મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (cm uddhav thakrey)એ સોમવારે કહ્યુ હતું કે નાગરિકોનું આરોગ્ય (citizens health) પ્રાથમિકતા છે અને ઉજવણીઓ બાદમાં...
સુરત: (Surat) રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં મંગળવાર બપોરથી ભારે વરસાદ (Rain) જામ્યો હતો. સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થતાં...
નવી દિલ્હી : આવતા મહિને યુએઇ (UAE)માં રમાનારા ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) માટે જ્યારે ભારતીય ટીમ (Indian cricket team)ના પસંદગીકારો (selector)...
આજકાલ સલમાન ખાન (Salman khan) પોતાના વર્ક ફ્રન્ટને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન હાલમાં તુર્કીમાં છે અને કેટરીના કૈફ (Katrina kaif) સાથે ફિલ્મ...
ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગે આગામી 20 મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની (Rain) આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14...
તાલિબાને (Taliban) ફરી એકવાર અફઘાનિસ્તાન (Afghanistan)માં તેની નિર્દયતા બતાવી છે. કાબુલ (Kabul)માં પાકિસ્તાન (Pakistan) વિરોધી રેલી દરમિયાન ભેગા થયેલા ટોળાને વિખેરવા માટે તાલિબાન...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ-બગોદરા હાઈવે (Highway) પર ખાનગી બસ પલટી (Bus Accident) મારી જતાં 34 થી વધુ લોકોને ઇજા (Injured) પહોંચી છે. જ્યારે...
ઉત્તર ભારતમાં જ્યારથી કિસાન આંદોલન ચાલુ થયું છે ત્યારથી મીડિયાનો અભિગમ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તેની ઉપેક્ષા કરવાનો રહ્યો છે....
શિક્ષણની ગઈ કાલ કરતાં આજ પરિવર્તન ઝંખે છે. સાથે સાથે શિક્ષણની આવતી કાલ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કદમ મિલાવવા આયોજન માંગે છે....
તા.29/8ના ગુજરાતમિત્રમાં જાણીતા લે. ભરત ઝુનઝુનવાલાએ ઉપરોકત બાબતે ખૂબ સારા મુદ્દાઓ દર્શાવ્યા છે. આ બાબત તત્કાળ પગલા ભરવાની જરૂર છે. કારણકે સરકારી...
24મી ઓગસ્ટે કવિનર્મદનો જન્મ દિવસ વિતી ગયો. વિશ્વમાં સાત કરોડથી વધુ લોકો ગુજરાતી ભાષા બોલનારા છે. પરંતુ આપણામાં ભાષાભિમાન નથી. બે અજાણ્યા...
જાણીતી ફિલ્મ અંકુશનાં લોકપ્રિય ગીત ‘ઇતની શકિત હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના’ને સ્વર આપનાર કલાકાર પુષ્પા પગધરેની આર્થિક...
1951-52માં પ્રથમ સામાન્ય ચુંટણી યોજાઈ તે અગાઉ નહેરુના વડપણ હેઠળ કામચલાઉ પ્રધાનમંડળ અસ્તિત્વમાં હતું. તે સમયે માત્ર ગુણવત્તાનાં ધોરણેવ્યક્તિની પસંદગી પ્રધાનમંડળમાં કરવામાં...
એક ખૂબ જ શ્રીમંત વેપારી હતા.તેની પાસે અગણિત સંપત્તિ હતી પણ તેઓ એક પણ પૈસો કોઈને મદદ કરતા ન હતા.વેપારીને કોઈ સંતાન...
વીજળીનો ઝાટકો લાગે ને, ‘ફોર્સ’ થી આંખ ઉઘાડી દે, એવી ચોટદાર પંક્તિ હાથમાં આવી. કોની છે, ખબર નથી, પણ જેની હોય તેની,...
શિક્ષણસજ્જતા સર્વેક્ષણ એટલે કે ‘સજ્જતા કસોટી’ અત્યારે ગુજરાતના શિક્ષણજગતમાં ચર્ચાનો વિષય છે. સરકારના શિક્ષણ વિભાગે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકો માટે આ...
