સુરત: (Surat) રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧૨ (STD 12) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા (Exam) ૧ જૂલાઇથી લેવાનો નિર્ણય કર્યો...
સ્વિટ્ઝર્લેન્ડ (Switzerland) ની દવા કંપની રોશે અને સિપ્લાએ સોમવારે ‘એન્ટિબોડી કોકટેલ’ (Antibody cocktail) નામની દવા શરૂ કરી છે. ‘એન્ટિબોડી કોકટેલ’ નામની દવા વિશે...
નવી દિલ્હી: એક તરફ અમદાવાદમાં મ્યુકર માઈકોસિસની (Mucormycosis) સારવાર માટે એમ્ફોટેરિસિન-બી ઈન્જેકસનની અછત છે. રાજ્ય સરકાર દ્વારા હવે આ ઈન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી...
સુરત જિલ્લામાં (Surat District) આગામી 26થી 30 મે સુધી પાંચ દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહેવાની સંભાવના જિલ્લા કૃષિ હવામાન વિભાગ...
રાજસ્થાન: રાજસ્થાનના રાજસમંદથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ 10 દિવસ પહેલા મૃત્યુ પામ્યો હતો અને તેના પરિવારના સભ્યોએ...
સુરત: (Surat) રાજ્યમાં ટ્રક સિવાયના ટ્રાન્સપોર્ટના (Transport) વાહનો એટલે કે ઓટો રિક્ષા, સ્કૂલવેન, લક્ઝરી બસ, એસટીની બસ, ટેમ્પો, સહિતના વાહનોના ડોક્યુમેન્ટ આરટીઓમાં...
કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021ના આઈટી મંત્રાલય (ministry of it) વતી નિર્દેશ આપ્યા હતા જે મુજબ ડિજિટલ કન્ટેન્ટ (digital content)નું નિયમન કરવા...
રાજપીપળા: સરદાર સરોવરમાં (Sardar Sarovar Dam) પાણીનો જીવંત જથ્થો ચોમાસા પહેલાં 2124 મિલીયન ક્યુબીક મીટર જમા છે. ત્યારે ચોમાસું લંબાય તો પણ...
રાયપુર : સમગ્ર વિશ્વ (whole world)ના તબીબી સ્ટાફ સભ્યો કોરોના ફ્રન્ટલાઈન વોરિયર (front line worrier) તરીકે હાલ કામ કરતી વખતે ઉત્તમ કામગીરી કરી...
સુરત: (Surat) કોરોના સંક્રમણના 14 મહિનામાં દક્ષિણ ગુજરાતના પાંચસોથી વધુ નાના-મોટા ટૂર ઓપરેટર્સે (Tour operators) 1500થી 2000 કરોડનો વેપાર ગુમાવ્યો છે. ટ્રાવેલ...
દિલ્હી પોલીસ (DELHI POLICE) દ્વારા હાલમાં જ ધરપકડ થયેલ કુસ્તીબાજ સુશીલ કુમાર (WRESTLER SUSHIL KUMAR)ની મુશ્કેલીઓ વધી રહી છે. હવે સુશીલને તેની...
ગાંધીનગર: (Gandhinagar) લાંબી ચર્ચાઓ અને દુવિધાઓ વચ્ચે ધોરણ 12ના વિદ્યાર્થીઓ (Students) માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ...
સુરત: (Surat) સુરત મનપાની આજે મળેલી સામાન્ય સભામાં મનપા (Municipal Corporation) દ્વારા પ્લોટ વેચવાના કરાયેલા આગોતરા આયોજન મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યો...
બંગાળ અને ઓડિશામાં (Bengal and Odisha) યાસ વાવાઝોડું (Yaas Cyclone) ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે. હવામાન ખાતાનું કહેવું છે કે મંગળવારની સાંજ...
