મિત્રો અને દુશ્મનો – બંને સામે ‘રાષ્ટ્રવાદ’ના આવરણ હેઠળ કામ ચલાવવાનો ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની વર્તમાન સરકારનો શોખ લાગે છે. આથી...
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવો જે ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો તે હવે દૂર થાય તેવી સંભાવના છે....
લુણાવાડા : મહીસાગર જિલ્લા મથક લુણાવાડા નગર અને તાલુકામાં વન વિભાગ પોતાની જમીન જાળવવામાં નિષ્ફળ નિવડી રહ્યો તેમ જણાઈ રહ્યું છે.જે જગ્યા...
નડિયાદ: ડાકોર-ઠાસરા રોડ પર ચાલતાં નવા ફ્લાય ઓવરબ્રિજની કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડવાથી નગરજનો ત્રણ દિવસથી પાણી માટે વલખાં...
સંતરામપુર : સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પથી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી એટલે કે સત્યસંકલ્પદાસજી સ્વામીએ 2021નું વર્ષ મુમુક્ષુ બનીએ વર્ષ તરીકે જાહેર...
દાહોદ: દાહોદ જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો છેવાડાના વ્યકિત સુધી લાભ મળે . તેવી કામગીરી...
સિંગવડ: સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જીઇબી કોન્ટ્રાક્ટર નું કામ કરતાં વિક્રમભાઈ ચૌહાણ ના ઘરના આગળના ભાગમાં એલ્યુમિનિયમના વાયર ના ત્રણ બંડલ પડ્યા...
દાહોદ: ફતેપુરા તાલુકા ના ભોજેલા ગામ આવેલ પાતાલેશ્વર મંહાદેવ મંદિર પોરાણીક,ઐતિહાસિક પ્રતિમાઓનું અખુટ ભંડાર ધરાવતુ શિવ મંદિર છે આ જગ્યા પર એક...
વડોદરા: પાદરાની અરવલ્લી કંપનીમાં સિક્યુરીટીની ફરજ બજાવતા આધેડ ઉપર ચોરીની પુછતાછના બહાને પાદરા પોલીસે પિતા-પુત્ર ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો પુત્રને ટેબલ...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ઘણા લાંબા સમય બાદ શુક્રવારે કોરોના નો એક પણ કેસ નહીં નોંધાતા...
વડોદરા: ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ૩.૫ કિલોમીટરના બ્રિજ કામગીરી હજુ બે વર્ષથી વધુ નાગરિકોને રાહ જોવી પડશે. એક બાજુ ગુજરાત પોલીસ...
વડોદરા: ગુજરાત હાઉસીંગ બોર્ડના અવાવરૂ મકાનમાં દારૂનો વેપલો કરતા બૂટલેગર પાસેથી દારૂ-બિયરના જથ્થો મળી આવતા બાપોદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો....
વડોદરા: ખાનગી કંપનીના ભૂતપૂર્વ કર્મચારી અને તેના સાગરીતે બનાવટી ચાવી વડે ખોલીને પાંચ લાખની રોકડ તફડાવીને પલાયન થઈ ગયા હતા. જવાહરનગર પોલીસે...
કેવડિયા કોલોની: કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓ ને પણ નડી રહી છે અને આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ...
ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ શાહબુદ્દીને ભારતને ધમકાવતો એક ઑડિયો મેસેજ જારી કર્યો છે. આ સંદેશામાં તેણે જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદ...
આ સમય ૨૦૨૪ની લોકસભા ચૂંટણીઓ જીતવા માટેના અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજકીય મજબૂરીઓથી ઉપર ઉઠવાનો છે એમ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ...
અંકલેશ્વર જીઆઇડીસીના જોગર્સ પાર્કથી ભરૂચ જિલ્લા યુવા ભાજપ અને બાઇસિકલ ક્લબ અંકલેશ્વરના સહયોગથી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાનીમાં સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું...
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓને પણ નડી રહી છે. આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ કરી ચાલતા જવું પડે છે. સ્ટેચ્યુ ઓફ...
