ગુરુજી નીતિશાસ્ત્ર સમજાવી રહ્યા હતા.તેમણે સમજાવ્યું કે, ‘શિષ્યો, આપણા લોહીના સંબંધો તો ભગવાન આપે છે.પણ આપણે જે સંબંધો આપણે પોતે જોડીએ છીએ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રેપરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રેઆ કોણ આવીને મારા આંગણાને...
યુ.જી.સી.એ તાજેતરમાં જ કોલેજ યુનિવર્સિટીના અધ્યાપકો માટે વર્ષ 2018 ના લાયકાતનાં ધોરણોને લાગુ કરવાની જાહેરાત કરી.શિક્ષણ હોય કે અધ્યાપક તે નવી પેઢીના...
તાલિબાન જેમને કેટલાક લોકો તાલેબન તરીકે પણ ઓળખે છે. અફઘાન ઇસ્લામિક અમીરાત તરીકે પણ પોતાની ઓળખ આપનારા અફઘાનિસ્તાની સુન્ની ઇસ્લામિક કટ્ટરપંથી લોકો...
ભારતમાં કોવિડ-૧૯ના બીજા મોજાએ એપ્રિલ-મે મહિનામાં હાહાકાર મચાવ્યા પછી અત્યારે ઘણા રાજ્યોમાં સ્થિતિ એકંદરે ઘણી કાબૂ હેઠળ છે પરંતુ કેરળમાં તથા અન્ય...
સુરત: શહેરના સાંસદ દર્શના જરદોશ કે જેઓ હાલમાં જ રેલવે મંત્રી બન્યા છે તેમની જન આશિર્વાદ યાત્રા શહેરમાં નીકળી હતી. જેમાં હજારોની...
શહેરની વીર નમર્દ યુનિવર્સિટીમાં આગામી 24મી તારીખે યોજનારા ખાસ પદવીદાન સમારોહ પહેલાં જ એટલે કે પદવી હાથમાં આવે તે પહેલા ૭૬.૩૫ ટકા...
અફઘાનિસ્તાનમાં તાલિબાને પંજશીરમાં મોટા હુમલાની તૈયારી શરૂ કરી હોવાના અને ઘણા લોકો માર્યા ગયા હોવાનો અહેવાલ છે. તાલિબાન પંજશીરમાં મોટા હુમલાની તૈયારી...
દેશમાં રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20-20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે એક મહિનામાં પેટ્રોલના દરમાં થયેલો પ્રથમ ઘટાડો...
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ સર્જાયેલી અફરા-તફરી વચ્ચે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ભેગી થયેલી ભીડમાં સામેલ સાત અફઘાન નાગરિકોનાં મોત થયા...
તાલિબાનના કબજા પછી અફઘાનની રાજધાની કાબુલમાં કથળેલી સુરક્ષા પરિસ્થિતિમાંથી પોતાના નાગરિકોને બહાર કાવાના પ્રયાસોના ભાગરૂપે ભારતે રવિવારે ત્રણ ફ્લાઇટ દ્વારા પોતાના 329...
ગુજરાતનાં યુગલ ખેલાડીઓ ભાવીના પટેલ અને સોનલબેન પટેલ 24 ઓગસ્ટથી શરૂ થનારા ટોક્યો પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ભારતનું નેતૃત્વ કરશે. ભાવીના મહિલા...
ટોક્યો ઓલિમ્પિક બાદ ભારતની નજર હવે 24 ઓગસ્ટથી શરૂ થનારા પેરાલિમ્પિક્સ પર છે. ભારતે આ વખતે પોતાનું અત્યાર સુધીનું સૌથી મોટું જૂથ...
ધોરણ-12 સામાન્ય પ્રવાહના (રીપીટર) વિદ્યાર્થીઓનું પરિણામ આજે તા.23મી ઓગસ્ટ-2021ના રોજ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ...
રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 15 કેસો નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું નથી. જ્યારે ત્રણ મનપા સહિત 32...
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી હતી. આ અવસરે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિભાવ આપતાં...
ગુજરાત જીએસટી વિભાગ કરચોરી શોધવાની અને બોગસ બિલિંગના કેસોમાં કડક હાથે કામગીરી કરી રહ્યું છે. જીએસટી વિભાગ ત્રણ હજાર કરચોરોને શોધી રહી...
કોરોનાની મહામારી વચ્ચે લેવામાં આવેલી ગુજકેટની પરીક્ષાનું ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઇજનેરી અને ફાર્મસીની અટકી પડેલી પ્રવેશ...
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. ઉપરવાસમાં પણ બે દિવસથી સામાન્ય વરસાદને પગલે હથનુર ડેમમાંથી આજે પાંચ હજાર...
અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં ચીની નાગરિકોના એક કાફલા પર એક આત્મઘાતી બોમ્બરના હુમલા બાદ ચીને આજે પાકિસ્તાનને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં કામ કરી રહેલા...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 34,457 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,23,93,286 પર પહોંચી ગઈ...
અમેરિકામાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત બનતા બાળકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે બે સપ્તાહમાં જ હોસ્પિટલોમાં દાખલ થતા બાળકોની સંખ્યા સો ગણા જેટલી...
તાલીબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો તેને એક સપ્તાહ પુરું થઇ રહ્યું છે ત્યારે હજી પણ કાબૂલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંધાધૂંધીના દ્રશ્યો ચાલુ...
રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે રેકોર્ડ વરસાદ પડ્યો હતો. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને શહેરના ઘણા ભાગોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું...