ગાંધીનગર: (Gandhinagar) ધો.10 બોર્ડનાં વિદ્યાર્થીઓની ફી પરત કરાશે. દસમાં ધોરણનાં વિદ્યાર્થીઓ (10th Class Students) માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. જે...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) કોરોના સંબંધિત નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. હવે નવા દર્દીઓએ કોવિડ સેન્ટરમાં (Covid Care Center) જવું...
‘સીટીપલ્સ’માંની રજુઆત ખરે જ આનંદદાયક છે. સુરતની સુમુલ ડેરીના દૂધવાળી તથા જીવરાજની મરમર પત્તીમાંથી બનતી સોનેરી કલરની ‘ચા’ સાથે ‘ગુજરાતમિત્ર’ વાંચવાની, સુરતના...
૨૧મી મેના ‘ગુજરાતમિત્ર’ અખબારની શુક્રવારની લોકપ્રિય કોલમની ‘સીટીપલ્સ’ પૂર્તિમાં બહુ જાણીતી વાતની યાદ અપાવી છે. ચા પીતાપીતા સવારમાં ‘ગુજરાતમિત્ર’ અખબારના ન્યુઝ વાંચવાની...
આ જૂના જમાનાની વાત છે, એક ગામમાં બે ખેડૂત રહે. એકનું નામ મગનલાલ, બીજાનું નામ છગનલાલ. બંનેની જમીનપણ બાજુ બાજુમાં આવી હતી....
જીવનમાં એકલા રહેવું કઠીન છે .સ્વામી સચ્ચિદાનંદજી કહે છે, “ જીવન ઉપર સૌથી મોટો પ્રભાવ સંબંધોનો પડતો હોય છે. સંબંધોની બાબતમાં મનુષ્યનો...
મહાભારતના યુદ્ધ પછીનો પ્રસંગ છે…૧૮ દિવસ સુધી પિત્રાઈ ભાઈઓ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રના મેળામાં ધમાસાણ યુદ્ધ થયું….લોહિયાળ જંગ થયો…બને પક્ષે ઘણી...
વાઈફોને ઉલ્લુ બનાવવી એ ડાબા હાથનો ખેલ નથી. એ લાગણીશીલ છે, સહનશીલ છે, સંવેદનશીલ છે, આધારશીલ છે, પણ સૈયો સીધો ચાલે ત્યાં...
માર્ચ ૨૦૨૦ માં કોરોનાના કારણે ભારતમાં લોકડાઉન આવ્યું. પણ વર્ષ ૨૦૧૯ માં તો શિક્ષણ ચાલ્યુ હતું. વિદ્યાર્થીઓ ભણ્યા હતા. અને તેમને મેરીટ...
ચીન સાથે લડાખમાંથી દળો પાછા ખેંચવા અંગે કેટલાક સપ્તાહો પહેલા લશ્કરી કમાન્ડર સ્તરની મંત્રણાઓ થઇ ત્યારે એવું લાગતું હતું કે હવે ચીન...
દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘર વકરી સામાન સહિત પુત્રીને આપવા નું કરિયાવર પણ બળી ને...
નડિયાદ: નડિયાદ શહેરમાં સફાઇ પરત્વે પાલિકાની બેદરકારીને લઇને રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પારાવાર ગંદકી અને કચરાના ઢગ...
આણંદ : આંકલાવના હઠીપુરા પાસે શુક્રવારના રોજ વડોદરાના જીએસપીએલ કંપનીના ડ્રાઇવરની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. જોકે, આ હત્યા પાછળ તેમનો...
સોમવારે મેિડકલ કોલેજ ન્યુ ટિચિંગ બ્લોક ખાતે 18 થી 44 વર્ષની વયવાળા રસીકરણ્નો પ્રારંભ થયો હતો. તેમાં સવારથી લોકોએ રસી મુકાવવા માટે...
વડોદરા : વડોદરા શહેરના ભૂતડીઝાંપા વિસ્તાર માં આવેલા વડોદરા મહાનગરપાલિકા ના વ્હીકલપુલ શાખાની મુખ્ય કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા બે રીક્ષા એક થ્રી...
