ઉતરાયણનું પર્વ દેશમાં અને ગુજરાતમાં સૌથી વધુ ઉત્સાહભેર ડાયમંડ સીધી સુરતમાં ઉજવવામાં આવે છે. સુરતી ઉતરાયણ વિશે હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેથી ચં.ચી. મહેતા...
શહેરના વેડરોડ ખાતે રહેતા યુવકને સામાન્ય બોલાચાલી બાદ સુર્યા મરાઠી ગેંગના સાગરીતોએ છાતીમાં અને જાંઘના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી...
સુરત: 9000 કરોડનું ટર્નઓવર અને 11 લાખ ગ્રામિણ અને શહેરી સભાસદો ધરાવનાર ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ બેંકની વ્યવસ્થાપક કમિટિની ચૂંટણીમાં વર્ષો પછી...
સુરત અને તાપી જિલ્લામાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે પશુપાલન વિભાગ અને વનવિભાગે મોટાપાયે તપાસ શરૂ કરી છે. ઉચ્છલમાં ત્રણ મૃત મરઘીઓ મળી...
સુરત માટે મહત્ત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. ત્યારે હવે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આગામી 18મી જાન્યુઆરીના રોજ...
અમદાવાદ મનપાની ફેબ્રુઆરી માસમાં યોજાનાર ચૂંટણી માટે નવી મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. ૨૦૨૦ની મતદાર યાદી મુજબ શહેરમાં ૬ લાખ કરતા...
ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની ભગીની સંસ્થાઓના કાર્યકરોની ૩ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક ગુરુવારે પૂર્ણ...
ગાંધીનગર નજીક કરાઈ સ્થિત ગુજરાત પોલીસ અકાદમીના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર-૧૩ના ૪૩૮...
વોશિંગ્ટન : ટેકેદારોની હિંસાથી ઘેરાયેલા વોશિંગ્ટન (Washington) ની યુ.એસ. સંસદ પર ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ હજી ઘટી નથી. એક તરફ, યુ.એસ.ના ધારાસભ્યો તેમની...
સુરત: (Surat) શહેરમાં ગુરૂવારે માત્ર 98 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 37,666 પર પહોંચ્યો છે તેમજ વધુ 1 મોત સાથે કુલ...
અમદાવાદ: (Ahmedabad) ભાજપ (BJP) પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર કરતા ટીમમાં 90 ટકા ફેરફાર થયા છે. સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ...
ખેરગામ: (Khergam) ખેરગામમાં તસ્કરોને ચોરી કરવાની જાણે ગમ્મત પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. પોલીસ હજુ કોઈ ઘટનાનો ભેદ ઉકેલે એ...
ગાંધીનગર : રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પોલીસ એકેડમી દ્વારા દિક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુનાગઢના કરાઈ એકેડમી, ખલાલ, પીટીએસ, વડોદરા,...
અંકલેશ્વર : એક તરફ કોરોના સ્ટ્રેન (CORONA NEW STRAIN) સમગ્ર વિશ્વ ઉપરાંત ભારત અને ગુજરાતમાં પણ ફેલાઈ રહ્યો છે એવા સમયે પણ...
એક બંગલા બને ન્યારા… એ તો દરેકનું પોતીકું સપનું હોવાનું.વળી,એ માટે દરેક પોતાની કેપેસીટી પ્રમાણે ઘર બનાવે. આજે અહીંથી એવા ઘરની વાત...
રાજકોટ : ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસઓજી (Dwarka SOG) એ નિશા ગોંડલીયા ફાયરિંગ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અને...
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ઠંડી (Cold) અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો હતો. જોકે, સાઇક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic circulation) નબળું પડતા...
સુરત: સુરતીઓ માટે સ્પાઇસજેટ ફ્લાઇટ (FLIGHT) દ્વારા વધુ બે શહેરોની કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે. આગામી 12 જાન્યુઆરીથી સુરતથી વારાણસી અઠવાડિયામાં 4...
