મેડિકલ ટ્રીટમેન્ટ ખંતથી...
‘એક કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. આજે આ ભૂલ એટલે શું તે વિષે સમજીએ.’ ગુરુજીએ પ્રાર્થના પછી વાત શરૂ કરી.ગુરુજી...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 464 દર્દી શહેરમાં નોંધાયા હતા. જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 67,828 ઉપર પહોંચ્યો છે. જ્યારે શુક્રવારે...
કોરોનાનો કપરો સમય હજી પૂરો થયો નથી,ક્યારે પૂરો થશે એ પણ ખબર નથી એવામાં તૌકતે વાવાઝોડાએ ગુજરાતના સૌરાષ્ટ્રમાં એવો ઝંઝાવાત ફેલાવ્યો કે...
વડોદરા: ધી કોડ ઓફ ક્રિમીનલ પ્રોસીજર 1973 ની કલમ 133 હેઠળ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં જાણીબુઝીને ગંદા મળમૂત્ર વાળા પ્રદૂષિત...
વડોદરા: શિક્ષણ વિભાગ દ્વારા મહામારીને પગલે ધોરણ 1 થી 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હોઈ હવે 7મી...
અલીગઢ (Aligadh)માં ઝેરી દારૂ (poisonous alcohol)ના સેવનથી મધરાત સુધી લોકો મરી (people gone dead) રહ્યા હતા. રાત્રે 3 વાગ્યા સુધીમાં, મૃત્યુઆંક 28 (28...
સ્વૈરવિહારી ડો. સુબ્રમણ્યમ સ્વામી એકલે હાથે રાજકીય લડાઇ લડવામાં માનતા હોવા છતાં અને ‘વન મેન આર્મી’ હોવા છતાં અત્યારે ભારતીય જનતા પક્ષના...
ભૂતકાળમાં જેવી રીતે વેપારીવૃત્તિથી બ્રિટને આખા વિશ્વમાં પગદંડો જમાવી દીધો હતો તેવી જ રીતે હવે ચીન પણ આખા વિશ્વને પોતાના વર્ચસ્વ હેઠળ...
વડોદરા: વડોદરા જીલ્લાના ડેસર તાલુકામાં આવેલા કોઠારા ગામે ત્રણ હવસખોર નરાધમો દ્વારા સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદને પગલે ડેસર પંથકમાં...
અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-રના પ્રથમ તબક્કાના ડફનાળાથી આ બજાર સુધીના રૂ. ૯પ કરોડના કામોનું ઇ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી...
કોરોનાની મહામારીમાં તમામ વેક્સિન, મેડિકલના સાધનો તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો સલામત રીતે લોડિંગ થાય અને તેના મૂળ સ્થાને સમયસર પહોંચે તે...
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 26.38 કરોડના ખર્ચે 26 એમ્બ્યુલન્સ ખરીદીને તેને કચ્છથી જાંગ સુધી સેવામાં જોડી દેવામાં આવી છે ત્યારે હવે કોરોનાની...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
નવસારી: (Navsari) નવસારી સિવિલ હોસ્પિટલોમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ (Patient) માટે માત્ર 8 બેડની સુવિધા સામે શરૂ કરાયેલા વોર્ડમાં એકપણ દર્દી સારવાર લઈ રહ્યા નહીં હોવાથી મ્યુકરમાઇકોસિસનો વોર્ડ શોભાના ગાંઠિયા સમાન છે. નવસારી જિલ્લામાં મ્યુકરમાઇકોસિસના 28 દર્દી નોંધાયા છે. જિલ્લામાં કોરોનાના કેસો સાથે મ્યુકરમાઇકોસિસ રોગ પણ માથું ઉંચકી રહ્યો હતો. ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલમાં તે માટે વોર્ડ શરૂ કરવામાં આવ્યો ન હતો. જેથી મ્યુકરમાઇકોસિસના દર્દીઓ સુરત અને વલસાડ જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર (Hospital Treatment) લઈ રહ્યા છે. જોકે ત્યારબાદ નવસારી સિવિલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરાયો હતો. પરંતુ તે પણ માત્ર 8 બેડની સુવિધા સાથે સરકારે 75 ઇન્જેક્શનો ફાળવ્યા હતા. વોર્ડ શરૂ કરાયો તે પહેલા જ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ અન્ય હોસ્પિટલોમાં તેમનો ઈલાજ કરાવી રહ્યા છે. 2 કે 3 દર્દીઓ તો નવસારીની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે શરૂ કરાયેલો મ્યુકરમાઇકોસિસ વોર્ડ શોભાના ગાંઠિયા સમાન છે.

જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો હતો. ત્યારે સરકારે તમામ ડોક્ટરોને કોરોના દર્દીઓની સારવાર કરવા માટે જણાવ્યું હતું. જેથી ડોકટરો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. પરંતુ મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સારવાર માટે સર્જન ડોકટરની જરૂર હોય છે. ત્યારે લોકો લાખોના ખર્ચે ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોના સર્જનની ફી પણ લાખ્ખો રૂપિયા હોય છે. આ મ્યુકરમાઇકોસિસ રોગ કોરોના થયેલા દર્દીઓમાં વધુ જોવા મળે છે. જેથી કોરોના દર્દીઓ પહેલા કોરોનાથી બચવા માટે લાખ્ખો રૂપિયા ખર્ચી સાજા થયા હતા. ત્યારે હવે મ્યુકરમાઇકોસિસના રોગ સામે લડવા માટે પણ દર્દીઓ લાખ્ખો રૂપિયા ખર્ચી રહ્યા છે.

જેથી હમણાં દર્દીઓની હાલત દાઝેલા પર મીઠું ચોપડવા જેવી છે. જોકે આ મ્યુકરમાઇકોસિસની સારવાર લાંબો સમય સુધી કરાવવી પડતી હોવાથી મધ્યમ વર્ગના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાનું વિચારી પણ શકતા ન હોય.
બીજી તરફ નવસારી સિવિલમાં સર્જન પણ નહીં હોવાથી ખાનગી સર્જન ડોકટરો સિવિલમાં દર્દીઓની મુલાકાત લેવા જાય છે. ત્યારે મ્યુકરમાઇકોસિસના દર્દીઓ નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે વિચારી રહ્યા છે. ગુજરાત સરકારે નવસારી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓનો વોર્ડ મોટો કરી વધુ બેડની સુવિધા કરે સાથે જ સર્જનની પણ નિમણુંક કરે એ જરૂરી છે.
બહારથી સર્જનો વિઝીટ કરવા આવે છે : આરએમઓ
નવસારી સિવિલ હોસ્પિટલના આરએમઓ કિરણ શાહે જણાવ્યું હતું કે, નવસારી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસનો એકપણ દર્દી દાખલ નથી. જોકે બહારથી સર્જનો આવી દર્દીઓની વિઝીટ કરતા હોય છે.