રાજયમાં આજે દિવસ દરમિયાન અમરેલી, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 95 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો.ગાંધીનગરમાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 3 સહિત નવા 15 કેસ નોંધાયા છે, જ્યારે 4 મનપા અને 31 જિલ્લાઓમાં એકપણ નવો...
રાજકોટમાં આજે સવારે 5:30 વાગ્યે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ અંગે...
કોરોનાની બીજી લહેરના પગલે જીઆઈડીસીના ઉદ્યોગારો માટે આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે તેવી રજૂઆતના પગલે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક બાદ...
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ”ઓપન મોટ”પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે....
રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે બોગસ બીલિંગ કરતાં...
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
નીતિન નબીન હશે ભાજપના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, પાર્ટીએ કરી જાહેરાત
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
ગુરુજી નીતિશાસ્ત્ર સમજાવી રહ્યા હતા.તેમણે સમજાવ્યું કે, ‘શિષ્યો, આપણા લોહીના સંબંધો તો ભગવાન આપે છે.પણ આપણે જે સંબંધો આપણે પોતે જોડીએ છીએ તે આપણે બરાબર સમજીને જોડવા જોઈએ.તે સંબંધોમાં સૌથી મહત્ત્વનો સંબંધ એ છે મિત્ર, સાથી,…આ સંબંધો આપણે જોડીએ છીએ ત્યારે સમજપૂર્વક પસંદગી કરવી જોઈએ.’ એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, મિત્રતા, સાથી આ સંબંધો તો એવા છે કે જ્યાં દિલ મળે ત્યાં બંધાઈ જાય તેમાં શું ધ્યાન રાખવું.આ સંબંધોમાં બુદ્ધિનો અને સમજનો શું કામ ઉપયોગ કરવો જોઈએ?’

ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, આ પ્રશ્નનો જવાબ આપવા પહેલાં હું તમને એક નીતિશાસ્ત્રની વાત સમજાવતી એક નાની વાર્તા કહું છું.એક જંગલમાં એક તળાવ હતું. તળાવ ખૂબ જ નાનું અને સુંદર હતું, પણ જંગલમાં બહુ અંદર હોવાને લીધે ત્યાં કોઈ આવતું ન હતું.તળાવમાં એક હંસ એકલો રહેતો હતો અને આનંદથી જીવતો હતો અને એક દિવસ તળાવના ઝાડ પર એક કાગડો આવ્યો.કાગડાએ જોયું કે અહીં આ એક હંસ જ રહે છે, બીજું કોઈ નહિ એટલે તેને હંસ જોડે મિત્રતા કરવાનું નક્કી કર્યું,હંસ પણ સાવ એકલો હતો એટલે એણે કંઈ વિચાર્યા વિના કાગડા જોડે મિત્રતા કરી લીધી.

હંસ અને કાગડો હંમેશા સાથે ફરતા.એક દિવસ કાગડાની વાત માની હંસ અને કાગડો નગર સુધી ફરવા ગયા.નગરમાં એક ઝાડ પર બેસી વાતો કરી રહ્યા હતા.થોડી વારમાં કાગડાએ હંસને કહ્યું, ‘હું નગરમાં મારા બીજા મિત્રોને બોલાવીને આવું છું. હંસ જે ઝાડ પર બેઠો હતો ત્યાં ઝાડ નીચે રાજાના સિપાઈઓ આવીને બેઠા. થાકેલા સિપાઈઓ થોડી વારમાં સૂઈ ગયા.તેમના મુખ પર સૂરજનો તડકો પડતો જોઇને દયાળુ હંસે તેમની ઉપરની ડાળી પર બેસીને પોતાની પાંખો એ રીતે ફેલાવી કે ઝાડ નીચે સૂતેલા સિપાઈઓના મુખ પર તડકો ન આવે.હંસ લાંબી વાર સુધી આવી રીતે પાંખ ફેલાવીને સિપાઈઓને છાંયો આપતો રહ્યો.તેટલામાં કાગડો પોતાના મિત્રો સાથે આવ્યો. તેને મસ્તી સૂઝી. તેણે તેના મિત્રોને ઈશારો કર્યો અને કાગડો હંસની પાંખો નીચેથી ઊડીને સિપાઈઓ પર ચરકયો.સિપાઈની ઊંઘ ઊડી ગઈ અને ઉપર હંસને પાંખો ફેલાવેલો જોઇને સિપાઈને તેની પર ગુસ્સો આવ્યો. તેણે બાજુમાં પડેલો પથ્થર ઉપાડીને હંસને માર્યો.હંસ ઘાયલ થઈને નીચે પડી ગયો અને કાગડો પોતાના બીજા મિત્રો જોડે દૂર દૂર ઊડી ગયો.
આ વાર્તા સંભળાવી ગુરુજી આગળ બોલ્યા, ‘શિષ્યો, આ વાર્તામાં હંસને સારા કામની પરોપકારની સજા મળી તેનું કારણ સિપાઈ નહિ પણ ખોટો સાથ હતો.ખરાબ સંગતને કારણે હંસ ઘાયલ થઈને પડ્યો હતો.નીતિશાસ્ત્ર સમજાવે છે કે તમારે તમારા જેવા સમાન આચાર-વિચાર ધરાવતા લોકો સાથે જ મિત્રતા કરવી જોઈએ અને સારા લોકો સાથે મિત્રતા કરવી જોઈએ.તમે સારા હશો પણ તમારા મિત્રો સારા નહીં હોય તો તમારી છાપ પણ ખરાબ પડશે અને તમારે ક્યારેક અને કયારેક તેનાં ગંભીર પરિણામ ભોગવવાં પડે છે.’ ગુરુજીએ નાનકડી વાર્તાથી જરૂરી સમજણ આપી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.