ડીસી ડિઝાઇનના સ્થાપક અને પ્રખ્યાત કાર ડિઝાઇનર દિલીપ છાબરીયાના (DILIP CHABARIYA) કથિત છેતરપિંડી અને બનાવટી બનાવના નિવેદનો નોંધવા માટે ગુરુવારે હાસ્ય કલાકાર...
બોટાદ: ઘણીવાર લગ્નજીવન (MARRIED LIFE) માં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય ત્યારે વાત છુટાછેડા સુધી પહોચી જતી હોય છે. પરંતુ છૂટાછેડા લીધા બાદ...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) ની ચૂંટણીની જાહેરાત નજીકના દિવસોમાં થવાની છે. ત્યારે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ...
સુરત (Surat): કોરોનાએ (Corona Virus/Covid-19/Sars Cov-2) સરકારની મુશ્કેલીઓમાં બેસુમાર વધારો કર્યો છે. ગુજરાત સરાકરે કોરોના વચ્ચે આગામી આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10/12ની...
ડો.હર્ષ વર્ધન (DR HARSH VARDHAN) દ્વારા આજે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર...
સુરત: (Surat) સામાજિક સંસ્થા સાથી સેવા ગ્રુપની (Sathi Seva Group) ટીમે માનવતા મહેકાવતું કાર્ય કર્યું છે. એક જ ઓરડીમાં છેલ્લાં 13 વર્ષથી...
લખનઉ (Lucknow): ઉત્તરપ્રદેશના બદાયુમાં (Budaun, UP) મંદિરમાં દર્શન કરવા ગયેલી 50 વર્ષીય મહિલા પર મંદિરના પૂજારી, તેના શિષ્ય અને એક ડ્રાઇવર દ્વારા...
સુરત (Surat): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમ શરૂ થવાનો છે. લોકોનું અને સરકારનું ધ્યાન હાલમાં રસીકરણ કાર્યક્રમ પર છે....
આણંદ: (Anand) આણંદથી અઢી માઈલ દૂર આવેલ જીટોડીયા ગામની પશ્વિમ દિશામાં મોગરી તરફ જવાના માર્ગ ઉપર અંદાજિત ૧૦૧ર વર્ષ કરતાં પણ પુરાણું...
આણંદ: ઉનાળાના આગમનને હજુ બે માસનો સમય બાકી છે ત્યારે ગ્લોબલ ર્વોમિંગની અસરના કારણે આણંદ શહેરમાં આંબા પર કેરીઓ લાગી ગઈ છે....
વડોદરા: પાડોશી રાજયો સહિતના સ્થળોએબર્ડ ફલુનો રોગ વકરતા વિવિધ જિલ્લાઓમાં બર્ડ ફલુના સર્વેલન્સ તથા અટકાયત પગલાં લેવાની કામગીરી કરવા રાજ્ય સરકારના આરોગ્ય...
વડોદરા: શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલા બ્રહ્મા નગર પાછળના મેદાનમાં એક યુવકની ભેદી સંજોગોમાં હત્યા કરેલી લાશ મળી આવી હોવાના બનાવથી ભારે ચકચાર...
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
ઉતરાયણનું પર્વ દેશમાં અને ગુજરાતમાં સૌથી વધુ ઉત્સાહભેર ડાયમંડ સીધી સુરતમાં ઉજવવામાં આવે છે. સુરતી ઉતરાયણ વિશે હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેથી ચં.ચી. મહેતા સુધી અને છેક યઝદી કરંજિયા સુધીના લેખક અને નાટ્યકારે ખૂબ મર્યાદિત પરંતુ ખૂબ સારું લેખન કર્યું છે.
