Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ (Senior Congress leader Gulam Nabi Azad) આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના નિવૃત્તિ પ્રસંગે બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ભાવુક થઇ ગયા હતા. મોદીએ ગુલામ નબી આઝાદ સાથેનો એક કિસ્સો યાદ કરતા કહ્યુ હતુ કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતના મુસાફરો પર આતંકવાદી હુમલો થયો હતો. મોદીએ તે સમયનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પહેલો ફોન તેમને ગુલામ નબી આઝાદનો હતો. મોદીએ આઝાદને ગુજરાતની પ્રજા પ્રત્યે કેટલી ચિંતા હતી તે કિસ્સો સંભળાવ્યો હતો.

રાજ્યસભામાં ભાવનાત્મક ભાષણોનો દિવસ હતો, કારણ કે નિવૃત્ત સાંસદોને વિદાય આપવા માટે સભ્યો એકઠા થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતાને શબ્દાંજલિ આપ્યા બાદ ગુલામ નબી આઝાદે સંસદ સભ્યોનો આભાર માન્યો કારણ કે તેમણે જમ્મુ-કાશ્મીરથી નવી દિલ્હી સુધીની તેમની રાજકીય યાત્રા સંભળાવી હતી.

રાજ્યસભામાં તેમના અંતિમ દિવસે બોલતા તે ગુલામ નબી આઝાદે નોંધ્યું હતું કે બહુમતી સમુદાયને આગળ વધવાની જરૂર છે, અને ઉમેર્યું હતું કે, હું ક્યારેય પાકિસ્તાન ગયો ન હતો અને મને લાગે છે કે હું ભાગ્યશાળી છું. હું તે ભાગ્યશાળી લોકોમાં છું જે ક્યારેય પાકિસ્તાન ગયા નથી. જ્યારે મેં પાકિસ્તાનના સંજોગો વિશે વાંચ્યું ત્યારે મને હિન્દુસ્તાની મુસ્લિમ હોવાનો ગર્વ છે. ગુલામ નબી આઝાદે પોતાના વિદાય ભાષણમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને (Atal Bihar Vajpayee) પણ શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તે ભૂતપૂર્વ વડા પ્રધાન હતા જેમની પાસેથી તેઓ ગૃહનું સંચાલન કરવાનું શીખ્યા હતા. ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં કહ્યું, ‘મેં અટલ જી પાસેથી ઘણું શીખ્યો … ડેડલોક કેવી રીતે તોડવો અને ગૃહ કેવી રીતે ચલાવવું,

ગુલામ નબી આઝાદે પીએમ મોદીનો આભાર માન્યો:

ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં નિવૃત્તિના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો. આઝાદે કહ્યું હતું કે વડા પ્રધાન ક્યારેય તેમના વિરુદ્ધ ઉપલા ગૃહમાં તેમની વિરુદ્ધના શબ્દો વ્યક્તિગત રૂપે નહીં લેતા અને અંગતને રાજકારણથી અલગ કરતા હતા. ગુલામ નબી આઝાદે કહ્યુ કે, “એવા સમય હતા જ્યારે આપણી વચ્ચે વાકયુદ્ધ ચાલતુ હતુ. પરંતુ તમે (પીએમ મોદી)એ મારા શબ્દો ક્યારેય વ્યક્તિગત રૂપે લીધા નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ નોંધ્યું હતું કે દેશ સંઘર્ષ સાથે નહીં પણ સહયોગથી ચાલે છે.

To Top