શુક્રવારે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચમી ટેસ્ટ મેચ રદ થયા બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ એક મોટો આંચકાજનક નિર્ણય લીધો...
સુરત: (Surat) સુરત શહેરમાં ગણેશ ઉત્સવ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં પ્રતિમાના વિસર્જન (Ganesh Visarjan) માટે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી ચાલી...
મુંબઇ : માન્ચેસ્ટર (Manchester)ના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાનારી ઇંગ્લેન્ડ (England) સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ (test match)માં ભારતીય ટીમ (Indian cricket team)...
પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે પૂર્ણ થતાં ગયા મહિને સફળતાની ઉજવણી કરનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દેતાં સમગ્ર...
છેલ્લા ઘણા દિવસોથી તાલિબાનો (Taliban)ને પાકિસ્તાની (Pakistani) સમર્થન પર ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે અફઘાનિસ્તાન (Afghanistan)માં નવી રચાયેલી તાલિબાની સરકારમાં નાયબ વડા...
રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રૂપાણીની મુખ્યમંત્રી તરીકે વરણી પણ એકાએક થઈ હતી અને એક્ઝીટ પણ અચાનક જ થઈ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રૂપાણીની મુખ્યમંત્રી (Chief Minister) તરીકે વરણી પણ એકાએક થઈ હતી અને એક્ઝીટ...
ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat cm) વિજયભાઈ રૂપાણી (Vijay rupani)એ અચાનક મિચ્છામિ દુકડ્ડમ કહી દેતા સમાચારોનું બજાર ગરમ થયું છે. અને નવા સીએમના નામો...
ગાંધીનગર: (Gandhinagar) વિજય રુપાણીના રાજીનામા (Resignation) બાદ ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. હાલ વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડીની સરકારે પાંચ...
ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ ઉજવાય અને નર્મદા ડેમ છલકાય તે પહેલાં જ ગુજરાતમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ગાંધીનગરમાં...
આપણો દેશ એટલે વિવિધતામાં એક્તા રાખનારો દેશ. આપણા દેશમાં અનેક જાતિના લોકો વસે છે. જેના રીતિરિવાજો–તહેવારો જુદા જુદા હોય છે. ચાતુર્માસથી શરૂ...
દાહોદ: દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી એક મહિલા સહિત ત્રણ ઈસમોએ પોતાના કબજાની બે મોટરસાઈકલો પર સવાર થઈ આવ્યાં હતાં અને દાહોદ...
શહેરા: શહેરાના જૂના વલ્લભપુર ગામ ખાતે પસાર થતી મહીસાગર નદીમા સ્થાનિક લોકો ને ગુરૂવારના દિવસે ચાર વાગ્યાની આસપાસ જૂની વાડી ગામના સગીરની...
નડિયાદ: માતર પંથકની સગર્ભા મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાતી હતી. તે વખતે સગર્ભાને રસ્તામાં જ પ્રસુતીની પીડા ઉપડતાં ૧૦૮ ની...
વડોદરા: પર્યુષણ પર્વનો આજે છેલ્લો દિવસ હિન્દુઓ જેમ ગણેશ ચતુર્થી હોય છે તેમ જૈન ધર્મમાં આને સંવત્સરી પર્વ કહેવાય છે . આજે...
વડોદરા : નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે ગણેશોત્સવના સંદર્ભમાં વિસર્જન શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દભર્યા વાતાવરણમાં થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાના...
વડોદરા : દિલ્હીથી ફરવા માટે વડોદરા આવેલી 25 વર્ષીય મામાની પરિણીત દીકરીને લગ્નની લાલચ આપી હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ...
વડોદરા : શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતા અને ખેતી કામ તથા આર્કિટેક વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય આધેડની સવાદ ગામે આવેલી કિંમતી જમીન...
વડોદરા : શહેરમાં રસ્તા પરના ખાડા દૂર કરવા પાલિકા દ્વારા આધુનિક પદ્ધતિ અપનાવી જેટ પેચર્સ મશીન વડે પેચ વર્ક કરવાની શહેર માં...
