નોવેલ કોરોનાવાયરસના હાહાકાર વચ્ચે દુનિયાના શેરબજારોના હાલ બગડ્યા છે. આ દરમિયાન દુનિયાના ટોચના અમીરોની સંપત્તિમાં પણ અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. ભારતના સૌથી...
આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ઘણા માનવતાના દ્ર્શ્યો પણ સામે આવી રહ્યા છે. શહેરમાં ઘણી સંસ્થાઓ તંત્રને...
સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના હાહાકાર વચ્ચે શહેરની ઘણી અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા તંત્રને મદદ કરવામાં આવી રહી છે. જેમાં આજદિન સુધીમાં મનપાને...
ટેસ્ટમાં પણ ટી-20 અંદાજમાં રમતા કીવી બેટ્સમેન જોક એડવર્ડસનું 64 વર્ષની વયે નિધન થયું છે. જેથી તેમના ચાહકોમાં શોક વ્યાપ્ત છે. ન્યુઝીલેન્ડ...
વલસાડ શહેર અને તાલુકામાં લોકડાઊન ના ભંગ કરતા લોકો ને પોલીસે ડ્રોન વડે ૩ અને સીસીટીવી કેમેરા ના આધારે ૫ મળીને કુલ...
ચીખલી તાલુકાના તલાવચોરામાં આંતરિક માર્ગ ઉપર મરેલા મરઘા ફેંકી દેવાતા રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી જવા પામી હતી. તલાવચોરામાં ચીખલી અટ ગામ મુખ્યમાર્ગ...
સોમવારે બપોરે 204 દેશો અને પ્રદેશોમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુની સંખ્યા વધીને 70 હજાર 183 થઈ ગઈ છે. 12 લાખ 82 હજાર 860...
રાંદેર વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનનના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે રાંદેર વિસ્તારને માસ કોરેન્ટાઈન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે...
સુરત એ.પી.એમ.સી. માર્કેટ બેમુદતી સમય માટે બંધ કરવાના કારણોસર આજથી શાકભાજી અને ફળફળાદીના ભાવોમાં અતિશય ઉછાળો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈને...
હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ...
સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે...
જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણ્ય કરવામાં આવ્યો...
સુરતમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં સુરતમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને સોમવારે વધુ બે પોઝીટીવ કેસ...
દુનિયાના દેશોમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા 69,424 લોકોના મોત થયા હોવાની પૃષ્ટી થઇ...
હરિયાણામાં લોકડાઉનનો તે 13 મો દિવસ છે. સોમવારે સવારે કરનાલમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘આપણા સંસ્કારો, આપણું સમર્પણ, દેશની...
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના દસ દિવસ પછી પણ કોરોનાવાયરસના લક્ષણો ચાલુ જ રહેતા પરીક્ષણો માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહેલી પુણા પોલીસના પાપની સજા હવે આખુ શહેર ભોગવશે. આ શહેરના પોણા કરોડ લોકોને આજથી શાકભાજી...
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે અને કાયમ વ્યાપાર ધંધાઓ અને દુનિયાભરના લોકોની અવર જવરથી ધમધમતું રહે છે. આજે...
ભારતમાં કોરોના વાયરસના મહત્તમ કેસો વિશે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ટોચ પર આવે છે. મુંબઇની એક હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો કોરોનામાં...
કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં લેતા, જ્યાં દેશને તાળાબંધી કરવામાં આવી છે તો આરએસએસએ પણ ઘણા મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રીય...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલીમાં હવે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અને અહીંની સરકારે લૉકડાઉન ઉઠાવી લેવા...
બોલિવૂડના જાણીતા નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શઝા મોરાનીએ નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. શઝા માર્ચના પહેલા અઠવાડિયામાં શ્રીલંકાથી પરત આવી...
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ ખતરનાક સાબિત થયો...
75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન...
અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે...
રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો...
ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો...