વડોદરા: વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ ખાતે એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન સામે વાંધો ઉઠાવતા અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.વિદ્યાર્થીઓ કાલાઘોડાથી ફતેહગંજ તરફ...
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વોર્ડ નં. 14 ગંદકીમાં ગરકાવ, પૂર્વ ડેપ્યુટી મેયરના ઘર પાસે જ ગટરના ઉભરા
વિજ્ઞાનના પેપરમાં પાઠ્યપુસ્તકમાંથી સીધે સીધા પ્રશ્નો પૂછાયા
ઈરાન પર અમેરિકા – ઈઝરાયલ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ઉફાન પર: અત્યાર સુધીની વિગતવાર ઘટનાઓ
સુરત-દુબઈની ફ્લાઈટ 24 કલાક માટે રદ: ઈરાન-ઇઝરાયલ યુદ્ધની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર માઠી અસર, હીરા ઉદ્યોગને ‘ટેન્ડર’ છૂટી જવાની ચિંતા
મધ્ય પૂર્વમાં મિસાઈલ યુદ્ધ: કતાર–બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ નિશાન પર, ખામેનીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ
ગેસની અસરથી બે કામદારના મોત: કોન્ટ્રાક્ટર જયંતિ પટેલની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર
ઈઝરાયલનો ઈરાન પર મોટો હવાઈ હુમલો, તેહરાનમાં ધડાકાઓના અવાજો દૂર સુધી સંભળાયા
ઈરાન-અમેરિકા યુદ્ધની દહેશત: સ્કૂલ પર મિસાઇલ, 40 વિદ્યાર્થિનીનાં મોત
ઈરાન હુમલાઓ વચ્ચે અતિ વ્યસ્ત દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ, ગલ્ફમાં તણાવ ચરમસીમાએ
ઈરાનના ખાડી દેશો પર મિસાઈલ હુમલા: અબુ ધાબી, દુબઈ, દોહા, રિયાધમાં વિસ્ફોટો, કતારે મિસાઈલ અટકાવી
શું મ્યુનિસિપલ કમિશનર જાગશે ? નવાપુરા અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં ગેરવહીવટનો ગંજ
વડોદરામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ : 15,033 કિશોરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક
ટ્રમ્પે ઈરાનીઓને કહ્યું – “પોતાની સરકાર પર કબજો કરો, તમારો સમય આવી ગયો!”
વડોદરા : મંદિર પૂછવાના બહાને ‘નાગા બાવા’ બની વૃદ્ધની સોનાની ચેન અને વીંટી લૂંટી ફરાર
ઈરાનનો ઈઝરાયલ અને અમેરિકા સાથે તણાવ વધ્યો: બોમ્બ બ્લાસ્ટમાં 40 વિદ્યાર્થીનીઓ સહિત 41ના મોત
આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: 18 લોકોના મોત, વિસ્ફોટનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો
દાવો: પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં 300 લોકો માર્યા ગયા, 500 ઘાયલ
બરોડા ડેરી ચૂંટણી: 6 બેઠકો બિનહરીફનો વિશ્વાસ, વિરોધીઓ સામે ચીમકી
શિનોર હનીટ્રેપ કેસ: ત્રીજા આરોપીને શરતી જામીન, પુત્રને ૬ દિવસના રિમાન્ડ
ડભોઇ પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ: ₹1.51 લાખનો મુદ્દામાલ પરત
ખેતરમાં સાપ કરડતા ખેડૂતનું મોત
વીજ કર્મચારીઓની હડતાલ પર 6 મહિના માટે પ્રતિબંધ
ઈરાનનો વળતો જવાબ: ઈઝરાયલ, કતર, બહેરીન અને UAEમાં US લશ્કરી થાણાઓ પર 400 મિસાઈલો છોડી
ડાકોર તરફ આસ્થાનું ઘોડાપૂર: પદયાત્રીઓ ઉમટ્યા, સેવા કેમ્પો સક્રિય
જબુગામ ઓરસંગ નદીમાં રેતી લીઝોમાં ગેરરીતિ: અધિકારીઓના મૌનથી ઉઠતા સવાલો
અગોરા મોલના 17મા માળેથી પટકાતા લિફ્ટ કામદારનું મોત
પાવાગઢ મહાકાળી મંદિરે 2 માર્ચે હોલિકા દહન, ચંદ્રગ્રહણને લઈ દર્શન સમયમાં ફેરફાર