વડોદરા : વડોદરા શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો હતો.કોરોનામાં સપડાયા બાદ અશક્ત બનેલ પતિ સાયકલ પરથી પડી જતા કુદરતી હાજત બંધ...
વડોદરા : ગણેશોત્સવનાં તહેવાર ધ્યાને લઈ તેમજ રોગચાળાની પરિસ્થિતી હોય નગરજનોના આરોગ્યને ધ્યાને રાખી વડોદરા મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાક શાખાનાં ફૂડ...
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાથી બચવા માટે વેક્સિનની વકીલાત કરવા માંડી ત્યારે અમે સવાલ કર્યો હતો કે ‘‘દુનિયાની આખી વસતિને વેક્સિનના બે ડોઝ...
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર બંછાનિધિના જણાવ્યા પ્રમાણે સ્વચ્છ ભારત સર્વેક્ષણ હેઠળ કેન્દ્ર સરકારે દેશના ફાઇવ સ્ટાર સીટીનું એનાલીસિસ કરી રેન્કિંગ જાહેર કર્યા...
આપણે સૌ પ્રભુનાં સંતાનો છીએ. જગતના કર્તાહર્તાને ખબર જ છે કયે સમયે કોને શું આપવું? છતાં દરરોજ મંદિરે જતાં દર્શનાર્થીઓ પ્રભુ પાસે...
આપણા સમજામાં બાળકો માટે અનાથાશ્રમ છે. ઘરડા માટે ઘરડાઘર છે પણ મધ્યમ વયના યુવકો/પુખ્ત કે કહો તેમને માટે કોઇ જ વ્યવસ્થા નથી....
૧૯૩૧ ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ૧,૫૫,૫૧૫ બ્રિટિશરો હતા, જેમાં ૧,૧૦,૧૩૭ પુરુષો અને ૪૫૪૧૮ મહિલાઓ હતી, ૧૯૦૧ માં ૧,૧૨,૬૮૭ બ્રિટિશ પુરુષો અને...
આ જ નામથી પહેલાં સુરતમાં સિનેમા રોડની ઓળખાણ હતી.આજે મલ્ટિપ્લેક્સ અને અત્યંત આધુનિક સગવડ ધરાવતાં થિયેટર શહેરમાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ હું...
સુરત શહેરમાં ‘ટ્રાફિક સીગ્નલ’ ચાર રસ્તા પાસે, ભિખારીનાં નાના નાના છોકરાં/છોકરી, નાના બાળકને હાથમાં લઇને ફરતી મહિલા અને ભીખ માટે અાજીજી કરે...
‘દરેક બાળકની પહેલી શિક્ષક તેની માતા હોય છે’ અને ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે’ …આ થીમ ઉપર શાળામાં એક અનોખી ઇવેન્ટ...
ગુજરાત પર મેઘરાજા ભલે મોડે મોડે વરસ્યા પણ સરકાર અને સત્તાધારી પાર્ટીએ સમયસર વરસવાનું ચાલુ કરી દીધું છે. 2022 ની સાલમાં ગુજરાત...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
શુક્રવારે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચમી ટેસ્ટ મેચ રદ થયા બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ એક મોટો આંચકાજનક નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓએ IPL -14ની બાકી રહેલી મેચોમાં રમવાની ના પાડી દીધી છે. જોની બેયરસ્ટો, ડેવિડ મલાન અને ક્રિસ વોક્સ દુબઈમાં તા. 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી મેચોમાં ભાગ નહીં લેશે. આ ખેલાડીઓએ પોતાની ફ્રેન્ચાઈઝીઓને આ અંગે જાણ કરી દીધી છે. ટુર્નામેન્ટના બાકી બચેલા મેચો માટે તેઓ ઉપલ્બ્ધ રહેશે નહીં.
