Science & Technology

ચંદ્રયાન-3ની પ્રથમ ભ્રમણકક્ષા બદલાઇ, આટલા હજાર કિમી દૂર પહોંચ્યું

નવી દિલ્હી: ભારતના (India) ત્રીજા મૂન મિશનનું 13 જુલાઇના રોજ શ્રી હરિકોટાથી સફળ લોન્ચિંગ (Launching) કરવામાં આવ્યુ હતું. જે બાદ ચંદ્રયાન-3 (Chandrayaan-3) કયાં સુધી પહોંચ્યુ તે જાણવા માટે ઇસરોના (ISRO) વૈજ્ઞાનિકો તેની ભ્રમણકક્ષા સાથે સંબંધિત ડાટાનું વિશ્લેષણ કરી રહ્યા છે. જો કે હાલ ચંદ્રયાન-3ની પ્રથમ કક્ષા બદલાઇ ગઇ છે. ઇસરોએ ચંદ્રયાન-3નું પ્રથમ ઓર્બિટ મેન્યૂવરિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ છે. હવે તે 42 હજાર કિમીથી પણ વધુ ઝડપે પૃથ્વીની ચારેબાજુ લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે.

આ ચંદ્રયાન-3ના લોન્ચિંગ બાદ તેની ઝડપને પેરીજી અને એપોજીમાં માપવામાં આવે છે. જેમાં ઓછું અંતર એટલે પેરીજી અને લાંબુ અંતર એટલે એપોજી હોય છે. મૂન મિશનના લોન્ચિંગ બાદ તેને 170 કિમીની પેરેજી અને 36,500 કિમીના એપોજીના લંબગોળ કક્ષામાં દાખલ કરવામાં આવ્યુ હતુ. પૃથ્વીની આસપાસ પાંચ વખત ભ્રમણકક્ષાનો મૈન્યૂવર થશે. એટલે કે તેના વર્ગ બદલવામાં આવશે. જેમાં ચાર વખત એપોજી બદલવામાં આવશે. જ્યારે એક વખત પેરેજી બદલવામાં આવશે.  

મળતી માહિતી મુજબ 15 દિવસ પછી એટલે કે 31 જુલાઈ, 2023ના રોજ ચંદ્રયાન-3 પૃથ્વીથી દસ ગણું દૂર પહોંચી ગયું હશે. જો કે ઈસરોના વૈજ્ઞાનિકો એપોજી બદલીને તેનું અંતર વધારતા રહેશે. આ અંતર પૃથ્વીથી લગભગ 1 લાખ કિલોમીટર દૂર પહોંચે ત્યાં સુધી સતત વધશે. અહીં પહોંચ્યા બાદ વૈજ્ઞાનિકો તેને ગિલોલ બનાવશે. એટલે કે ચંદ્રયાન-3ને સ્લિંગશૉટ દ્વારા ટ્રાન્સલુનર ઇન્સર્ટેશનમાં મોકલવામાં આવશે. આ લાંબી ભ્રમણકક્ષામાં પાંચ દિવસ એટલે કે 5-6 ઓગસ્ટે મુસાફરી કર્યા પછી ચંદ્રયાન-3 ચંદ્ર ભ્રમણકક્ષાના નિવેશ તબક્કામાં હશે. ત્યારબાદ ચંદ્રયાન-3ની પ્રોપલ્શન સિસ્ટમ ચાલુ કરવામાં આવશે. તેમજ તેને આગળ ધકેલવામાં આવશે. તેને ચંદ્રની 100 કિલોમીટરની ઉપરની કક્ષામાં મોકલવામાં આવશે. 17 ઓગસ્ટે પ્રોપલ્શન સિસ્ટમ ચંદ્રયાન-3 ના લેન્ડર-રોવરથી અલગ થઈ જશે.

ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ પછી સૌથી મુશ્કેલ કામ તેના ઉતરાણના પ્રકિયા શરૂ થશે. પ્રોપલ્શન મોડ્યુલને અલગ કર્યા પછી લેન્ડરને ચંદ્રની 100X30 કિમીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવશે. આ માટે ડીબૂસ્ટિંગ કરવું પડશે. એટલે કે તેની સ્પીડ ઓછી કરવી પડશે. આ કામ 23 ઓગસ્ટે કરવામાં આવશે. જે ઈસરોના વૈજ્ઞાનિકો તેમજ સમગ્ર ભારત દેશ માટે ખૂબ જ મહત્વનો દિવસ હશે.

Most Popular

To Top