કોરોના કાળમાં ઘણાં પરિવારો એક થયાં તો ક્યાંક પરિવારો તૂટ્યાં. જેમણે આ કપરા કાળનો બદલાવ સ્વીકાર્યો તેઓ જીત્યા. આમ તો સપ્તાહના સાત...
પેટ્રોલ તોફાની બન્યું છે, પણ કોઇને એનો રંજ નથી. બે મહિનામાં લગભગ 10 રૂ. પેટ્રોલ અને 9 રૂ. ડિઝલના ભાવ વધ્યા છે....
શહેરો-ગામોને હરિયાળાં બનાવવાં હોય તો નાગરિકોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વૃક્ષોનો મહિમા અપાર છે. વૃક્ષો વાદળોને ખેંચી લાવી વધુ વરસાદ...
દિલીપકુમારના સંતાન વિશે વરિષ્ઠ ચર્ચાપત્રીઓએ જે વાત જણાવી છે તે ખોટી છે. દિલીપકુમારે સાયરા સાથે 1966 માં લગ્ન કર્યાં હતાં. તે વખતે...
મફત અનાજની બોરીઓ પર પક્ષના અને દેશના ટોચના પ્રભાવશાળી નેતાનો મોટો ફોટો પક્ષના પ્રતીક સહિત છાપવાની પ્રદેશ સંગઠનો-એકમોને સૂચના આપવી, કોરોનાના કપરા...
ધીરુ મેરાઇએ તેમના પત્રમાં ધર્મ જ નહિ, વિજ્ઞાન પણ ધંધો બની રહયું છે એવો ઉલ્લેખ કરતાં લખ્યું છે વાત જીવતાં શીખવાની છે...
ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું અને મનુષ્યનું સર્જન કરી તેને સૃષ્ટિમાં અનેક રીતે ખુશીઓથી ભરેલો ખજાનો ઉપહાર તરીકે આપ્યો.પરંતુ મનુષ્ય ભગવાને આપેલા...
લોકપ્રિય શો બાલિકા વધુ (Balika vadhu) સહિતના ઘણા મોટા શો અને ફિલ્મોમાં ભાગ લેનાર પીઢ અભિનેત્રી સુરેખા સિકરી (Surekha sikri)નું 75 વર્ષની...
વડોદરામાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા યુવાનો પિકનીક પર ગયા અને દુર્ઘટના બની, જેમાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં. થોડા સમય પહેલાં અમદાવાદમાં રાત્રે ગાડી...
ભીમા કોરેગાંવ કેસમાં જામીન આપવાનો ઇન્કાર થયા પછી થોડા દિવસ પહેલાં મૃત્યુ પામેલા સ્ટેન સ્વામી એક તામિળ પાદરી હતા, જેણે ઝારખંડમાં આદિવાસીઓ...
સુરત : હાલ સુરતમાં ભાજપમાંથી આપમાં નેતાઓ દ્વારા પ્રયાણ કરવાની મોસમ ચાલી હતી, ત્યારે હવે કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા...
દેશનું બુદ્ધિધન વિદેશોમાં ઘસડાઇ જતું હોવાની ચર્ચા તો ઘણી વખત થાય છે પણ દેશના અતિ ધનવાન વર્ગમાંથી પણ નોંધપાત્ર સંખ્યામાં લોકો વિદેશોમાં...
આણંદ: માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નવનિર્મિત ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી ગાંધીનગર-વારાણસી નવીન પ્રારંભ થનાર ટ્રેનને તા. ૧૬/૭/૨૦૨૧ના રોજ દિલ્હીથી વર્ચ્યુઅલ લીલી ઝંડી...
આણંદ: જિલ્લા પ્રભારી અને કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારે જિલ્લા આયોજન મંડળને મોકલવામાં આવતી દરખાસ્તો સરકારની ગાઇડલાઇન મુજબ જ રજૂ કરવામાં આવે...