આગામી દિવસોમાં ઈંગ્લેન્ડ મેન્સ ક્રિકેટના અતિવ્યસ્ત કાર્યક્રમના લીધે આ ત્રણેય ખેલાડીઓએ IPLમાં રમવાનો ઈનકાર કર્યો હોવાની ચર્ચા છે. નોંધનીય છે કે IPL-14 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તે 15 ઓક્ટોબરના રોજ પૂરી થશે. તેના બે જ દિવસ બાદ તા. 17 ઓક્ટોબરથી T-20 વર્લ્ડકપ શરૂ થશે. ત્યાર બાદ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશેઝ સિરીઝ શરૂ થવાની છે. ઈંગ્લેન્ડનો ખેલાડી જોની બેયરસ્ટો સનરાઈઝર્સ હૈદરાબાદ, ડેવિડ મલાન પંજાબ કિંગ્સ અને ક્રિસ વોક્સ દિલ્હી કેપિટલ્સ માટે IPLમાં રમે છે. આ અગાઉ ઈંગ્લેન્ડનો ઝડપી બોલર જોફ્રા આર્ચર અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ માનસિક સ્વાસ્થ્યનું કારણ આપી IPL ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદનો પ્રમુખ બેટ્સમેન બેયરસ્ટો નહીં રમે તો ટીમને ખૂબ મોટો ફટકો પડશે. કારણ કે બેયરસ્ટો ટીમનો ઓપનર છે. બેયરસ્ટોએ ટીમને ઘણી વખત ડેવીડ વોર્નર સાથે મળીને ઝડપી શરૂઆત અપાવી છે. બેયરસ્ટો 2019થી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો હિસ્સો છે.
આ તરફ પંજાબ કિંગ્સ દ્વારા ડેવિડ મલાનનું રિપ્લેસમેન્ટ શોધી લેવાયું છે. આજે ટીમે સાઉથ આફ્રિકાના બેટ્સમેન એડમ માર્કોમને ટીમમાં સામેલ કર્યો હોવાની જાહેરાત કરી છે. ફ્રેન્ચાઈઝીએ ટ્વીટરના માધ્યમથી આ માહિતી આપી છે. આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે પાંચમી ટેસ્ટ મેચ રદ થવાના લીધે ઈંગ્લેન્ડના ખેલાડીઓ નારાજ છે. ભારતીય ટીમ તથા સપોર્ટ સ્ટાફમાં કોરોનાના લીધે મેચ રદ થઈ હોય ઈંગ્લેન્ડના ખેલાડીઓ રોષે ભરાયા છે. તેથી જ તેઓ IPL 14ના બાકી બચેલી મેચોમાં ભાગ લેવા નહીં માંગતા હોવાની પણ ચર્ચા ઉઠી છે.
દુબઈમાં 6 દિવસ ક્વોરેન્ટીન રહેવું પડશે
ઈંગ્લેન્ડ અને ભારતના ખેલાડીઓ IPLમાં ભાગ લેવા માટે ચાર્ટર્ડ વિમાનમાં બબલ ટુ બબલ ટ્રાન્સફર દુબઈ થવા માંડ્યા છે. ભારતીય ટીમમાં કોરોનાના કેસો નોંધાતા બંને દેશના ખેલાડીઓને ઈંગ્લેન્ડથી દુબઈ લઈ જવા માટે ફ્રેન્ચાઈઝીઓએ સ્પેશ્યિલ વિમાની સેવાની વ્યવસ્થા કરવી પડી છે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું છે કે ઈંગ્લેન્ડમાં રમતા કેટલાંક ખેલાડીઓ 19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થતી IPLમાં ભાગ નહીં લઈ શકશે. કારણ કે દુબઈ પહોંચી ખેલાડીઓએ 6 દિવસ માટે કોરોન્ટીન થવું પડશે. બેયરસ્ટો અને મલાન IPLમાં ભાગ નહીં લે તે પાછળ આ પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે. છેલ્લાં કેટલાંય સમયથી સતત બબલ ટુ બબલ કોરોન્ટીનના નિયમોના લીધે ખેલાડીઓ હેરાન થઈ ગયા છે. ખેલાડીઓને તેમના પરિવારને મળવાની પણ મંજૂરી મળતી નથી. આવતા મહિને ટી-20 વર્લ્ડકપ રમાવાનો હોય હાલ અનેક ખેલાડીઓ પરિવાર સાથે સમય વીતાવવા માંગે છે.