Gujarat

અષાઢી બીજે રથયાત્રા યોજાય તેવી સંભાવના: ત્રણ રથ સવારે 7 વાગ્યે પરંપરાગત રીતે નીકળશે

રાજ્યમાં કોરોનાના કેસો 90થી પણ નીચે ઊતરી જતાં હવે અમદાવાદમાં આગામી અષાઢી બીજ-12મી જુલાઈના રોજ જમાલપુરમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળે તેવી પૂરેપૂરી સંભાવના છે. બુધવારે ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ છે.

જો કે, રથયાત્રમા માત્ર ત્રણ રથ અને બે પ્રસાદીની ટ્રકોને મંજૂરી સાથે ભગલાન જગન્નાથજી નગરચર્યાએ સવારે 7 વાગ્યે નીકળશે. તે પછી સરસપુરમાં મોસાળમાં 10 મિનીટનો વિરામ કરીને પરંપરાગત માર્ગ પર થઈને બપોરે 12 વાગ્યે જ ત્રણેય રથ મંદિરે પરત આવી જાય તેવી તૈયારી ચાલી રહી છે. હાલમાં જગન્નાથજી મંદિર રથયાત્રાની પૂર્ણ તૈયારી ચાલી રહી છે.

અષાઢી બીજે છેલ્લાં કેટલાંક વર્ષોની પરંપરા મુજબ કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ પણ અમદાવાદ આવશે. એટલું જ નહીં મંગળા આરતીમાં પરિવાર સાથે ભાગ લેશે. તે પછી સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહિન્દ વિધિ પણ કરશે. એટલુ જ નહીં ભગવાનના રથને ખેચીને રથયાત્રાનો આરંભ કરાવશે.

સવારે રથ ખેંચવા માટે અલાશી ભાઈઓને રસી આપવા માટે તૈયારી ચાલી રહી છે. અંતે બપોરે 12 વાગ્યાની આસપાસ ત્રણેય રથ નીજ મંદિરે પરત આવી જાય તેવી તૈયારી કરાઈ રહી છે. ભક્તોને પણ બહાર નીકળીને ભગવાનનાં દર્શન કરવાની બાબત પર નિયંત્રણ રહેશે. જેના કારણે કોરોનાનું સંક્રમણ ઓછું થાય.

Most Popular

To Top