હાલોલ: ઘોઘંબા તાલુકાના એક ગામમાં રહેતા બે સગીર યુવક અને સગીર યુવતીએ ગામ નજીક કોઈક અગમ્યકારણોસર ઝાડ પર એક સાથે ફાંસો ખાઈને...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરણીત મહીલા પર થયેલ અત્યાચારના બનાવના પડઘા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં પડી રહ્યા...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા 46 પ્લોટ વનીકરણ કરવા માટે સંસ્થાઓને આપવામાં આવ્યા હતા. જેમાં 36 પ્લોટનું રીન્યુ કરવામાં આવ્યું નથી. જ્યારે નેતાઓ...
સુરત : એચઆઇવી (HIV), કેન્સર (Cancer), બ્લડપ્રેશર, ડાયાબિટિસ સહિતની બિમારીઓને લઇને લોકો સતત ચિંતામાં રહેતા હોય છે, તેમાં પણ જ્યારે કોરોના (Corona)...
વડોદરા : રાજ્યના માધ્યિમક તેમજ ઉચ્ચતર માધ્યિમક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ના રિપટર ખાનગી અને પૃથ્થક વિધાર્થીઓની લેખીત પરીક્ષા લેવાનું આયોજન...
વડોદરા: રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ૧પમી જૂલાઇથી પ૦ ટકા ક્ષમતા સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાના નિર્ણયને પગલે શાળાઓએ તૈયારી રાખી હતી. પરંતુ...
વડોદરા : રાષ્ટ્રીય આદિવાસી એકતા પરીષદ એ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસીઓ પર થતા અન્યાય અને અત્યાચારના વિરોધમાં...
સુરત: ગાર્નેટ કોઇન (Garnet coin)ના મુખ્ય આરોપીઓનાં જામીન થઇ ચૂક્યાં છે. તેમાં ગાર્નેટ કોઇનનો મુખ્ય માસ્ટર બ્રેઇન (Master mind) ભાવિક કોરાટ હાલમાં...
વડોદરા: રાજય સરકાર દ્વારા એકેડેમિક પ્રોગ્રેશનના આધારે માસ પ્રમોશન આપવાનો નિર્ણય બે વાત યુનિવર્સિટીના બધાજ વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં લઇ જવામાં આવ્યા છે....
વડોદરા: શહેરના ભૂતડીઝાંપા ખાતે શુક્રવારી બજાર ભરાય છે. છેલ્લા બે વર્ષથી શુક્રવારી બજાર કોરો ના કારણે બંધ કરવામાં આવ્યું હતું. આજે પથ્થરવાળા...
વડોદરા: વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં મહાનગરપાલિકા દ્વારા બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદથી કાચબા મૃત હાલતમાં મળી આવવાનો સીલસીલો શરૂ થયૌ...
સુરત: સુરત મહાનગર પાલિકા (SMC)ની હદમાં અને શહેરી વિસ્તારમાં જીએસટી રજિસ્ટ્રેશન (GST Registration) વિના અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની કોઇ પણ...
માંડવી નગરમાં ઉમિયા જ્વેલર્સની દુકાન ખત્રીવાડ ફળિયા ખાતે ધર્મવીર અમૃતલાલ અખિયાણીયાની આવેલી છે. જેમાં સોનાના દાગીના ખરીદવા માટે બે ઈસમ આવ્યા હતા....
માંડવીના રેસ્ટ હાઉસ ખાતે એક્સપ્રેસ હાઈવેની સંપાદિત જમીનનો કબજો મેળવવા જમીન સંપાદન અધિકારી મિતેશ પટેલની અધ્યક્ષતામાં માંડવી અને માંગરોળના અસરગ્રસ્ત ખેડૂતો સાથે...
બારડોલી સહિત તાલુકાની શાળાઓમાં ગુરુવારથી ધોરણ-12ના નિયમિત ઓફલાઇન વર્ગો શરૂ થયા હતા. લગભગ 80 ટકા વાલીઓએ મંજૂરી આપતાં પાંચ મહિના બાદ ફરીથી...
