સુરત: (Surat) યાર્નની કિમતોમાં સતત વધારો થતા પરેશાન વિવર્સ માટે ફેબ્રુઆરી મહિનામાં રાહત થઇ શકે છે. યાર્ન ડિલર્સ (Yarn Dealers) દ્વારા વિદેશથી...
‘નવા પાકિસ્તાન’નું સપનું બતાવીને સત્તામાં આવેલા વડા પ્રધાન ઇમરાન ખાન (IMRAN KHAN ) ની હાલત આજકાલ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે....
સુરત: (Surat) ભાજપના નિરીક્ષકોએ રવિવારથી સુરત મનપા માટે દાવેદારોની રજૂઆતો સાંભળવાનુ શરૂ કર્યુ છે. તેમાં દરેક વખતની જેમ આ વખતે પણ અવનવા...
આપણને આ વેક્સિન મુકાવવી કે નહીં એવો ગભરાટ કેમ થાય? કેમકે આપણને ડર છે કે એની સાઇડ ઇફેક્ટ (SIDE EFFECT)થી અણધાર્યું કશું...
ગંગા નદીની ડોલ્ફિન (DOLPHIN OF GANGA) માછલી કયાં જોવા મળી? તે ડોલ્ફિન માછલીઓ વિજ્ઞાનીઓને ગંગા નદીની જ એક ટ્રીબ્યુટરી મહાનંદા નદીમાં જોવા...
તમે કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય કે કોઈ ઝાડનું ધ્યાન રાખવા આખો દિવસ અને રાત પોલીસ હાજર હોય. જો તેનું એક પાંદડું...
કુદરતની કરામતમા ક્યારેય કમી ના હોઇ શકે, જે આપણે અનોખી વસ્તુઓ (INCREDIBLE THINGS) જોઇ કહેતા હોઇએ છીએ, આ પૃથ્વી પર દુર્લભ વસ્તુઓની...
હાલમાં આસામના ગુવાહટીમાં પુસ્તકમેળો યોજાઈ ગયો. કોરોના આવ્યા પછી દેશમાં આયોજિત સૌથી મોટા પુસ્તકમેળા તરીકે આ મેળો ખ્યાતિ પામ્યો છે. આ પુસ્તકમેળાનું...
ગ્રાહક પોતાના ખાતામાં જમા કરવા માટે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ પેઈન સ્લીપ ભરીને બેંકના કલેકશન કાઉન્ટર પર રજુ કરે ત્યારે...
સાંઈ એટલે સાચો ઈશ્વર, સાક્ષાત ઈશ્વર, સાદાઈ અને ઈમાનદારી.સંત્તતિ, સંપતિ, સુખ સંયમ, નીતિ આપનારી છે શિરડી નગરી. જીવનમાં કોઈની સાથે મળવાનું, હરવા-...
હરિદ્વાર કુંભ મેળો (Haridwar Kumbh Melo 2021) 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. રાજ્ય સરકારે વાતચીત દરમિયાન કેન્દ્ર સરકારને આ સૂચિત તારીખ...
આપણે જયારે મનની વાત કરીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને બે પ્રકારના મન હોય જે એક સારું અને એક ખરાબ....
સુરતમાં વસવાટ કરતા અને સૌરાષ્ટ્રના તાલાળા તાલુકાના ધાવા ગામના ગધેસરિયા ચંદ્રેશભાઇ 26 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના સંસ્થાન...
માંસાહારીઓના માથે મોટી આફતકોરોનાનો કહેર ઓછો હોય તેમ વિશ્વમાં ‘બર્ડ ફ્લુ’ (BIRD FLU) એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝાએ પગપેસારો કર્યો છે. શહેરોમાં પક્ષીઓ...
ગરીબી નિવારણ માટે કામ કરતી સંસ્થા ઓક્સફમે જણાવ્યું છે કે કોરોના વાયરસ (CORONA VIRUS) રોગચાળાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન ( LOCKDOWN) દરમિયાન...
કોરોના સામેના જંગમાં આખો દેશ ઝઝૂમી રહ્યો હતો ત્યારે હવે એ જંગ સામે આશાના કિરણ સમી વેકસીન ભારતે શોધી લીધી છે અને...
ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેની સ્મૃતિરૂપે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં રાજપથ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી થાય છે. આ ઉજવણીમાં...
કોરોનાની મહામારીથી હાશકારો થયા બાદ શહેરમાં એક તરફ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓની એક્ઝામ (exam)ની તૈયારીઓ પણ જોરશોરથી...
સિંહલદ્વીપ એટલે કે શ્રીલંકામાં રામાયણનો પ્રચાર ખાસ્સો. ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક પ્રકારના સંબંધો હતા અને જુઓ ગુજરાતી કહેવતમાં શું સાંભળવા મળે...
ભારતનો સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ ભારતના રાજનેતાઓએ પસંદ કર્યો ન હતો. લોર્ડ માઉન્ટબેટને આ દિવસ ભારતનાં લોકો પર લાદી દીધો હતો કારણ...
સપ્તાહના છેલ્લા બે દિવસમાં જે ઝડપી ઘટાડાઓ આપણે જોયા તેણે જાણે બજારને તેના ઘૂંટણિયે લાવી દીધું અને બજારની અસ્થિરતાએ રોકાણકારો માટે ઘણી...
સમય હંમેશા પરિવર્તનિશીલ હોય છે, સમય એક એવી બાબત છે કે જે સતત નિરંતર વહેતો જ હોય છે અને તેની સાથે સંજોગો,...
રિયો ડી જેનેરો – કોરોનાવાયરસ માટે પરીક્ષણ કર્યા બાદ ટીમથી અલગ મુસાફરી કરતાં બ્રાઝિલિયન ક્લબ પાલમાસ Brazilian club Palmas)ના ચાર સોકર ખેલાડીઓનું...
AHEMDABAD : ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ (GUSS) દ્વારા નેતાજી સુભાસચંદ્ર બોઝ (SUBHASHCHANDRA BOSH) ની ૧૨૫ મી જન્મ જયંતિના રોજ અધ્યાપકો માટે “કર્તવ્ય...
AHEMDABAD : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઇકાલે જાહેર થઈ ચૂકી છે. જેના પગલે ભાજપ દ્વારા છ મનપાના ઉમેદવારોની પસંદગી માટે ત્રણ દિવસ...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ નિરીક્ષક તરીકે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ શાહુ (tamradhwaj sahu) ની નિમણૂક કરી છે. સાથે...
આજ દિન સુધી માનવામાં આવતું હતું કે શેર બજારનો સેન્સિટિવ ઇન્ડેક્સ (સેન્સેક્સ) દેશનાં અર્થતંત્રનું બેરોમીટર છે. જો સેન્સેક્સ ડાઉન હોય તો માનવું...
વિશ્વના ચડાવ ‘ગણતંત્રશાસન’ દેશોમાં ભારતનું નામ આદરપૂર્વક લેવાય છે. આપણું ‘સંસદ ભવન’ ગણતંત્ર શાસનનું ગૌરવવંતુ મંદિર છે. ‘સંસદભવન’ હાલ ‘વડાપ્રધાન’નું પદ નરેન્દ્ર...
પ્રજાસતાક દિન પર્વ સામે છે ત્યારે આપણે એવા દેશભકતને યાદ કરીશું કે જેઓ આ સુરતની ભૂમિ પર આઝાદીનો જંગ લડયા હતા. ફકત...
છેલ્લા બે દાયકાથી સુરત બાન્દ્રા વચ્ચે દોડતી ઇન્ટરસીટી ટ્રેન કોઈ તઘલખી નિર્ણય લઈને જામનગર સુધી લંબાવવાને કારણે સંસદ સભ્ય સ્વ.કાશીરામ રાણાએ ઘણી...
નડિયાદ: માર્ગ મકાનના એસ. ઓ. પ્રદીપ સુરીયાલ અને મળતીયા શિવમ દેસાઈ દ્વારા સ્થાનિકોને ધમકાવાયા
નુર્મના આવાસોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર
સાપુતારા ઘાટમાં વિઝિબલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા, વઘઇમાં મજૂરો પર ઝાડ પડતા મહિલાનું મોત
અટલાદરા અને માંજલપુરને જોડતો રેલવે બ્રિજ પાંચ વર્ષે પણ અધૂરો..
