National

જમ્મુ-કાશ્મીરમાં એરફોર્સના વાહન પર મોટો આતંકી હુમલો, પાંચ જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના (Jammu kashmir) પૂંચમાં ભારતીય વાયુસેનાના વાહન (Air Force vehicle) પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં સેનાના પાંચ જવાન ઘાયલ થયા છે. આતંકવાદી હુમલા બાદ બંને પક્ષો વચ્ચે 30 થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ ઘટના પૂંચ જિલ્લાના મેંધર સબ ડિવિઝનના દન્ના શાસ્તર વિસ્તારમાં બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાના એક વાહન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે જે વાહન પર ગોળીબાર થયો હતો તેના પર એક ડઝનથી વધુ ગોળીઓના નિશાન છે.

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓના આ હુમલામાં પાંચ જવાન ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસ અને સેના વિસ્તારમાં પહોંચી ગઈ છે. આતંકીઓની શોધ ચાલી રહી છે. હુમલા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. હુમલો સાંજે 6 વાગ્યાની આસપાસ થયો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે હુમલો શશિધર નજીક સાંજે થયો જ્યારે વાહનો જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં સનાઈ ટોપ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં બક્કરવાલ મોહલ્લા સનાઈ પાસે આતંકવાદીઓએ હુમલો કર્યો. હુમલા દરમિયાન અન્ય સૈનિકોએ તરત જ તેમની સ્થિતિ સંભાળી અને જવાબી ગોળીબાર કર્યો. પાંચ જવાનો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એરપોર્ટની અંદર શાહસિતાર પાસેના જનરલ એરિયામાં વાહનોને સુરક્ષિત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top