સમગ્ર ભરૂચ જિલ્લામાં બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં સૌથી વધુ અરબી સમુદ્ર કિનારે હાંસોટ તાલુકામાં સવા ત્રણ ઇંચ...
ઉમરપાડાનાં જંગલોની વચ્ચે આવેલા દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. સતત વરસી રહેલ વરસાદને પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવે...
ઓલપાડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે સારી એવી નામના ધરાવતી શ્રી સાયણ ખાંડ ઉદ્યોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલ દેલાડ(સાયણ)માં ગુરુવારે બપોરે ૧:૩૦ કલાકે...
ચોમાસા દરમિયાન વરસાદે બીજા રાઉન્ડની બેટિંગ શરૂ કરતાં જ કડોદરા ચાર રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યાએ અજગર ભરડો લીધો છે. આયોજન વગરની અંદર...
સુરત શહેર પણ હવા પ્રદૂષણના મામલે દિલ્હીને ટપારી આગળ નીકળી જાય તો નવાઇ નહીં. કારણ કે, ગયા સપ્તાહમાં પ્રદૂષણ ઓકતાં જીપીસીબીની અડફેટે...
સુરત: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તે આગાહી ફરી એક વાત ખોટી ઠરી છે....
સુરતમાં આગામી દિવસોમાં બનનારા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ એટલે કે નવા રેલવે સ્ટેશનની ઊંચાઈ 121 મીટરની હશે. જેમાં 31 માળની ફાઈવ સ્ટાર...
સોમનાથ ખાતે સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયાના હસ્તે નવનિર્મિત થનારા પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ કરાયો હતો. પાર્વતી મંદિરના નિર્માણ માટે અંદાજે 21થી...
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 43 દિવસ બાદ ફરી ભૂકંપ થયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર...
અમેરિકામાં કોવિડ-૧૯ના કેસો બાળકોમાં ખૂબ વધી જતા મોટી ચિંતા સર્જાઇ છે અને ઘણા બાળકોની વય પણ આ રોગની રસી લેવા માટે ખૂબ...
ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ફ્લેગ...
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ દિલીપ ઉમાને લીધી હતી.રૂપાણી સાથેની આ મુલાકાતમાં...
8000 મુસાફરો સામે માત્ર 2 ટ્રેન, પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો; મહિલાઓ બેરિકેડ કૂદી, 2 મુસાફરો બેભાન
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે હજારો મુસાફરોની ભારે ભીડને કારણે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉનાળાની રજાઓને કારણે વતન જવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેશન પર ઉમટ્યા હતા, પરંતુ મુસાફરોની સંખ્યાની સામે માત્ર બે ટ્રેન ઉપલબ્ધ હોવાથી સ્થિતિ તંગ બની ગઈ હતી.
માહિતી મુજબ અંદાજે 8000થી વધુ મુસાફરો સ્ટેશન પર એકઠા થતા પ્લેટફોર્મ પર ભારે ધક્કામુક્કી સર્જાઈ હતી. ભીડ નિયંત્રણ માટે રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે કેટલાક વિસ્તારોમાં હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.આ દરમિયાન ગભરાટ ફેલાતા કેટલાક મુસાફરો બેરિકેડ તોડી પ્લેટફોર્મ તરફ દોડી ગયા હતા. મહિલાઓ પણ બેરિકેડ કૂદીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતી નજરે પડી હતી. અચાનક વધેલી ભીડ અને ગભરાટના કારણે બે મુસાફરો બેભાન થઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મુસાફરોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યું હોત તો આવી પરિસ્થિતિ સર્જાતી નહીં. ઘણા મુસાફરો કલાકો સુધી પરિવાર અને નાના બાળકો સાથે પ્લેટફોર્મ પર રાહ જોતા રહ્યા હતા, જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દર વર્ષે ઉનાળાની રજાઓ દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સંખ્યા વધતી હોવા છતાં વધારાની ટ્રેનોની પૂરતી વ્યવસ્થા ન થવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. મુસાફરો દ્વારા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. હાલ પોલીસ અને રેલવે તંત્રના જણાવ્યા મુજબ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે વધુ સુવ્યવસ્થિત આયોજન કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.