Vadodara

ભિલાપુર નજીક કુંઢેલા નહેરમાં નવજાત શિશુનો મૃતદેહ તરતો જોવા મળ્યો

ડભોઇ વડોદરા રોડ નજીકથી પસાર થતી કુંઢેલા શાખા નહેરમાં આજે અચાનક એક નવજાત શિશુ નો મૃતદેહ તણાતો જોવા મળ્યો હતો. પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી પી.એમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ડભોઇ તાલુકાના ભીલાપુર નજીક થી પસાર થતી કુંઢેલા શાખા નહેરમાં એક રાહદારીને નર્મદા કેનાલમાં નવજાત શિશુનો મૃતદેહ તણાતો જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના બાબતે ડભોઇ આઉટ પોસ્ટ ભીલાપૂર્ પોલીસ ચોકી જાણ કરતા પોલીસ જવાનો દ્વારા મૃતદેહ lને કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રાથમિક તારણ મુજબ નિર્દય માતા પિતા દ્વારા બાળકને ત્યાજી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આં બાળક ક્યા કેનાલમાં આવ્યું તેને ત્યજી દેવાનું કારણ શું તે અંગે ડભોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મળેલ શિશુના મૃતદેહ ને પી.એમ અર્થે મોકલી આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top