દેશમાં વધી રહેલી મોંઘવારી માટે વર્તમાન સરકારને જવાબદાર ગણાવી તેના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન સર્કલથી પાંચબત્તી સુધી સાઇકલયાત્રા કાઢી...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કોરોના કાળમાં ઘણાં પરિવારો એક થયાં તો ક્યાંક પરિવારો તૂટ્યાં. જેમણે આ કપરા કાળનો બદલાવ સ્વીકાર્યો તેઓ જીત્યા. આમ તો સપ્તાહના સાત વાર છે પણ એનાથી વિશેષ વિક એન્ડ છે પરિવાર અને વ્યવહાર. કેવો પરિવાર પ્રાપ્ત કરવો એ આપણી પસંદગી નથી. એ તો ડિવાઈન ડીઝાઇન છે. પણ આપણને જે પરિવાર મળ્યો છે તેનો સ્વીકાર કરીને સદ્ વ્યવહાર કરીને જીવન જીવવું જોઈએ. જિંદગી એક મુસાફરી જેવી છે. તમારી ટીકીટ લેવાઈ ગઈ છે. ટ્રેઈન એના ગંતવ્યસ્થાને જશે જ. તમારે જાતે નક્કી કરવાનું છે કે તમારે મુસાફરી શાંતિથી કરવી છે કે લડાઈ ઝગડો કરીને પૂરી કરવી છે. પસંદગી તમારી છે. પરિવાર પ્રત્યેનો વ્યવહાર જ તમારી શાંતિ ને સુખ છે. સુખી થવું હોય તો પરિવારના સભ્યોને સ્વીકારો. જેવા છે તેવા તમારા છે. સુમેળ સાધી અનુકૂલનપૂર્વક વર્તાવ કરો. જિંદગી તમારી છે છતાં પણ તમે સ્વતંત્ર નથી. તમે પરાવલંબી છો. પતિને પત્નીનો આધાર ને બાળકોને માતાપિતાનો આધાર હોય તો જ જિંદગી જીવી શકો. પરિવારના સભ્યો સાથે સમાધાનકારી વલણ અપનાવો તો ઝગડા ક્યારેય નહિ થશે. એકબીજાને તેમની ભૂલો સાથે સ્વીકારો. સાપ જેવા બનો.
એટલે ઝેરીલા નહિ પણ સાપને ધ્યાનથી જોજો એ દરની બહાર વાંકો ચૂંકો ચાલશે, પણ જેવો દરમાં ભરાશે તેવો સીધો થઇ જશે. આ જ રીતે આપણે પણ ઘરમાં સીધા સૌહાર્દપૂર્ણ રહેવાનું. બહારના ટેન્શન પગરખાંની ભેગાં બહાર જ ઉતારીને ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. દુઃખનું કારણ કર્મનો અભાવ, સુખનું કારણ કર્મનો પ્રભાવ અને શાંતિનું કારણ પોતાનો સ્વભાવ. જિંદગીનું વ્યાકરણ સમજવા જેવું છે. સત્ય એક વચન છે, પ્રેમ દ્વિવચન છે અને કરુણા બહુવચન છે. વીતેલું દુઃખ અને ચાલતું સુખ તમારી હેસિયત નક્કી કરે છે. માટે સ્વને ઓળખીને ચાલશો તો અને વ્યવહાર સામેની વ્યક્તિને ધ્યાનમાં રાખીને કરશો તો તમારું આ અનોખું વિક એન્ડ પરિવાર અને વ્યવહારની સંગતે સુપેરે પાર પડશે. જિંદગીનું ગણિત જ એવું છે કે, દુઃખનો “દસ્તાવેજ” હોય કે સુખનું “સોગંદનામું” ધ્યાનથી જોશો તો નીચે સહી તમારી પોતાની જ હશે. સુરત – દિલીપ વી. ઘાસવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે