Gujarat

ગુજરાત સરકાર પણ રોકશે લવ જેહાદ : ધર્મ પરિવર્તન માટેનો કાયદો કડક કરવાની તૈયારી

સમગ્ર દેશ સહીત ગુજરાતમાં “લવ જેહાદ” એટલે કે ધર્મ પરિવર્તનના બનાવો એક હદ સુધી વધી રહ્યા છે, ત્યારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદવિરોધી કાયદો લાવવા માટે વિચારણા ચાલી રહી છે, અને રાજ્યના ગૃહ અને કાયદા વિભાગ (LAW DEPARTMENT|) દ્વારા શક્યતા ચકાસવામાં આવી રહી છે, જેમાં લવ-જેહાદ અંગેના સુધારા કરી નવી કલમો ઉમેરવા અથવા અન્ય રાજ્યોની જેમ અલગ કાયદો બનાવવો એની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં હાલ અમલમાં છે એ ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ (GUJARAT FREEDOM OF RELIGION ACT ) 2003 અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત છે. જેમાં જબરદસ્તીથી ધર્મપરિવર્તનના કેસમાં 3 વર્ષની સજાની જોગવાઈ છે. જો કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ દેશના યુપી અને મધ્યપ્રદેશની જેમ અલગથી લવ-જેહાદ કાયદો લાવવાની તૈયારી કરી રહી છે, જે અંતર્ગત એવી વ્યક્તિઓ, જેઓ લગ્ન અથવા પ્રેમના નામે સામેના પાત્રને દબાણ કરીને ધર્મપરિવર્તન (CONVERSION) માટે પ્રયાસ કરે છે, તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવશે.

યુપી-મધ્યપ્રદેશની જેમ રાજ્ય સરકાર લવ-જેહાદ કાયદો લાવવાની તૈયારીમાં
સૂત્રના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે આ મામલે જુદા જુદા વિભાગો ગૃહ વિભાગ, કાયદા વિભાગ અને વિધાનસભા સાથે આ બાબતોના વિભાગને યુપી અને મધ્યપ્રદેશની સરકારો દ્વારા લાગુ કરવામાં આવેલા લવ-જેહાદવિરોધી કાયદાનો અભ્યાસ (STUDY) કરવા અને એની કાયદેસરતા (LEGALITY) તપાસવા માટે જણાવ્યું છે. આ દરમિયાન નવો કાયદો વિધાનસભામાં પસાર થાય એ પહેલાં રાજ્ય સરકાર ઓર્ડિનન્સ એટલે કે અધ્યાદેશ દ્વારા આ કાયદાને લાગુ કરવા અંગે પણ વિચારી રહી છે.

ગુજરાતના એક્ટ 2003 અંતર્ગત ધર્મપરિવર્તન પ્રતિબંધિત
આ ઉપરાંત ગુજરાતમાં ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ 2003 અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પહેલાથી જ પ્રતિબંધિત છે, આ કાયદા અંતર્ગત જો કોઈપણ વ્યક્તિ દબાણ હેઠળ ધર્મપરિવર્તન કરાવતી જણાય તો તેને 3 વર્ષની જેલ (JAIL) અને રુ. 50,000 સુધીનો દંડ થઈ શકે છે. જોકે આ કાયદામાં સુધારણા કરવી અથવા તો રાજ્ય સરકારે હવે નવા કાયદાને લાવીને લવ-જેહાદ મામલે કાયદેસર પગલાં ભરવા વિચારણા શરૂ કરી છે. હાલના ધર્મપરિવર્તનના કાયદામાં લવ-જેહાદનો દૃષ્ટિકોણ ઉમેરીને એને વધુ મજબૂત કરવા પણ રાજ્ય સરકારે એકે વિચારણા રાખી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top