સુરત મહાનગર પાલિકા સામે જુદી જુદી માંગ સાથે આપના વિપક્ષના નેત અને અન્ય બે કોર્પોરેટર ઉપવાસ પર ઉતર્યા છે. વિપક્ષ નેતાએ ચીમકી...
ભારતમાં આમ તો ઘણાય ફરવા લાયક સ્થળ છે. જેને જોઈ તમારું મન મંત્રમુગ્ધ થઈ જશે. ગાર્ડન એક એવી જ્ગ્યા હોય છે જ્યાં...
કોરોનાએ લોકોના વ્યાપાર ધંધા પર ઉંડી અસર પાડી છે. ત્યારે લોકો પણ કોરોનાનો ઉપયોગ કરીને ધંધા વ્યાપારમાં કંઇક નવું કરી રહ્યા છે....
સુરતના ગોડદારામાં એક શિક્ષકનો મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખીને તેને ગેસના ગોડાઉનમાં લઇ ગયા બાદ ત્યાં નાયલોનની દોરીથી ફાંસો આપી તિક્ષ્ણ...
કેરેક્ટર અને સેક્સ બંને સાવ જુદી બાબત છે. આપણે ત્યાં સેક્સ વિશે લખવું કે બોલવું એ ચિપ બાબત હજુ માનવામાં આવે છે...
કોરોના વાયરસ ( CORONA VIRUS) થી સંક્રમિત મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ( SACHIN TENDULKAR) ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે આ...
મદુરાઈ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (MP MODI) શુક્રવારે કેરળ (KERALA) માં એપ્રિલની વિધાનસભાની ચૂંટણી (ASSEMBLY ELECTION) માટે બે ચૂંટણી સભાઓને સંબોધન...
દાહોદ: દાહોદ રેલ્વે સ્ટેશને ખાતે ગુરૂવારે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપદાના સમયે કોઈ આતંક વાદી જાે રેલ્વે...
કાલોલ: કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં વર્ષો થી ગંદકી ના ઠેરઠેર ઢગલા જોવામા આવે છે વેજલપુર ગ્રામ પંચાયતમાં અને કાલોલ તાલુકા પંચાયતમાં...
મોડાસા : સમગ્ર દેશમાં કરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પછી ગુજરાતમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું...
“માસ્ક એ જ આપણું વેકસીન” સૂત્રને અપનાવી જાતે સુરક્ષિત રહી બીજાને પણ સુરક્ષિત રાખીએ લુણાવાડા :: સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવી રહેલા...
મહિસાગર: આખા વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના સંકટમાં સંકડાઈ ગયું છે ત્યારે લોકો વધુ સંક્રમિત ના થાય તેવા ઉદ્દેશથી મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના...
નડિયાદ: કપડવંજમાં રહેતી સગીરાને સોશિયલ મિડીયા ઉપર સંપર્ક થયા બાદ લગ્નની લાલચ આપીને ભગાડી જઇ તેની પર દુષ્કર્મ આચરનાર રાજકોટના શખ્સને...
વડોદરા: આજથી 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના રસીકરણનો પ્રારંભ થયો છે ત્યારે કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા શહેરની ભાગોળે આવેલા કેલનપુર પ્રાથમિક...
વડોદરા: વડોદરા શહેરના જય નારાયણ સુંદરકાંડ પરિવાર દ્વારા નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા પરિક્રમમાં 321 શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 3500 કિલો...
કોરોનાં પોઝિટિવના ગુરુવારે વધુ 391 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 28,780 ઉપર પહોંચ્યો છે.જ્યારે બુધવારે પાલિકા દ્વારા...
વડોદરા: ક્રિકેટ હબ વડોદરાના પૂર્વ ક્રિકેટર સેસિલ વિલિયમ્સનું બુધવારની રાત્રે 9.30 કલાકે નિધન થયું છે. તેમણે ચાર દિવસ પહેલા કોરોનાની રસી...
GANDHINAGAR : ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા લવ જેહાદ્દને ( LOVE JIHAD ) રોકવા માટે મહત્વનું ગણાય તેવું ગુજરાત...
વડોદરા : વડોદરા શહેર માં વધતા જતા વ્યાપ વચ્ચે નવજાત બાળકો પણ કોરોના સંક્રમિત થયા હોવાનો પ્રથમ કિસ્સો વડોદરામાં બનવા પામ્યો છે.એએસજી...
સરકાર પણ આપણને એપ્રિલ ફૂલ બનાવી શકે છે. બુધવારે રાતે કેન્દ્ર સરકારે નાની બચતોના વ્યાજમાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરીને મધ્યમ વર્ગને...
GANDHINAGAR : આધુનિક શિક્ષણનીતિ, હાલની શિક્ષણની માંગને સુસંગત એક નવા અને આધુનિક રૂપમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને દિશા આપવા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક,...
GANDHINAGAR : રાજ્યમાં ચિકિત્સા સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને સેવાઓના સમાન ધોરણો સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અને રાજ્યને લાગુ પડતો ગુજરાત...
સમગ્ર વિશ્વમાં 22 માર્ચને વિશ્વ જળ દિન તરીકે મનાવવામાં આવે છે. જે ગયા અઠવાડિયે જ વીતી ગયો. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ...
ગાયના ગોબર પર ઘી લગાવી હવન કરવાથી કોરોના વાયરસની અસરથી મુકત રહી શકાય છે એવા મધ્યપ્રદેશના મહિલા ઉર્જા મંત્રીના કથનથી વિવાદ થયાનું...
વનવાસ દરમિયાન માતા સીતાને પાણીની તરસ લાગે છે ત્યારે ભગવાન રામ કુદરતને કહે છે કે, આસપાસ કયાંય પાણી હોય તો ત્યાં સુધી...
એક સમય એવો હતોજયારે ભારત વિશ્વમાં વૈદિક, આયુર્વેદિક, સંસ્કૃતિમાં અવ્વલ હતું. આજના 21મી સદીના યુગમાં જયારે વિકાસની દિશામાં દેશ ગતિ કરી રહયો...
ચંદ્રનો જન્મ 4-5 બિલિયન વર્ષો પહેલાં થયો હતો. પૃથ્વીથી ચંદ્ર 238900 માઇલ દૂર છે. એની સુંદરતા અને શીતળતા અદ્ભૂત છે. વિજ્ઞાન, અત્યંત...
એક ફૂલો પર ફરનારો ભમરો અને છાણમાં રહેનારા કીડા વચ્ચે દોસ્તી થઇ.એક દિવસ છાણમાં રહેતા કીડાએ ભમરાને કહ્યું, ‘તું મારો દોસ્ત છે...
સુરત: ફાયર સેફ્ટીને લઈ બેદરકારી દાખવનારા તેમજ ફાયરની નોટિસોને પણ ઘોળીને પી જનારા બેદરકારો સામે ફાયર વિભાગ દ્વારા સમયાંતરે લાલ આંખ કરી...
‘‘દવાઈ ભી ઔર કડાઈ ભી’’ આવું અદ્ભુત સૂત્ર આપનાર નેતા ચૂંટણી પ્રચારના મંચ પરથી લાખોની ભીડ નહિ જોતા હોય? સોશિયલ ડિસ્ટન્સ અને...
ગાંધીનગર : એક તરફ રાજયભરમાં પોલીસ કમિશનર તથા જિલ્લા કલેકટરો અને જિલ્લા પોલીસ વડા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની ગાઈડલાઈનને ધ્યાને લેતા રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, તેવા પ્રકારના નોટિફિકેશન બહાર પાડયા છે, બીજી તરફ નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકાશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે. સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું હતું.
નવરાત્રિ મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આ વખતે નવરાત્રિને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકાશે. સાથે જ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો – વ્યવસાય પણ કરી શકશે. આ અંગે નવરાત્રિને લઈને 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.
એક તરફ લો પ્રેશર સિસ્ટમ તથા અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રિને લઈને ગુજરાતભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલા ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે.
અગાઉ નવારાત્રીમાં આયોજકો દ્વારા ફરજ તબીબો, એમ્બ્યૂલન્સ, AI કેમેરા, CCTV, ફાયર સેફ્ટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબા રમવા સૂચન આપવામાં આવ્યું હતુ. તે સાથે આયોજકો માટે પણ ગાઈડલાઈન મુજબ નવરાત્રિનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.