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ ઘણા બધા અતિધનિક લોકોનો વસવાટ ધરાવતું શહેર છે. આખી દુનિયામાં મકાનો અને ઓફિસોના સૌથી ઊંચા ભાવ કદાચ ન્યૂયોર્કમાં...
સુરત જિલ્લો ઐતિહાસિક ધરોહર સાચવીને બેઠો છે. માંડવી તાલુકાનું તડકેશ્વર ગામ એવા જ પૌરાણીક કાળ સાથે જોડાયેલું છે. માંડવી-કીમ રોડ પર આવેલા...
નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં ઠાસરા તાલુકામાં જર્જરિત બનેલા બે પેટા આરોગ્ય કેન્દ્ર તોડવાની મંજુરી તેમજ ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી મળેલી...
આણંદ : આણંદ – ખેડા જિલ્લાના યુવાનો ઘરે બેઠા જ નોકરી શોધી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા `અનુબંધમ’ પોર્ટલનો પ્રારંભ કર્યો...
શહેરા: શહેરા તાલુકાના વાડી અને વલ્લભપુર ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે.આ બે ગામમા 1000 થી 1500જેટલા પશુઓ હોવા સાથે...
કાલોલ: કાલોલના કાતોલ ગામના રાજપુત પરિવારના મુર્તિકાર એવા બે ભાઈઓએ સતત ૧૫માં વર્ષે માટીના ઇકો ફ્રેન્ડલી શ્રીજીબાપ્પાની મુર્તિઓ બનાવી છે. ગણેશોત્સવ અંતર્ગત...
દાહોદ : દાહોદ તાલુકાના નસીરપુર ગામે આવેલ હિન્દુ સ્માશાન ગૃહ ખાતે ગતરોજ એક લઘુમતિ કોમના ઈસમ સ્મશાનગૃહની ભગવાન ભેરૂનાથની પ્રતિમાના વાહન શ્વાન...
દાહોદ : દાહોદ જિલ્લામાં શિક્ષણ સહાયતાના નામે રૂપિયા પડાવવાનો કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. અંદાજે દાહોદ જિલ્લાના 1500 જેટલા વિદ્યાર્થીઓ સાથે...
વડોદરા: બે વર્ષના સમયગાળા બાદ વડોદરા ફરીએકવાર મોટેર રેસિંગથી ધમ ધમી ઉઠયુ હતું. બરોડા ઓટોમોટીવ રેસિંગ દ્વારા ચાર વ્હીલર માટેની સ્પર્ધાનું આયોજન...
વડોદરા : શહેરના નવાપુરા વિસ્તારના રબારી વાસ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દુષિત અને ગંદુ પાણી આવી રહ્યું છે. તેના કારણે...
વડોદરા: ગણપતિ ઉત્સવમાં કોવીડ-૧૯ મહામારી ગાઇડ લાઇન મુજબ ગુજરાત સરકારના નિયમો સાથે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયુ હતુ. વૈશ્વિક કોરોનાની ત્રીજી...
વડોદરા : શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ ચંબુસા બાવાનો ટેકરા પર રહેતા અને ગેરેજમાં રિપેરિંગનું કામ કરતા 32 વર્સીય યુવક ઉપર બાઈક હટાવવા...
વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલમાં સીઝનલ ફ્લુના દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.રોજે રોજ ઓપીડી વિભાગ પાણી જન્ય અને મચ્છર જન્ય રોગોના...
વડોદરા : મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું છે કે, ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે....
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (cm uddhav thakrey)એ સોમવારે કહ્યુ હતું કે નાગરિકોનું આરોગ્ય (citizens health) પ્રાથમિકતા છે અને ઉજવણીઓ બાદમાં કરી શકાય છે. આવનારા તહેવારો (festival)ના કારણે દેશમાં ત્રીજી લહેર (third wave) આવવાની ભીતી સેવાઈ રહી છે અને રાજ્યમાં કોવિડ-19ના કેસોમાં થોડો વધારો નોંધાયો છે.
