National

ત્રિરંગા કેમ્પેન: રાહુલ-પ્રિયંકાએ ટ્વિટર પર નહેરૂની ત્રિરંગા સાથેની તસવીર DPમાં લગાવી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બાદ કોંગ્રેસ (Congress) પાર્ટીએ સોશિયલ મીડિયા (Social Media) હેન્ડલ પર પોતાનો પ્રોફાઇલ ફોટો બદલ્યો છે. કોંગ્રેસે ત્રિરંગા (Tiranga) સાથે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો (Pandit Jawaharlal Nehru) ફોટો લગાવ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા કોંગ્રેસે ‘હર ઘર ત્રિરંગા’ (Har Ghar Triranga) અભિયાન હેઠળ પ્રોફાઇલ ફોટો બદલ્યો છે. આ સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ પોતાના પ્રોફાઇલ ફોટોમાં ત્રિરંગા સાથે પંડિત નેહરુની તસવીર લગાવી છે.

કોંગ્રેસે પંડિત નેહરુના ફોટો સાથે એક ખાસ સંદેશ શેર કર્યો છે
ત્રિરંગા સાથે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો ફોટો શેર કરીને એક ખાસ સંદેશ પણ આપવામાં આવ્યો છે. કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે, ‘ ત્રિરંગા આપણા હૃદયમાં છે, તે આપણી રંગોમાં રક્તની જેમ વહે છે. 31 ડિસેમ્બર, 1929ના રોજ પંડિત નેહરુએ રાવી નદીના કિનારે ત્રિરંગો લહેરાવતી વખતે કહ્યું હતું કે, ‘હવે ત્રિરંગા ફરકાવી દેવામાં આવ્યો છે, આ ત્રિરંગા ઝૂકવો જોઈએ નહીં’. આવો આપણે સૌ આ ત્રિરંગાને આપણી ઓળખ બનાવીએ, જે દેશની અખંડ એકતાનો સંદેશ આપે છે. જય હિન્દ. #MyTirangaMyPride’

રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પણ ફોટો શેર કર્યો હતો
પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નેહરુનો ફોટો શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું, ‘દેશનું ગૌરવ આપણો ત્રિરંગો છે. આપણો ત્રિરંગો દરેક ભારતીયના હૃદયમાં છે. સાથે જ પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, ‘વિજયી વિશ્વ ત્રિરંગા પ્યારા, સદા ઉંચા રહે ધ્વજ હમારા.’

પીએમ મોદીએ પ્રોફાઈલ પર ત્રિરંગો લગાવવાની અપીલ કરી હતી
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના 91મા એપિસોડમાં દેશવાસીઓને 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટની વચ્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઇલ ફોટો તરીકે ત્રિરંગો મૂકવાની અપીલ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ એક જન આંદોલનમાં ફેરવાઈ રહ્યો છે.

Most Popular

To Top