દેશમાં ચાલી રહેલા કોલસાના સંકટને જોતા સરકારે આગામી 5 દિવસમાં કોલસાનું ઉત્પાદન 19.4 લાખ ટન પ્રતિ દિવસથી વધારીને 20 લાખ ટન પ્રતિદિન...
મોદી દિલ્હીની ગાદીએ બેઠા ત્યારથી ભાજપવાળા અને મોદી ખુદ વારંવાર ઉપર મુજબના શબ્દો ઉચ્ચારી અણસમજુ પ્રજાને ભરમાવતા રહે છે. હાલમાં એક સંભાષણમાં...
સુરતમાં હવે મેટ્રો ટ્રેનની કામગીરી ચાલુ થઈ ગયેલ છે તે સુરત માટે ગર્વની વાત છે, પરંતુ સુરત સ્ટેશનની ઉપર રોજબરોજની ગાડીઓની અવરજવર...
માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા સરકારી, ગ્રાન્ટેડ ,નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં બોર્ડ દ્વારા જ મુખ્ય વિષયોની પરીક્ષા લેવાનો કડક સર્ક્યુલર કાઢ્યો...
એક સ્ત્રીને પણ એવું થતું હશે ને એક રજા લઉં. ઘરકામમાંથી થોડી મજા લઉં. પળભર મારા માટે વિચારું. આ બધું જયારે કોરોનામાં...
સુરત શહેરમાં પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂપિયા ૧૦૦ અને ૯૯ પર પહોંચ્યા. જે પ્રક્રિયા હજુ ચાલુ છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવ ફક્ત...
ચોક એક ફકીર એક શાહી કબ્રસ્તાનમાંથી પસાર થતા હતા.અંધારી રાત હતી. તેમનો પગ એક ખોપડીને લાગ્યો.ફકીર ડરી ગયો અને તે ખોપડીને જોઇને...
ચોકલેટ શી રીતે નુકસાનકારક છે? ગળી ચોકલેટ મોટે ભાગે દાંતે ચોંટી રહેતી હોવાથી દાંતના સડાને નોંતરે છે. ગળપણ તેમ જ વધુ કેલરીને...
જમ્મુ અને કાશ્મીરના ડિવિઝનલ કમિશનરે કાશ્મીરની ખીણમાં નોકરી કરનારા સરકારી કર્મચારીઓને આદેશ આપ્યો છે કે કાં તો તેઓ ફરજ પર પાછા ફરે...
વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓને ઉમરા પોલીસ દ્વારા માર મારવાની ઘટના બાદ ABVP (અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ) દ્વારા આજે ગુરુવારે યુનિવર્સિટીના...
વિશ્વભરમાં હાલમાં કોલસાની તંગી ઊભી થઈ રહી છે અને તેને કારણે વીજ સંકટ પેદા થાય તેવી સ્થિતિ જોવાઈ રહી છે પરંતુ આ...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. શિરીષ કુલકર્ણી સામે અધ્યાપક મંડળ દ્વારા બાંયો ચડાવવામાં આવી છે. આ અંગે બુધવારના...
નડિયાદ: ઠાસરાની ૧૬૫ વર્ષ જુની તાલુકા પ્રાથમિક શાળા (કુમાર શાળા) આવેલી છે. આ શાળામાં ધોરણ ૧ થી ૮ માં કુલ ૧૩૬ વિદ્યાર્થીઓ...
આણંદ : રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઇંટો પકવવાના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવીઓના દૈનિક વેતનમાં સુધારો કરી લઘુતમ વેતન દરમાં સુધારો...
દાહોદ: લીમખેડા તાલુકાના પાલ્લી ગામે ગઈકાલે સાંજે તુફાન જીપ ગાડીની ટક્કરે બાઈક ઉપર સવાર બે પિતરાઈ ભાઈઓ ને ગંભીર ઇજા થવા...
કાલોલ: કાલોલ તાલુકાના એરાલ ગામમા ગત મે માસમાં કાલોલ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસની વિગતો મુજબ કાલોલ તાલુકાના એરાલ ગામમાં...
દાહોદ: દાહોદ જિલ્લાના સંજેલી ખાતે એક ફુટવેરની દુકાનમાં મોડીરાત્રી શોર્ટ સર્કિટના કારણે લાગેલ આગમાં દુકાનનો સંપુર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો...
વડોદરા : શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં પતિએ આઈસ્ક્રીમમાં ઝેર ભેરવી...
વડોદરા : વડોદરા શહેરના સમા – સંજયનગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં સરકારી જગ્યામાં ડેવલપર દ્વારા યોજનામાં ગેરકાયદેસર વધારાનું બાંધકામ, વિશ્વામિત્રી નદી ,જૂની નદી...
વડોદરા : શહેર નજીક આવેલા વાઘોડિયાની આમોદર પાસે મોપેડ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું મોત થયું હતું. જયારે બેને સારવાર...
વડોદરા: તહેવારોની વણઝાર વચ્ચે ભેળસેડીયા તત્વો સક્રિય ન બને અને લોકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવી શકાય તે માટે વડોદરા મહાનગર પાલિકાની...
વડોદરા : દોઢ વર્ષ સુધી કોરોના લોકડાઉનનો માર ત્યારબાદ પેટ્રોલ-ડીઝલ અને હવે સીએનજી ગેસના ભાવમાં વધારો કરતા રોજે રોજ કમાઈને પેટિયું રળતા...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન...
રાજયમાં યુવા ધનને ડ્રગ્સથી બચાવવા માટે રાજયમાં ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે હવેથી સરકાર દ્વારા કેફી દ્રવ્યો અંગે બાતમી આપનાર બાતમીદારો...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપા અને વલસાડમાં કોરોનાના 6-6 કેસ સાથે કુલ 26 નવા કેસ નોંધાવા પામ્યા છે. બીજી બાજુ રાજ્યમાં...
રાજયમાં છેલ્લા બે વર્ષના કોરોના કાળમાં સરકારી નોકરી માટે ભરતી પ્રક્રિયામાં કેટલાય યુવાનો ભાગ લઈ શક્યા નથી. કોરોના સમયગાળા દરમિયાન રાજ્યમાં સ્પર્ધાત્મક...
ભાજપ હાઈકમાન્ડ દ્વારા આખી રૂપાણી સરકારને બદલી નાંખીને નો રિપીટ થીયરી લાવીને જૂની કેબિનેટના એક પણ મંત્રીને સમાવાયા નહોતા. તેવી જ રીતે...
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીમાં (GMERS) મોટા પાયે ગેરરિતી, ખરીદીમાં ભ્રષ્ટાચાર, બાંધકામમાં ભ્રષ્ટાચાર, નિમણૂકમાં ભ્રષ્ટાચાર, ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીમાં...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની (Surat District Bank) શાખામાં થયેલી લૂંટ (Loot) પ્રકરણમાં પોલીસ પગેરું શોધવા...
નવી દિલ્હી: (Delhi) ભારતની યજમાનીમાં યુએઇ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી શરૂ થનારા ટી-20 વર્લ્ડકપ (T 20 World Cup) માટે ભારતીય ટીમમાં બુધવારે...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
દેશમાં ચાલી રહેલા કોલસાના સંકટને જોતા સરકારે આગામી 5 દિવસમાં કોલસાનું ઉત્પાદન 19.4 લાખ ટન પ્રતિ દિવસથી વધારીને 20 લાખ ટન પ્રતિદિન કરવાનો નિર્ણય કર્યો છે. સમાચાર એજન્સી અનુસાર, આ માહિતી સરકારી સૂત્રો પાસેથી મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્યને કોલસાનો પુરવઠો ક્યારેય બંધ કરવામાં આવ્યો નથી. કેન્દ્ર રાજ્યોની તમામ માંગણીઓ પૂરી કરી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં કોલસાનો સ્ટોક વધવા લાગ્યો છે. એક મહિનામાં સ્થિતિ સામાન્ય થઈ જશે. તેમજ દૈનિક વીજળી અને કોલસાના પુરવઠાની કોઈ અછત નથી.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, કોલસા મંત્રાલય જાન્યુઆરીથી રાજ્યોને કોલ ઇન્ડિયામાંથી સ્ટોક ઉપાડવા માટે પત્ર લખી રહ્યું છે. પરંતુ, આ અંગે કોઈ જવાબ મળ્યો નથી. કોલ ઇન્ડિયા માત્ર એક મર્યાદા સુધી સ્ટોક કરી શકે છે. કારણ કે, ઓવરસ્ટોકિંગથી કોલસામાં આગ લાગી શકે છે. ઝારખંડ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળની પોતાની કોલસાની ખાણો છે, પરંતુ ત્યાં ખાણકામ બહુ ઓછું હતું.

આ અગાઉ, કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે સાંજે કહ્યું હતું કે, સરકાર વીજ ઉત્પાદકોની કોલસાની માંગને પહોંચી વળવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. કોલસાનો પુરવઠો હાલમાં 19.5 લાખ ટન પ્રતિદિન છે, જે દરરોજ વધારીને 20 લાખ ટન કરવામાં આવી રહ્યો છે. જોશીએ કહ્યું કે, મને લાગે છે કે દેશના ઇતિહાસમાં આ સૌથી વધુ પુરવઠો છે. હું તમને ખાતરી આપું છું કે આ ચાલુ રહેશે. અમે 2020-21 ઓક્ટોબરે અથવા તે પહેલા 20 લાખ ટન પુરવઠા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. આ એક રેકોર્ડ હશે.
મંત્રીએ તમામ હિસ્સેદારોને કોલસાના પૂરતા પુરવઠાની ખાતરી આપી હતી. જોશીએ કહ્યું કે, હાલમાં કોલ ઇન્ડિયા પાસે 22 દિવસનો સ્ટોક છે. હવે ચોમાસું પરત ફરી રહ્યું છે જેથી પુરવઠામાં હજુ વધારો થશે. વધુમાં દેશના વીજમથકોમાં કોલસાની અછતના લીધે વીજ કટોકટીની સંભાવનાનો કેન્દ્રીય કોલસા પ્રધાન પ્રહલાદ જોશીએ ધરાર ઇન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વીજ ઉત્પાદન માટે કોલસાની દૈનિક જરુરિયાત ૧૧ લાખ ટન છે અને તેની સામે અમે ૨૦ લાખ ટનનો પુરવઠો પૂરો પાડી રહ્યા છીએ તો પછી કટોકટીની વાત જ ક્યાં આવી. તેમણે વિલાસપુર એરપોર્ટ પર પહોંચયા પછી પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું. કોંગ્રેસ કોલસાની કટોકટીને લઈને બિનજરુરી હાઇપ ઊભો કરી રહી છે તેવો સવાલ પૂછવામાં આવતા તેમણે આ જણાવ્યું હતું કે આ મુદ્દે હું કોઈ રાજકારણ કરવા માંગતો નથી.
દરમિયાન કોલસા મંત્રાલયને જણાવાયું છે કે ભારતમાં આજે પણ ૭૦ ટકા વીજમથકો કોલસાથી ચાલે છે. દેશના બે તૃતિયાંશ વીજમથકો પાસે સપ્તાહ કે તેનાથી પણ ઓછો સમય ચાલે તેટલો કોલસો રહ્યો છે. રાજસ્થાનથી લઈને કેરળમાં વીજ કાપ લાદવાની સ્થિતિ આવી છે. પણ કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે વીજ પુરવઠાને લઈને કોઈપણ પ્રકારની શંકા અસ્થાને છે.