વડોદરા: યુક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલા વિવાદને (Ukraine Russia dispute)લઈ સમગ્ર વિશ્વ (world)ચિંતામાં છે. ગમે તે ઘડીએ યુદ્ધ થવાની સંભાવના છે. જેને...
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રહીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા તત્કાલીન સીઈઓ ચિત્રા રામકૃષ્ણ રિટાયર થયા તેનાં પાંચ વર્ષ પછી તેમના કબાટમાં રહેલાં હાડપિંજરો...
તાજેતરમાં ‘બ્રહ્મમોસ’ મિસાઈલ અંગેના એક કાર્યક્રમમાં ટોચના એન્જીનિયરો અને વિજ્ઞાનીકોની હાજરીમાં ભારતના રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહે શબ્દો ઉચ્ચાર્યા કે ભારત બ્રહ્મોસ મિસાઈલ...
આ વર્ષે એક વાત ધ્યાને આવી કે 14 ફેબ્રુઆરીના રોજ લોકોના વોટ્સઅપ સ્ટેટસ ઉપર વેલેન્ટાઈન દિવસની શુભકામનાઓ આપતાં સ્ટેટસથી વધુ પુલવામા એટેકમાં...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly Election)જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ(BJP)માં ફૂલ બહાર તો કોંગ્રેસ(Congress)માં કાળા વાદળો છવાયા...
અપેક્ષાઓ, ઈચ્છાઓ નથી સંતોષાતી ત્યારે માનવી પ્રેમ, કરુણા , સહિષ્ણુતા છોડી દાનવી વૃત્તિવાળો બની જાય છે. પોતાને ગમતી એક ચીજ કે વ્યક્તિને(...
ડિસેમ્બર માસમાં રિલીઝ થયેલી એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ અત્યંત ટૂંકા સમયગાળામાં થિયેટરમાંથી અદ્રશ્ય થઇ ગઇ. સ્ત્રીની સમસ્યા, વેદના, પરિવારમાં થતી...
દરેક પક્ષમાં અપરાધી વ્યકિતઓની ભરમાર હોય છે કારણ આજે રાષ્ટ્રવાદી વ્યકિતઓની પ્રજામાં કોઇ કિંમત નથી અને અપરાધીઓની બહુમતિ આગળ ને આગળ આવતાં...
સુરત : ગ્રીષ્મા હત્યાકાંડમાં (Grishma Murder) વાસ્તવમાં ફેનીલનો (Fenil) કોઇ મદદગાર છે કે નહી તે મામલે કરૂણેશની (Karunesh) પૂછપરછ એક દિવસ કરવામાં...
આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા લોકો ઘરથી તેમના કામ ધંધાના સ્થળ સુધી સામુહિક પરિવહન સેવામાં એક જ ટિકીટથી મુસાફરી કરી શકે તે માટે...
એક દિવસ એક પ્રોફેસર ક્લાસમાં એકદમ નવું કડક લિનનનું સફેદ શર્ટ પહેરીને આવ્યા શર્ટ સાથે તેમણે એકદમ જુદુજ લાગે તેવું લાઈટપિંક કલરનું...
અમુક તો એટલાં ભુખેશ કે, મસાલા-ઢોસાનું પાટિયું વાંચે ને મોઢામાં પાણી છૂટવા માંડે. દીનાનાથ જાણે કે, મસાલા-ઢોસામાં અડદ-ચોખાના પૂડલામાં કાંદા-બટાકા ને કઢી-લીમડા...
શિક્ષણને ઓફલાઇન કરવાની સાથે જ સરકારે શિક્ષકોના કેટલાક લાંબા ગાળાથી માંગણી રૂપે પડેલા પ્રશ્નો ઉકેલવાની પણ શરૂઆત કરી છે. એક તો શિક્ષકોના...
સુરત : છેલ્લાં થોડા સમયમાં સુરત શહેરમાં ક્રાઈમ રેડ ચિંતાજનક હદે વધી ગયો છે. મર્ડર, બળાત્કાર જેવા ગંભીર ગુના વધતા પોલીસ પર...
ભારતમાં ૨૦૧૮ અને ૨૦૨૦ની વચ્ચે કેન્સરના ૪૦ લાખ કરતા વધુ કેસો નોંધાયા હતા અને આ રોગથી આ સમયગાળામાં ૨૨.પ૪ લાખ લોકોના મૃત્યુ...
આણંદ : મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે લક્ષ અમૃતવિલા સોસાયટીમાં સરકારી અધિકારીઓના ત્રણ બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.7.30 લાખની મત્તા ચોરી કરતાં ભારે...
નવી દિલ્હી: યુક્રેનને લઈને રશિયાએ મોટી જાહેરાત કરી હતી. જેમાં પુતિને પૂર્વ યુક્રેનના બે ભાગોને અલગ દેશ જાહેર કર્યા છે. આ વાતને...
સુરત: સરાજાહેર તાલીબાની સ્ટાઈલમાં 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયાની હત્યાના વાયરલ થયેલા વીડિયોએ લોકોને હલાવી મૂક્યા છે. પોલીસ અને રાજકારણીઓ પણ અંદરથી હચમચી...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં સોમવારે મહા વદ પાંચમના દિવસે 251માં પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી...
વડોદરા : શહેરના ખાટકીવાડમાં રહેતા અને બાબા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા મહેબૂબ ખાન પઠાણ પરિવાર તથા અન્ય 24 લોકો સાથે કચ્છ...
વડોદરા : કરજણ પાસેના ગામમાં ઓરમાન પિતા તેમની દિકરી સાથે અવારનવાર જાતી છેડછાડ કરતા હતા. દિકરીની મદદ તેની માતા પણ ન કરી...
રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ(Ukraine Russia Dispute) સતત વકરી રહ્યો છે. ગતરોજ યુક્રેનની સીમાઓ પર રશિયાએ પોતાની મૂવમેન્ટ આગળ વધારી હતી. સીમાઓને...
વડોદરા: વડોદરાના નિશાકુમારીએ સાહસ અને પર્વત ચઢવાના મહાવરા રૂપે મધ્ય રાત્રિએ કડકડતી ઠંડી અને ફૂંકાતા પવનો વચ્ચે ગિરનારનું આરોહણ કર્યું હતી. તેના...
આણંદ : આણંદની ખાનગી હોસ્પિટલમાં એક સપ્તાહથી સારવાર લઇ રહેલા 39 વર્ષિય મહિલાને ડોક્ટરે બ્રેઇન ડેડ જાહેર કર્યાં હતાં. આથી, તેમના પરિવારજનોએ...
વડોદરા : વડોદરાના સૌથી મોટા બ્રીજનું નિર્માણ થઈ રહ્યું છે. 222 કરોડના ખર્ચે ગેંડા સર્કલથી મનીષ સર્કલ સુધી ઓવર બ્રીજની કામગીરી પ્રગતિ...
સરભોણ-વાંકાનેર રાજ્યધોરી માર્ગ પર આવેલું નિઝર ગામ (Village) બારડોલી તાલુકાનું છેવાડાનું ગામ છે. અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા...
સુરત: (Surat) ફુલ જેવી ગ્રીષ્માની કરપીણ હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવી મુક્યો હતો. હત્યારા ફેનીલ ગોયાણી સામે લોકોનો રોષ હજી પણ શાંત...
સુરત : કતારગામ (Katargam) પોલીસે (Police) નાઇટ પેટ્રોલિંગ (Night Petroling) દરમિયાન એક યુવક-યુવતીને અટકાવીને પુછપરછ કરી હતી, તે દરમિયાન બીજા બે યુવકોએ...
સુરત: જીલ્લા પોલીસની (Police) હદમાં પાસોદરામાં ગ્રીષ્માની હત્યાના (Murder) કેસની શાહી હજી સુકાઈ નથી ત્યાં આજે એક પરિણીતાનો પ્રેમીના ત્રાસથી અગ્નિસ્નાન અને...
નવી દિલ્હી: યુપીમાં ચૂંટણીના (UP Election) સમયે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનો (PM Narendra Modi) એક ફોટો (Photo) સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાઈરલ થઈ...
રાજ્યભરની કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ શાળાઓ ડાઉનલોડ કરી શકશે
સાપુતારા–સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર માટે 21 ગામની જમીન સંપાદિત થશે
પાલ પોલીસનો NDPS કેસમાં કડક પ્રહાર,પેડલરો સાથે મુદ્દામાલ જપ્ત
ગુજરાતમાં હવે મહિલાઓ નાઇટશિફ્ટમાં કામ કરી શકશે
રમજાન પૂર્વે સુરત પોલીસ એલર્ટ મોડમાં,લાલગેટ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ સાથે કડક બંદોબસ્ત
જાહેરમાં ગાંજાનું સેવન,વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં
ખાનપુર તાલુકાના આંગણવાડી બહેનો કલેશ્વરીમાં ફસાયાં
આણંદના ઉમેટા બ્રિજ પર સવારથી જ ટ્રાફિક જામ: એમ્બ્યુલન્સ ફસાતા લોકોમાં ભારે રોષ
સુપર-૮ પહેલાં જ ઓસ્ટ્રેલિયાનો પતન,ICC T20 World Cup 2026માં ટીમ પસંદગી અને નબળી શરૂઆત પર Ian Healyનો કડક પ્રહાર
Ravi Riverના પાણી પર ભારતનો કાબૂ,પાકિસ્તાન માટે વધતી ચિંતા,Shahpur Kandi Dam પૂર્ણતાની નજીક,વધારાનું પાણી હવે દેશ અંદર વળશે
Breakthrough Energy નો નવા રોકાણો પર બ્રેક,Bill Gates સમર્થિત $1 અબજ Catalyst ફંડ હવે હાલની કંપનીઓ પર જ ફોકસ કરશે
તંત્રના મિસમેનેજમેન્ટનું વરવું પરિણામ, વેડ-ડભોલી બ્રિજ બંધ થતા રાંદેર ગામમાં ટ્રાફિકની સમસ્યા
ભવનાથના મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદ વચ્ચે કીર્તિ પટેલે હવે ઈન્દ્રભારતી બાપુને લઈ કહી આ વાત
ખેડૂતો આનંદો: ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં મૂળ ખાતેદારને પરત મળશે, વિધાનસભામાં મહત્વપૂર્ણ સુધારા વિધેયક પસાર
પ્રખ્યાત અભિનેત્રી પ્રવિણા દેશપાંડેનું કેન્સરના કારણે નિધન, મુંબઈમાં અંતિમ સંસ્કાર કરાયા
વડોદરાના પશ્ચિમ વિસ્તારના મકાનમાં આગ, ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
બોમ્બની ધમકીને પગલે એટીએસ સહિત કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ સાથે સંકલનથી તપાસ
RSS વડા મોહન ભાગવતનું નિવેદન: હિન્દુઓ ત્રણ બાળકો પેદા કરે, ઘર વાપસીની પ્રક્રિયા ઝડપી બનાવો
ગુજરાતમાં ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવિન
બોર્ડની પરીક્ષા અન્વયે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી
વારંવાર ‘ સળી ‘ કરવાની કુટેવ ધરાવતા આશિષ જોશી ‘ તિરંગા ‘માં ભેરવાઈ પડ્યા!
ગુજરાત SIR ફાઇનલ લિસ્ટ જાહેર: રાજ્યમાં 4.40 કરોડ મતદારો, અમદાવાદમાં સૌથી વધુ મતદારો
મોટી હોનારત ટળી, વડોદરાના અર્થ આઈકોન કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરી
રણોલીમાં ખંડણી કાંડઃ રૂ. 50 લાખ નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી!
