Gujarat

અમિત શાહ એડિટેડ વીડિયો કાંડ: અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આપ નેતા અને કોંગી નેતાના PAને ઝડપ્યા

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) ફેક વીડિયો કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના (Congress) ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ સહિત 2 લોકોની ધરપકડ કરી હતી. બીજો વ્યક્તિ આમ આદમી પાર્ટીનો (Aam Aadmi Party) કાર્યકર હોવાનું જણાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ અમિત શાહની બે બેઠકોના વીડિયો કાપીને ખાસ એજન્ડા હેઠળ આ વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં આજે મંગળવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આ બે આરોપીઓના નામ સતીષ વાંસોલા અને આર.બી.બારિયા છે. સતીશ વણસોલા કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું પ્રાદેશિક કાર્યાલય સંભાળે છે જ્યારે આરબી બારિયા આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ છે. બંનેએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

આ મામલે દિલ્હીમાં FIR નોંધવામાં આવી હતી:

અનેક નેતાઓને નોટિસ
દિલ્હી પોલીસ આ મામલે ઝડપથી કાર્યવાહી કરી રહી છે અને ઘણા રાજ્યોમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં ફેલાયો છે. એડિટેડ વીડિયોની તપાસ માટે દિલ્હી પોલીસની અલગ-અલગ ટીમોને ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને નાગાલેન્ડ મોકલવામાં આવી છે. પોલીસે નકલી વીડિયો કેસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પણ સમન્સ પાઠવ્યા છે.

નકલી વીડિયો શેર કરવાના સંબંધમાં યુપીમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભા ઉમેદવારને નોટિસ આપવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ઝારખંડમાં કોંગ્રેસના એક નેતાને પણ નોટિસ મળી હતી. પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ સાથે જ નાગાલેન્ડના કોંગ્રેસ નેતાને પણ નોટિસ મોકલવામાં આવી છે.

આ તમામ નેતાઓને પોતાના મોબાઈલ તપાસ દરમિયાન સાથે લાવવા માટે કહેવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ તેલંગાણાના સીએમ રેડ્ડી સહિત છ લોકોને દિલ્હી પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. એડિટેડ વીડિયો કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ છે.

કોંગ્રેસ ફેક વીડિયો ફેલાવી રહી છેઃ અમિત શાહ
અમિત શાહનો નકલી વીડિયો જે સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો હતો તે અનામત સાથે સંબંધિત હતો. તેમજ અમિત શાહે ગુવાહાટીના ફેક વીડિયોને લઈને કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા.

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણા ફેલાવીને જનતામાં ભ્રમ ફેલાવવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા ભૂમિકા ભજવશે. નરેન્દ્ર મોદીએ પણ આ વાત ઘણી વખત કહી છે. એસસી, એસટી અને ઓબીસીના અનામતમાં જો કોઈ પાર્ટીએ લૂંટ ચલાવી હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે.

Most Popular

To Top