હોળી પર વતન વાટ: સુરત રેલવેનું મેગા પ્લાનિંગ
બરોડા મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓને ન્યાય અપાવવા ABVP મેદાનમાં
સંસ્કારી નગરીમાં હોળીનો હરખ: વડોદરાના બજારોમાં કેમિકલને ‘નો’ અને ઓર્ગેનિક રંગોને ‘યસ’
સુરત: (Surat) રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧૨ (STD 12) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા (Exam) ૧ જૂલાઇથી લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં રાજયનાં (Gujarat) સૌથી વધુ સુરત શહેર-જિલ્લાના કુલ 70 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સામાન્ય પ્રવાહમાં 53 હજારના 17 હજાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હશે. પરીક્ષાની તારીખ જાહેર થતાં જ 12માં ધોરણના વિદ્યાર્થીઓએ (Students) પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ સુરત જિલ્લાનાં સ્વનિર્ભર શાળા સંચાલક (School administrator) મહામંડળ દ્વારા પરીક્ષાનાં આયોજન માટે તૈયારી કરવા સજ્જ હોવા ઉપરાંત સરકારના પરીક્ષા લેવાનાં નિર્ણયને યથાયોગ્ય ગણાવ્યો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલા પરીક્ષાનાં કાર્યક્રમને કોરોનાની મહામારીને કારણે મોકુફ રાખવામાં આવી હતી. જો કે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠકમાં રાજયમાં ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આતા સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહત અનુભવી છે. છેલ્લા ઘણા મહિનાથી પરીક્ષા લક્ષી તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ બોર્ડના પરીક્ષા લેવાના આયોજનને યોગ્ય ગણાવ્યુ હતુ.
આ અંંગે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રવકતા ડો. દિપક રાજયગુરુએ જણાવ્યુ હતુ, કે કેબીનેટ બેઠકમાં ચર્ચા વિચારણાને અંતે આખરે ૧ જૂલાઇ ૨૦૨૧ ધોરણ-૧૨ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે. જે રીતે સરકારે પરીક્ષા લેવાની તૈયારી દર્શાવી છે, તેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ પરીક્ષાનું શ્રેષ્ઠ આયોજન થાય, વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત ન થાય, એસ.ઓ.પીનું પાલન થાય તેની કાળજી રાખશે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં પુરતી વ્યવસ્થા ઉભી કરવાની અમારી તૈયારી છે.

વિદ્યાર્થીઓના હિતમાં મંડળ દ્વારા જે ચર્ચાઓ કરવામાં આવી રહી હતી તેનો અંત આવ્યો છે. વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓની ૫૦ માર્કસના એમસીક્યુઆર બાકીના ૫૦ ગુણ થિયરી મુજબ પરીક્ષા લેવામાં આવશે. જયારે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ૧૦૦ માર્કસની થિયરી પરીક્ષા માટે મંડળ સંપૂર્ણ સહમત છે. આ પરીક્ષા વ્યવસ્થાથી વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ મૂલ્યાંકન થશે, સાથે જ પ્રવેશ સહિતની સમસ્યાઓ પણ નિવારી શકાશે. ઉલ્લેખનીય છે કે જૂલાઇથી પરીક્ષા શરૂ થનાર હોવાથી સંભવત ઓગષ્ટ મહિનામાં પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. જેથી સાયન્સ અને સામાન્ય પ્રવાહની કોલેજોની પ્રવેશ પ્રક્રિયા લાંબી ચાલશે તેવું લાગી રહ્યું છે.