ઠાકરેએ રાજકીય પક્ષોને તાત્કાલિક આંદોલનો, બેઠકો અને અન્ય કાર્યક્રમો બંધ કરવા કહ્યું હતું જેનાથી ભીડ થતી હોય. ‘આપણે તહેવારો બાદમાં ઉજવી શકીએ છીએ. આપણા નાગરિકોના જીવન અને આરોગ્યને પ્રાથમિકતા આપીએ. રોજના કેસોમાં વધારો થયો છે તેને જોતા સ્થિતિ આપણા હાથમાં ન રહે તેવી શક્યતા છે’, એમ ઠાકરેએ એક નિવેદનમાં કહ્યુ હતું. તેઓ વરીષ્ઠ કેબિનેટ પ્રધાનો સાથે આપદા પ્રબંધન પર બેઠક કરી રહ્યા હતા. ‘તહેવારો અને ધાર્મિક કાર્યક્રમોમાં પ્રતિબંધો લગાડવા કોને ગમે છે? પણ લોકોનું જીવન મહત્વપૂર્ણ છે’, એમ તેમણે કહ્યુ હતું.

મુખ્ય મંત્રીએ કહ્યુ હતું કે આવનારા તહેવારોના દિવસો મહત્વપૂર્ણ અને પડકારજનક રહેશે. સ્થિતિ નિયંત્રણની બહાર ન જાય તેની ખાતરી કરવાની જવાબદારી રાજકીય પક્ષોની છે. ઠાકરેએ દરેક સામાજિક, ધાર્મિક અને રાજકીય બેઠકો અને રેલીઓને રદ્દ કરવાના નિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ હતું ‘કોવિડ-19ની ત્રીજી લહેર આપણા બારણે આવીને ઉભી છે.’ તેમણે ઉમેર્યુ હતું, ‘કેરળમાં રોજના 30,000 કેસ આવી રહ્યા છે. આ એક જોખમી સંકેત છે અને જો તેને ગંભીરતાથી નહીં લઈશું, મહારાષ્ટ્રને ભારે કિંમત ચૂકવવી પડશે.’
ઠાકરેએ કહ્યુ હતું, જો દરેક વ્યક્તિ કોવિડ-19 નિયમોનું પાલન કરે જેમ કે માસ્ક પહેરવું, સામાજિક અંતર અને ભીડમાં જવાનું ટાળે તો નવા પ્રતિબંધો લાદવાની જરૂર નથી. છેલ્લા થોડાક દિવસોથી મુંબઈમાં કોવિડ-19ના 400થી વધુ દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે.

ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 38,948 કેસ નોંધાયા હતા. તેમજ કોરોનાનાં કારણે વધુ 219 મોત નોંધાયા હતા. જે છેલ્લા 167 દિવસમાં સૌથી ઓછા છે. એમ સોમવારે અપડેટ થયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કહેવામાં આવ્યું હતું. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસનો આંક વધીને 3,30,27,621 થઈ ગયો છે. જ્યારે, મૃત્યુઆંક 4,40,752 પર પહોંચી ગયો છે. સવારે 8 વાગ્યે અપડેટ કરેલા ડેટા અનુસાર, દેશમાં મૃત્યુદર 48 દિવસ પછી ઘટીને 1.33 ટકા થઈ ગયો છે. ભારતમાં આ અગાઉ 23 માર્ચે એક દિવસમાં 199 લોકોનાં મોત નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, સક્રિય કેસો ઘટીને 4,04,874 થઈ ગયા છે. જે કુલ કેસનો 1.23 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.44 ટકા નોંધાયો છે.

મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 5,174 કેસોનો ઘટાડો નોંધાયો હતો. દેશમાં સતત 71 દિવસથી કોરોનાના દૈનિક કેસ 50,000થી ઓછા નોંધાઈ રહ્યા છે. દેશમાં રવિવારે કોરોનાના 14,10,649 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા કુલ ટેસ્ટનો આંક વધીને 53,14,68,867 થઈ ગયો છે. મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દૈનિક સંક્રમણ દર 2.76 ટકા નોંધાયો હતો. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 2.58 ટકા નોંધાયો હતો. જે છેલ્લા 73 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે.