Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: શહેર નજીક જી.એસ.એફ.સી.ના મેઇન ગેટ પાસે મંગળવારે મોડી રાત્રે એસ.ટી બસની અડફેટે બાઇકસવાર બે યુવાન આવી ગયા હતા, જેમાં એક યુવાનનું સ્થળ પર મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત વડોદરા નજીક પોર પાસે બાઈક સ્લિપ ખાઇ જતાં એક યુવાનનું મોત થયું હતું. જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત થયો હતો.દુમાડ તરફથી જી.એસ.એફ.સી. મેઇન ગેટ થઇ અમદાવાદ જવાના રસ્તે બ્રિજ નીચે મંગળવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો, અકસ્માતના આ બનાવમાં બાઇકસવાર યુવકો પૈકી દીપકકુમાર રામબાબુ સિંગ(ઉં.27)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે વિવેક કનૈયાલાલ શાહ(ઉં.37) નામના યુવાનની હાલત ગંભીર છે. બંન યુવાનો મૂળ બિહારના જગદીશપુર ગામના રહેવાસી છે અને હાલ રાયકા ગામ પાસે એલએન્ડટી કંપનીનું કામ કરતા હતા અને ત્યાં જ રહેતા હતા.બ્રિજ નીચે થયેલા અકસ્માતમાં બાઇકસવાર બન્ને યુવકો દુમાડ ચોકડીથી અમદાવાદ તરફ જઇ રહ્યા હતા. એ સમયે એસ.ટી. બસની અડફેટે આવતાં અકસ્માત થયો હોવાનું પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળી રહ્યું હતું. અકસ્માતને પગલે છાણી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા નજીક પોર પાસે બાઈક સ્લિપ ખાઇ જતાં એક યુવાનનું મોત થયું હતું. વડોદરાના ન્યૂ વીઆઇપી રોડ પર આવેલા સંતોષીનગરમાં રહેતા રાજુભાઇ વસાવા અને ન્યૂ વીઆઇપી રોડ પર આવેલા રાજીવનગરના રહેવાસી અર્જુનસિંહ અશોકસિંહ ઠાકોર(ઉં.25) બાઇક પર ભરૂચથી વડોદરા તરફ આવતા હતા.

ત્યારે પોર બ્રિજ પાસે બાઇકની આગળની બ્રેક મારતાં બંને જણ નીચે પટકાયા હતા, જેમાં બાઇકની પાછળ બેઠેલા અર્જુનસિંહ અશોકસિંહ ઠાકોરને ગંભીર ઇજાગ્રસ્ત થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે રાજુભાઇ વસાવાની સારવાર ચાલી રહી છે.

To Top