‘ધી ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એકટ તા. ૧-૬-૨૦૨૧ ના રોજ અમલમાં આવવાથી સાર્વજનિક એજયુકેશન સોસાયટીની સેલ્ફ ફાઇનાન્સ કે ગ્રાન્ટેડ કોલેજોના વીર નર્મદ દક્ષિણ...
નાળિયેરી પૂનમના દિવસે તાપીમાં હોડી ડૂબી જવાની દુર્ઘટનાની યાદમાં મૂળ સુરતીઓ બીજા દિવસે પડવા પર બળેવનો તહેવાર(રક્ષા બંધન)ની ઉજવણી કરે છે. સુરતી...
ઘી નો એક લોટો અને લાકડા ઉપર લાશ, થઈ થોડા કલાકમાં રાખ, બસ આટલી છે માણસની ઓકાત…એક બુઢા બાપા, સાંજે ગુજરી ગયા,પોતાની...
એક વ્યક્તિ એરપોર્ટથી બહાર નીકળીને એક ટેક્સીમાં બેસે છે.ટેક્સી સાફ અને સુંદર રીતે સજાવેલી હતી.ટેક્સીમાં પ્રવાસી માટે પાણી અને છાપાની વ્યવસ્થા હતી.યુવાન...
હિંદુ સંસ્કૃતિ અને પુરાણોમાં રક્ષાબંધનને અનેરું મહત્ત્વ અપાયું છે. એક કથા મુજબ મહાભારતમાં શિશુ પાલે ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણની ટીકા કરી. શ્રીકૃષ્ણે...
મિત્રો અને દુશ્મનો – બંને સામે ‘રાષ્ટ્રવાદ’ના આવરણ હેઠળ કામ ચલાવવાનો ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની વર્તમાન સરકારનો શોખ લાગે છે. આથી...
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવો જે ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો તે હવે દૂર થાય તેવી સંભાવના છે....
લુણાવાડા : મહીસાગર જિલ્લા મથક લુણાવાડા નગર અને તાલુકામાં વન વિભાગ પોતાની જમીન જાળવવામાં નિષ્ફળ નિવડી રહ્યો તેમ જણાઈ રહ્યું છે.જે જગ્યા...
નડિયાદ: ડાકોર-ઠાસરા રોડ પર ચાલતાં નવા ફ્લાય ઓવરબ્રિજની કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડવાથી નગરજનો ત્રણ દિવસથી પાણી માટે વલખાં...
સંતરામપુર : સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પથી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી એટલે કે સત્યસંકલ્પદાસજી સ્વામીએ 2021નું વર્ષ મુમુક્ષુ બનીએ વર્ષ તરીકે જાહેર...
દાહોદ: દાહોદ જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો છેવાડાના વ્યકિત સુધી લાભ મળે . તેવી કામગીરી...
સિંગવડ: સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જીઇબી કોન્ટ્રાક્ટર નું કામ કરતાં વિક્રમભાઈ ચૌહાણ ના ઘરના આગળના ભાગમાં એલ્યુમિનિયમના વાયર ના ત્રણ બંડલ પડ્યા...
દાહોદ: ફતેપુરા તાલુકા ના ભોજેલા ગામ આવેલ પાતાલેશ્વર મંહાદેવ મંદિર પોરાણીક,ઐતિહાસિક પ્રતિમાઓનું અખુટ ભંડાર ધરાવતુ શિવ મંદિર છે આ જગ્યા પર એક...
વડોદરા: પાદરાની અરવલ્લી કંપનીમાં સિક્યુરીટીની ફરજ બજાવતા આધેડ ઉપર ચોરીની પુછતાછના બહાને પાદરા પોલીસે પિતા-પુત્ર ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો પુત્રને ટેબલ...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ઘણા લાંબા સમય બાદ શુક્રવારે કોરોના નો એક પણ કેસ નહીં નોંધાતા...
વડોદરા: ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ૩.૫ કિલોમીટરના બ્રિજ કામગીરી હજુ બે વર્ષથી વધુ નાગરિકોને રાહ જોવી પડશે. એક બાજુ ગુજરાત પોલીસ...
વડોદરા: ગુજરાત હાઉસીંગ બોર્ડના અવાવરૂ મકાનમાં દારૂનો વેપલો કરતા બૂટલેગર પાસેથી દારૂ-બિયરના જથ્થો મળી આવતા બાપોદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો....
વડોદરા: ખાનગી કંપનીના ભૂતપૂર્વ કર્મચારી અને તેના સાગરીતે બનાવટી ચાવી વડે ખોલીને પાંચ લાખની રોકડ તફડાવીને પલાયન થઈ ગયા હતા. જવાહરનગર પોલીસે...
કેવડિયા કોલોની: કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓ ને પણ નડી રહી છે અને આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ...
ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ શાહબુદ્દીને ભારતને ધમકાવતો એક ઑડિયો મેસેજ જારી કર્યો છે. આ સંદેશામાં તેણે જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદ...
આ સમય ૨૦૨૪ની લોકસભા ચૂંટણીઓ જીતવા માટેના અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજકીય મજબૂરીઓથી ઉપર ઉઠવાનો છે એમ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ...
અંકલેશ્વર જીઆઇડીસીના જોગર્સ પાર્કથી ભરૂચ જિલ્લા યુવા ભાજપ અને બાઇસિકલ ક્લબ અંકલેશ્વરના સહયોગથી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાનીમાં સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું...
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓને પણ નડી રહી છે. આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ કરી ચાલતા જવું પડે છે. સ્ટેચ્યુ ઓફ...
સમગ્ર ભરૂચ જિલ્લામાં બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં સૌથી વધુ અરબી સમુદ્ર કિનારે હાંસોટ તાલુકામાં સવા ત્રણ ઇંચ...
ઉમરપાડાનાં જંગલોની વચ્ચે આવેલા દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. સતત વરસી રહેલ વરસાદને પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવે...
ઓલપાડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે સારી એવી નામના ધરાવતી શ્રી સાયણ ખાંડ ઉદ્યોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલ દેલાડ(સાયણ)માં ગુરુવારે બપોરે ૧:૩૦ કલાકે...
ચોમાસા દરમિયાન વરસાદે બીજા રાઉન્ડની બેટિંગ શરૂ કરતાં જ કડોદરા ચાર રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યાએ અજગર ભરડો લીધો છે. આયોજન વગરની અંદર...
સુરત શહેર પણ હવા પ્રદૂષણના મામલે દિલ્હીને ટપારી આગળ નીકળી જાય તો નવાઇ નહીં. કારણ કે, ગયા સપ્તાહમાં પ્રદૂષણ ઓકતાં જીપીસીબીની અડફેટે...
સુરત: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તે આગાહી ફરી એક વાત ખોટી ઠરી છે....
સુરતમાં આગામી દિવસોમાં બનનારા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ એટલે કે નવા રેલવે સ્ટેશનની ઊંચાઈ 121 મીટરની હશે. જેમાં 31 માળની ફાઈવ સ્ટાર...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
‘ધી ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એકટ તા. ૧-૬-૨૦૨૧ ના રોજ અમલમાં આવવાથી સાર્વજનિક એજયુકેશન સોસાયટીની સેલ્ફ ફાઇનાન્સ કે ગ્રાન્ટેડ કોલેજોના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથેનું જોડાણ રદ થયું અને તે બધી કોલેજો સાર્વજનિક યુનિવર્સિટી (પ્રાઇવેટ) કોલેજો બની તેને પગલે તેની ગ્રાન્ટેડ કોલેજોના શિક્ષકોએ સોસાયટી અને યુનિવર્સિટી સાથે ઊભો કરેલો વિવાદ મારા મતે બિનજરૂરી અને આધારહીન છે. કાયદાની જોગવાઇઓ મુજબ તેવી કોલેજોનું જોડાણ રદ થયું તે યુનિ.ની કોઇ મુનસફીની બાબત હતી નહિ. જોડાણ મટી જવાથી યુનિ. સિન્ડીકેટ, સેનેટ, બીયુટી કે એકેડેમિક કાઉન્સીલ વિ.માં ગ્રાન્ટેડ કોલેજોના શિક્ષકોનું સભ્યપદ મટી જાય તે પરિણામ છે.
એફીલીએશન અને કોલેજોની ગ્રાંટ સાથે કોઇ લેવાદેવા નથી. એફીલીએશન કોલેજ અને યુનિ. વચ્ચેની બાબત છે. જયારે કોઇ કોલેજની ગ્રાંટ ઇન એઇડ કોલેજ બનાવવી કે નહિ કે તેની અપાતી ગ્રાંટ બંધ કરવી કે તેમાં કાપ મૂકવો તે સરકારની મુનસફી પર આધારિત છે. સરકારે સાર્વજનિક યુનિવર્સિટીને કે જે તે કોલેજના વડાને જે તે કોલેજનું એફીલીએશન મટી ગયા પછી હવે ગ્રાંટ મળશે નહિ તેવું કંઇ જ જણાવ્યું નથી. એથી ઉલ્ટું સાર્વજનિક યુનિવર્સિટી બન્યા પછી પણ જૂન તથા જુલાઇનો શિક્ષકોનો પગાર તેઓને સરકાર તરફથી મળ્યો છે. એટલે તેવા શિક્ષકો માટે તો વિવાદ ઊભો કરવાનો કોઇ સવાલ જ ઉપસ્થિત થતો નથી.
તેઓ માટે કાયદાની ભાષામાં કોઇ Cause of action જ ઉત્પન્ન થયું નથી. તે જ રીતે સાર્વજનિક યુનિવર્સિટી માટે પણ કોઇ Cause of action ઉત્પન્ન થયું નથી. સાર્વજનિક એજયુકેશન સોસાયટીને તો માંગ્યા મુજબ યુનિવર્સિટી વ્યાજબી રીતે જ મળી છે, જયારે પ્રાઇવેટ યુનિવર્સિટીનો હેતુ શિક્ષણનાં ધોરણો ઊંચાં લાવવાનું હોય ત્યારે તેવાં ઊંચાં ધોરણોમાં તેનો ફકત સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પૂરતો જ રસ છે તેવું કહી શકાય તેમ નથી. છેવટે યુનિ.એ ગ્રાન્ટેડ કોલેજનું જોડાણ રદ થયા પછી પણ તેવી કોલેજમાં કામચલાઉ (provisional), પ્રવેશ (admission) આપ્યાં હોય તો તે પણ કાયદામાં અપેક્ષિત નથી.
પ્રવેશ અને જોડાણ એ બેને સાથે જ જાય છે. જોડાણ રદ થયેથી કોલેજમાં યુનિ. provisional admission આપે તે વિરોધાભાસી છે. આમ ત્રણે પક્ષકારોએ જયાં સુધી સરકાર ગ્રાંટ-ઇન-એઇડ કોલેજોની ગ્રાંટ બંધ ન કરે ત્યાં સુધી શાંતિ રાખવી જોઇએ અને સાર્વજનિક યુનિવર્સિટીની પોતાની ગ્રાંટ-એઇડ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું ચાલુ કરી દેવું જોઇએ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.એ કામચલાઉ પ્રવેશને પોતાની કોલેજોમાં નિયમિત પ્રવેશ આપ્યો છે તે ગણવું જોઇએ એવું મારું માનવું છે.
સુરત – આઇ. જે. દેસાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.