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
ઓડિટ-PRO કોલ્ડ વોર મુદ્દે GAD તપાસના આદેશ: “કોઈપણ ગેરવ્યવસ્થા સહન નહીં થાય”ની કમિશ્નરની ખાતરી બાદ કર્મીઓ ફરજ પર પરત
વડોદરા મહાનગર પાલિકા ની કચેરીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આંતરિક વિખવાદે ગુરુવારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રાહિત વ્યક્તિઓની કનડગત અને ત્રાસથી હેરાન પરેશાન થયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક વિરોધ દર્શાવતા માસ સીએલ પર ઉતરી ગયા હતા. આ અણધાર્યા પગલાને કારણે શુક્રવારે મહાનગર પાલિકાની કચેરીઓ સુમસામ જણાઈ હતી, મોટાભાગની ઓફિસોમાં વહીવટી કામકાજ રોકાઈ ગયું હતું અને કચેરીઓમાં અંધારપટ છવાયો હતો.
કર્મચારીઓએ માસ સીએલ માટે આપેલા આવેદનમાં ખાસ કરીને ઓડિટ વિભાગ અને પીઆરઓ શાખા વચ્ચેના આંતરિક મતભેદોનો ઉલ્લેખ થતાં મામલો વધુ વણસ્યો હતો. આ વિવાદમાં પીઆરઓ વિભાગના જીગ્નેશ ગોહિલનું નામ પણ સામે આવતા બંને વિભાગો વચ્ચેનો કોલ્ડ વોર જાહેરમાં આવ્યો હતો.
કર્મચારીઓની અરજીમાં પીઆરઓ વિભાગ સાથેના મતભેદો સપાટી પર આયા હતા, વહીવટી તંત્રના વિવિધ વિભાગો વચ્ચે સર્જાતા મતભેદો વહીવટમાં વિક્ષેપ પેદા કરી રહ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.
શનિવારે કમિશ્નરની તાત્કાલિક દખલગીરી અને તપાસના આદેશ બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે. કમિશ્નરની ખાતરી બાદ અધિકારીઓએ પોતપોતાની ફરજ પર હાજરી આપી દીધી છે, જેથી વહીવટી કામગીરી ફરી સામાન્ય બની હતી અને તણાવપૂર્ણ વાતાવરણમાં થોડું શાંત બન્યું હતું. જોકે, જીએડી તપાસના અંતે કયા તથ્યો સામે આવે છે, તેના પર સૌની નજર ટકેલી છે.

વહીવટી કામગીરી પર અસર ન પડે તે માટે મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુએ શનિવારે તાત્કાલિક બેઠક બોલાવી હતી. તેમણે સમગ્ર ઘટનાને ગંભીરતા પૂર્વક લઈ તાત્કાલિક પગલાં લીધા હતા.કમિશ્નરે સ્પષ્ટતા કરી:
”કોઈપણ પ્રકારની ગેરવ્યવસ્થા સહન નહીં થાય. તમામ વિભાગો વચ્ચે સુમેળ રહે તે માટે જરૂરી પગલાં લેવાશે. અમે ખાતરી આપીએ છીએ કે આ સમસ્યાનું નિરાકરણ ટૂંક સમયમાં લાવવામાં આવશે.”
તેમણે સમગ્ર મામલાની ગૂવરમેન્ટ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરવાના આદેશો પણ આપ્યા હતા.

– સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન:
ઓડિટ અને પીઆરઓ શાખા વચ્ચે ચાલી રહેલા અણબનાવ પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ”બંને વિભાગો મહાનગર પાલિકાની મહત્વની કડી છે. અમે આંતરિક મતભેદો ઉકેલવા માટે વહીવટી સ્તરે ચર્ચા કરીશું. હાલ અમારી પ્રાથમિકતા એ છે કે આ વિખવાદના કારણે મહાનગર પાલિકાના કામકાજ પર કોઈ અસર ન પડે.”
:- પાલિકાના ચીફ ઓડિટર હરિકૃષ્ણ રાવે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું ”અધિકારીઓએ આવેદનમાં ઓડિટ વિભાગનો ઉલ્લેખ કર્યો છે, જેનાથી નવો વિવાદ શરૂ થયો છે. વહીવટી તંત્રના નિયમો અને પારદર્શિતા જાળવવાની અમારી ફરજ છે અને અમે તે નિભાવતા રહીશું. આંતરિક મતભેદો દૂર કરવા માટે અમે વહીવટી સ્તરે સંપૂર્ણ સહયોગ આપીશું.”