ન્યાયિક તપાસ પંચની ટીમ 6ઠ્ઠી જુલાઈએ હાથરસમાં ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે, શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે
વડતાલ સ્વામિના. સંપ્રદાયને લાંછન લગાડતા સંતો સામે પગલાં ભરો
એસએસજી હોસ્પિટલનું વિશ્રામ સદન બંધ હાલતમાં,બહારના દર્દીઓના સગાઓ ચોમાસામાં વિશ્રામથી વંચિત
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ મંદિરે નેત્રોત્સવની ઉજવણી
નડિયાદ પશ્ચિમમાં 5 લોકોએ મકાન પચાવી પાડવાના ઈરાદે ગેરકાયદે કબ્જો જમાવતા લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાઈ
ગુજરાતમાં ભાજપને હરાવીશું તેવો પડકાર ફેંક્યા બાદ રાહુલ ગાંધી કાલે અમદાવાદ આવશે, અગ્નિકાંડ પીડિતોને મળશે
બજાજે લોન્ચ કરી વિશ્વની પ્રથમ CNG બાઇક, CNG પર મળશે 200 કિમીની રેન્જ
કપરાડા હાઇવે ઉપર કન્ટેનર પલટી ગયું, કપરાડા સુધી 10 અને ધરમપુર સુધી 20 કિ.મી. ટ્રાફિક જામ
PM મોદીની રશિયાની મુલાકાત પહેલા ભારતીય સેના માટે સારા સમાચાર, 35000 AK-203 રાઈફલ્સની ડિલિવરી
હજુ તો ચોમાસુ માંડ શરૂ થયું ત્યાં ડેન્ગ્યુના દર્દી ડબલ થઈ ગયા
શહેરમાં મેઘરાજા મન મૂકીને મેઘ મહેર કરતા નથી…
નીતિશ સરકારનું મોટું પગલું: બિહારમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ મામલે 14 એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા
ભાજપે 24 રાજ્યોના પ્રભારી અને સહપ્રભારી જાહેર કર્યા, આ નેતાઓને મળી મોટી જવાબદારી
વુડા સર્કલ પર ટ્રાફિક સમસ્યા નિવારવા સિગ્નલ લગાવ્યા, તો સમસ્યા વધારે વકરી ગઈ
NEET-UG: સમગ્ર પરીક્ષા રદ કરવી તાર્કિક નથી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી
આસામના પૂરમાં 21 લાખથી વધુ લોકો પ્રભાવિત, વધુ 6નાં મોત
વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલનો ડોક્ટર ધમકી આપી યુવતી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતો હતો
ડભોઇના માનીકૃપા યુવક મંડળ દ્વારા આજરોજ હનુમાન મંદિર નજીક ૨૦૦૦ ડીસ ભજીયાનું વિતરણ કરાયું
પાવાગઢથી મઘ્ય પ્રદેશ જતી તુફાન ગાડીને અજાણ્યા ટ્રકે પાછળથી ટક્કર મારી, 12ને ઈજા
PM મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાતનો સંપૂર્ણ વીડિયો સામે આવ્યો, વડાપ્રધાને એવું તો શું કહ્યું કે..
શિવસેના નેતા ઉપર નિહંગોએ રસ્તાની વચ્ચે તલવારથી હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ
ચોરીના કેસમાં DGVCLના બે જુનિયર એન્જિનિયરની ધરપકડ, કંપનીનો જ લાખોનો માલ આ રીતે ચોરી લીધો
વઢવાણામાં થાંભલે ચડેલા વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત
ટ્યૂશન જલ્દી પહોંચવાની ઉતાવળમાં જીવ ગુમાવ્યો, સુરતમાં ધો. 12ની વિદ્યાર્થીનીનું ટ્રેન અડફેટે મોત
કવાંટમાં વાવણીને ફાયદાકારક વરસાદથી ખેડૂતો ખુશ
સુરત: (Surat) યાર્નની કિમતોમાં સતત વધારો થતા પરેશાન વિવર્સ માટે ફેબ્રુઆરી મહિનામાં રાહત થઇ શકે છે. યાર્ન ડિલર્સ (Yarn Dealers) દ્વારા વિદેશથી 1000થી 1500 જેટલા યાર્નના કન્ટેનર્સ મંગાવતા ફેબ્રુઆરીની શરૂઆતથી કિમતોમાં ઘટાડો થવાની સંભાવના કાપડ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. પોલિયેસ્ટર અને નાયલોન યાર્નની કિમતોમાં છેલ્લા છ મહિનાથી મહિનાથી સતત વધારો થઇ રહ્યો છે અને કેટલીક ક્વોલિટીમાં 40 રૂપિયાથી 100 રૂપિયા સુધીનો વધારો થયો છે. ત્યારે ફેબ્રુઆરીની શરૂઆતથી કિમતોમાં ઘટાડો થવાની સંભાવનાને પગલે નવી આશાઓ જાગી છે.
યાર્ન બજારના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિનાથી યાર્નની કિમતોમાં સતત વધારો થતા વિવર્સ પરેશાન થઇ ગયા છે. એક બાજુ વિવર્સનો આરોપ છે કે યાર્ન ઉત્પાદકો કાર્ટેલ્સ બનાવી મનમાની કરી રહ્યા છે અને ગમેતેમ ભાવવધારો કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ યાર્ન ઉત્પાદકોનું કહેવુ છે કે, વિદેશથી યાર્ન આયાતના કાચામાલ તેમજ યાર્ન ઇમ્પોર્ટ કરવામાં મુશ્કેલી નડી રહી છે. શીપિંગ કંપનીઓ દ્વારા કન્ટેનર્સની શોર્ટેજ બતાવી કિમતો વધારવામા આવી રહી છે. તે સહિત અન્ય કેટલાક કારણોસર યાર્નની કિમતો વધી રહી છે. આ તમામ વિવાદો વચ્ચે પોલિયેસ્ટર અને નાયલોન યાર્નની કિમતોમાં છેલ્લા છ મહિનાથી મહિનાથી સતત વધારો થઇ રહ્યો છે અને કેટલીક ક્વોલિટીમાં 40 રૂપિયાથી 100 રૂપિયા સુધીનો વધારો થયો છે.
વિવર્સોએ આ અંગે અનેકવાર યાર્ન ઉત્પાદકો સમક્ષ રજૂઆત કરી છે અને યાર્ન ખરીદીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે પરંતુ અત્યાર સુધી તેનો યાર્નની કિમતો પર કોઇ ફેર પડ્યો નથી. જોકે હવે આગામી દિવસોમા યાર્નની કિમતોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ ઉભી થઇ રહી છે. યાર્ન વ્યવસાયી બકુલ પંડ્યાએ જણાવ્યું હતું કે હાલ બજાર ઠંડુ છે, વિવર જરૂર પ્રમાણે ખરીદી કરી રહ્યા છે. અન્ય એક યાર્નડીલર રાકેશ કંસલે જણાવ્યું હતું કે ચીન સહિતના દેશોથી 1000થી 1500 જેટલા યાર્નના કન્ટેનર્સ આયાત કરવામાં આવ્યા છે. 1 ફેબ્રુઆરીથી યાર્નની કિમતોમાં ઘટાડો થાય તેવી સંભાવના છે.
ગુજરાતની ટેકસટાઇલ એન્ડ ગારમેન્ટ પોલિસીમાં કેપિટલ સબસીડીની જોગવાઇ કરવા રજૂઆત
અમદાવાદ સ્થિત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ) ખાતે ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર તેમજ ઇન્ડેક્ષ બીના ચેરમેન ડો. રાહુલ ગુપ્તા સાથે નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી અંગે પરિસંવાદ યોજાયો હતો. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ રજૂઆત કરી હતી કે, ગુજરાત સરકારની ટેકસટાઇલ એન્ડ ગારમેન્ટ પોલિસીમાં કેપીટલ સબસિડીનું પ્રાવધાન નથી. કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ટેકસટાઇલ એકમોને રપ ટકા સુધીની કેપીટલ સબસિડીનું પ્રાવધાન છે. આથી ગુજરાતની ટેકસટાઇલ એન્ડ ગારમેન્ટ પોલિસીમાં પણ ઉદ્યોગકારોને કેપીટલ સબસિડી મળી રહે તેવી જોગવાઇ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.