બજરંગ દળ વિરુદ્ધ ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ
વર્ધા નજીક નવી દિલ્હી-ચેન્નાઈ એક્સપ્રેસના કોચમાં આગ, તમામ મુસાફરો સહીસલામત
માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને મળશે હવે 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ મફત સારવાર
નડિયાદના પાંચ હાટડીમાં ગૌ-કતલખાનું ઝડપાયું, પોલીસના દરોડાથી ચકચાર
બીસીએ ચૂંટણી પરિણામ પર ફરી બ્રેક, હાઈકોર્ટમાં સસ્પેન્સ યથાવત
વડોદરા: યુક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલા વિવાદને (Ukraine Russia dispute)લઈ સમગ્ર વિશ્વ (world)ચિંતામાં છે. ગમે તે ઘડીએ યુદ્ધ થવાની સંભાવના છે. જેને લઈને ભારત (India)દ્વારા યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ અને નાગરિકોને લાવવામાં આવી રહ્યા છે. ભારતે આજે સવારે જ એર ફ્લાઈટ યુક્રેન રવાના કરી હતી. જે પરત આવી છે. આ ફ્લાઈટમાં વડોદરા(Vadodara)ની એક યુવતી ભારત આવતા પરિવારજનોમાં ખુશી છવાઈ ગઈ છે. આ યુવતી યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરતી હતી.
મળતી માહિતી મુજબ, વડોદરાના રહેવાસી અરવિંદ સિંધાની દિકરી આસ્થા સિંધા યુક્રેનમાં MBBSના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. રશિયા અને યુક્રેન વિવાદને લઈ યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને પરીવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.જેથી તેઓએ ગુજરાત સરકારની મદદ માંગી હતી. તેઓએ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરી હતી. તેઓએ વિદેશ મંત્રાલયને રજૂઆત કરતાં એર ઈન્ડિયાની ત્રણ ફ્લાઈટ ભારત અને યુક્રેન વચ્ચે દરરોજની મૂકવામાં આવી હતી. તમામ ફ્લાઈટના સંચાલકોને ભાડાના 50 ટકા એટલે 50 હજારનો ફેર કરી દેવાનું કહ્યું હતું. બે દેશો વચ્ચે વણસી રહેલી સ્થિતિને જોતા અરવિંદ સિંધા અને તેમના પત્ની ખૂબ જ ચિંતામાં મૂકાયા હતા. જો કે દીકરી ઘરે હેમખેમ પરત આવતા પરિવારમાં હાશકારો ફેલાયો હતો.
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારત પરત આવી : આસ્થા
વતન પરત ફરેલી યુવતી આસ્થાએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં હું જે શહેરમાં રોકાઈ હતી તે સુરક્ષિત હતું, પરંતુ મારા માતા-પિતાને મારી ખૂબ ચિંતા રહેતી હતી. જેથી કરીને હું ભારત પરત આવી છું. અન્ય વિદ્યાર્થીઓ પર ભારત પરત ફરી રહ્યા છે. જોકે આ અઠવાડિયે અમારી પરીક્ષા શરૂ થવાની હતી. પરંતુ પરિસ્થિતને ધ્યાને રાખીને અમે બધા ભારત પરત આવ્યા છે.
ભારતમાંથી વધુ બે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે
યુક્રેનને લઈને રશિયાએ મોટી જાહેરાત કરી હતી. જેમાં પુતિને પૂર્વ યુક્રેનના બે ભાગોને અલગ દેશ જાહેર કર્યા છે. આ વાતને લઈ વિવાદ વધુ વકર્યો છે. યુદ્ધનું સંકટ વધુ ઘેરૂ બનતું જાય છે. જેને લઈને યુક્રેનમાં વસતા ભારતીયોને દેશમાં લાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયાનું વિશેષ વિમાન AI788 મંગળવારે સવારે 7.30 કલાકે યુક્રેનમાં રહેતા ભારતીયોને બહાર કાઢવા માટે રવાના થયું છે. યુક્રેન અને રશિયા વચ્ચેના વિવાદના પગલે ભારતે પહેલા જ યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું હતું. યુક્રેન પર હુમલાના વધતા ડર વચ્ચે ભારતે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી છે. એર ઈન્ડિયાનું એક વિશેષ વિમાન આજે મંગળવારે સવારે યુક્રેન માટે રવાના કરવામાં આવ્યું છે. ભારતે આ વિશેષ મિશન માટે 200થી વધુ સીટર ડ્રીમલાઈનર B-787 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. આ સિવાય ફેબ્રુઆરીમાં ભારતમાંથી વધુ બે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે.