Dahod

દાહોદમાં 150 દુકાનો, ગોડાઉન પર તોળાતો ડેમોલીશનનો ભય, માપણી શરૂ

દાહોદ :


દાહોદ શહેરમાં બહાર આવેલા બહુચર્ચિત નકલી એને કૌભાંડમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર જમીન કૌભાંડમાં હાથ ધરાયેલી તપાસમાં નકલી એનએના હુકમો સહિત વિવિધ પ્રકારની ગેરેરીતિઓ આચરી હોવાનું તંત્ર દ્વારા તપાસના અંતે બહાર આવતા તાજેતરમાં 219 સર્વે નંબરોની યાદી રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી હતી. આ રેવન્યુ નંબરોના જે તે સંબંધીતો સામે ફોજદારી કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેવા સમયે ઓચિંતું આજે રેવન્યુ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવતા સમગ્ર શહેર જિલ્લામાં ચર્ચા જાગી હતી. રેવન્યુ શાખા દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ રેવન્યુ સર્વે નંબર 376 અને 376 પૈકી કે જે ગરબાડા-અલીરાજપુર હાઇવે ને અડીને આવેલું સાંગા ફળિયાથી લગાવી અને નાની ખરજ સીમાડા સુધી વિસ્તરી ચૂક્યો હોવાનું કહેવાય છે.એ નંબરમાં મોટા પાયે ગેરરીતિ આચરી સરકારી પડતર નંબર 1003 ને ક્યાંય છુપાવી અને તેના ઉપર વિવિધ પ્રકારના કોમર્શિયલ દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હોવાનું બહાર આવવા પામ્યું હતું.એક તરફ સરકારી તંત્ર દ્વારા સંબંધિતો સમક્ષ ફોજદારી કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેવા સમયે આજ રોજ સીટી સર્વે કચેરી રેવન્યુ ખાતુ અન્ય સંબંધિત ખાતાએ સાંગા ફળિયાથી સરકારી પત્ર જમીન પર ઉભા થયેલા દબાણનો સર્વે હાથ ધરી અને ડીમારકેશન કરતા સ્થળ ઉપર ભારે લોક ટોળા જામ્યા હતા સરકારી પડતર જમીન કોણે અને ક્યારે ખાનગી નંબરમાં ભેળવી દીધી તે પણ તપાસનો વિષય છે. જોકે જે લોકોએ સરકારી પડતર જમીન પર ઉભા કરાયેલા સ્ટ્રક્ચર લીધા છે અથવા જમીન ખરીદી છે તે લોકોમાં ભારે ગમગીની અને એક પ્રકારનો છુપો આક્રોશ ફેલાવવા પામ્યો છે. કોઈપણ ભોગે તેઓ પોતાની મિલકતો બચાવવા દોડધામ કરી રહ્યા છે .ત્યારે વહીવટી તંત્ર સરકારી જમીન ખુલ્લી કરાવવા માટે કટિબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે. સમગ્ર જમીન કૌભાંડ અંગે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.ત્યારે સરકાર અને કલેક્ટર સહિતના સંબંધિત અધિકારીઓ કે જેઓએ બોનોફાઈડ પરચેઝરને ગભરાવાની જરૂર ન હોવાનું અનેક વખત કહી ચૂક્યા છે ત્યારે સરકારી જમીન પર દબાણ થયા હોવાથી અજાણ મિલકત ધારકો હવે ક્યાં અને કેવી રીતે લડશે તે મહત્વનું બની રહેશે હાલ તો અત્યારે ભારે ગમગીની ભર્યો માહોલ શહેરભરમાં થવા પામ્યો છે શહેરની દિવાળીમાં નોખા નોખા પ્રકારના ફટાકડા ફૂટશે તેવું પ્રતિત થવા પામ્યું છે ત્યારે દાહોદની દિવાળી ફીકી જશે તે વાત નક્કી લાગી રહી છે.ત્યારે દાહોદ શહેરના ગરબાડા રોડ ઉપર આજરોજ થયેલી માપણી ગમે ત્યારે આશરે 150 ઉપરાંતના દુકાનદારો અને ગોડાઉન ધારકોમાં પોતાનું સર્વસ્વ લૂંટાઈ જશે તેવી ભાવના ઉત્પન્ન થવા પામી છે પરંતુ સરકારી પડતર હોય કશું થઈ શકે નહિની રટ લગાવાઈ હતી હાલ તો માત્ર માપણી થઈ રહી છે તેવા સમયે જ કેટલાક દુકાનદારો હતો પોતાની દુકાન અને ગોડાઉન ખાલી કરવાનું શરૂ કર્યું હોવાનું જાણવા આવ્યું છે.

Most Popular

To Top