સુરતમાં ઉતરાયણના પર્વ નિમિત્તે ધાબાઓ અને અગાસીઓ પર ચઢીને પતંગ ઉડાડવાની પરંપરા સૈકાઓ જૂની માનવામાં આવે છે. એક વાયકા એવી છે કે છેક સત્તરમી સદીથી સુરતમાં તાપી નદીના કિનારે પતંગ ઉડાડવાની પરંપરા ચાલતી આવી હતી. તે પછી તળ સુરતના ધાબાઓ અને અગાસીઓ સુધી પહોંચી છે.
2021ની ઉતરાયણ કોરોના સંક્રમણ દરમિયાન આવી છે ત્યારે સુરતમાં ઉતરાયણના દિવસની આગલી રાતે જોવા મળતી દાયકાઓ જૂની પરંપરા ચાલુ વર્ષે તૂટશે. જાણકારો કહે છે કે, નાઇટ કરફ્યૂને લીધે દાયકાઓ પછી ઉતરાયણની આગલી રાતે પતંગની હરાજીની પરંપરા તૂટશે. શહેરના ડબગરવાડ, રાંદેર, રાજમાર્ગ અને કોટસફીલ રોડ પર ઉતરાયણની આગલી રાતે પતંગોની બોલી બોલવામાં આવે છે, મોટા ભાગના સુરતીઓ રાત્રે પતંગની ખરીદી કરતા હોય છે.
ડબગરવાડમાં પેઢીઓથી પતંગ અને દોરીનો વેપાર કરનાર નરેશ છત્રીવાળા કહે છે કે, કોરોનાકાળ પહેલા સુરતના પતંગ અને દોરી બજારમાં નવેમ્બર માસમાં 25 ટકા અને ડિસેમ્બર માસમાં 40 ટકા વેપાર થતો હતો. પરંતુ ચાલુ વર્ષે છેક ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી વાતાવરણ સુધર્યું છે. ગત રવિવારે થોડીક ગ્રાહકી જોવા મળી હતી. ચાલુ વર્ષે કોરોનાને લીધે રાત્રે દસ વાગ્યે કરફ્યૂ લાગી જશે. તેના લીધે ઉતરાયણની આગલી રાતે પતંગ અને અન્ય એસેસરીઝની હરાજી થઇ શકશે નહીં.
અન્ય એક વેપારી ચંદ્રેશકુમારે જણાવ્યું હતું કે, પતંગ અને દોરીના વિક્રેતાઓએ ઉતરાયણના પર્વ માટેનો વેપાર 13મી જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યા સુધી કરવાનું નક્કી કર્યું છે. કેટલાક વેપારીઓ એવું વિચારી રહ્યા છીએ કે, હરાજીની પરંપરા જાળવી રાખવા માટે વહેલી હરાજી થઇ શકે છે. એટલે કે 13મી જાન્યુઆરીએ રાત્રે આઠથી દસ કલાક દરમ્યાન પતંગરસિયાઓ છેલ્લી ઘડીની ખરીદી કરી શકે છે.
તે ઉપરાંત ઉતરાયણના દિવસે એટલેકે 14 જાન્યુઆરીએ પણ સવારથી દુકાનો ચાલુ રહી શકે છે. વર્ષોની પરંપરા મુજબ ઉતરાયણની આગલી રાત્રે રંગબેરંગી પતંગો ઉપરાંત સુરતી પેટેન્ટ માંજાની ફીરકીઓની પણ હરાજી થાય છે. સાથે સાથે કાનપટ્ટી, ટોપી, ચશ્મા, પીપૂડી, મેડિકલ ટેપ, નાનાં ઢોલ-નગારાં, બલૂન સહિતની વસ્તુઓનું પણ એજ રાત્રે વેચાણ થતું હતું. તેના લીધે લાલગેટથી છેક ભાગળ સુધી અને ભાગળથી કોટસફીલ રોડ સુધી તથા રાંદેર એસ.ટી. બસ સ્ટેશન સુધીના વિસ્તારો પતંગ બજારના માહોલથી ઝગમગતા હતા. તે ઝળહળાટ હવે 13 જાન્યુઆરીની રાત્રે જોવા મળશે નહીં.