Comments

જળ વ્યવસ્થાપનને ઉદ્યોગનો દરજ્જો આપીએ

૧૯૬૦ના દાયકાથી શરૂ થયેલ હરિયાળી ક્રાન્તિના કારણે ખેતીના મુખ્ય પાકોની ઉત્પાદકતામાં ૨૬થી ૩૦ ટકાનો વધારો થયો છે. ગુજરાત જેવા વ્યાપારી રાજ્યમાં પણ ૭૦% લોકો ખેતીપર આધાર રાખી આર્થિક વિકાસ સાધી શકે છે. નર્મદા અને અનુષંગિક જળ સંગ્રહ પ્રચલિત થતાં રાજ્યની કુલ જમીનમાં ૩૨.૭% અર્થાત ૩૬.૫૪ લાખ હેકટર જમીનમાં પિયતનો લાભ મળે છે. આઝાદ ભારતમાં આ બદલાવ હરિયાળી ક્રાન્તિએ આપેલ સુધારેલાં બીજ, ખાતર, ખેતીની દવાઓ અને કૃષિ ઉદ્યોગ પ્રત્યેના સંકલિત અભિગમને આભારી છે.

પરંતુ હરિત ક્રાન્તિનું શસ્ત્ર ૭૫ વર્ષ બાદ હવે વસ્તીના વધારાની વ્યાપક માંગને પહોંચી વળે તેવું ધારદાર રહ્યું નથી. ત્યારે કૃષિ ઉત્પાદનમાં હજુ વધારો કરવા માટે રાસાયણિક ખાતરો સાથે જૈવિક ખાતરનો સુમેળ, પરંપરાગત બિયારણના બંધારણમાં ફેરફાર કરી તેને વધુ ઉત્પાદક બનાવવા સાથે કૃષિ ઑજારો અને સિંચાઈના પ્રમાણસર ઉપયોગની પદ્ધતિ દાખલ કરવી પડશે. હરિયાળી ક્રાન્તિના કેન્દ્રસ્થાન એવાં ખેડુત, જમીન, પાક, પાણી અને રાસાયણિક ખાતર- દવાને બીજા તબક્કામાં પહોચાડવા કૃષિ અને કૃષિ ઉત્પાદનને સમગ્રતાથી જોવું પડશે. પાણી, કૃષિ ઉત્પાદનનું અગત્યનું અંગ છે. પિયત બીજાં બધાં પરિણામોની તુલનામાં પાક ઉત્પાદનમાં ૩૭% જેટલો સહયોગ આપે છે.

પરંતુ પિયતનું પાણી ખૂટતું જાય છે. વાસ્તવિકતા તો એ છે કે ગુજરાતમાં આજે પણ ૫૭% કૃષિ આકાશી મહેર ઉપર નભે છે. અનિયમિત અને ઓછો વરસાદ ખેડૂતની તમામ આશાઓ અરમાનોને ભોંય ભેગી કરી દે છે. આ સ્થિતિમાં ગુજરાતના જે વિસ્તારમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ બની શકે તેમ નથી ત્યાં વરસાદી પાણીના ઉપયોગ માટે જળસ્રાવ વિકાસ અભિગમને વધુ અસરકારક બનાવવો જોઈએ. ખેત-તલાવડી અને ગ્રામ્ય તળાવ યોજનાને ઉત્તેજન આપવું જોઈએ. જમીનમાં ભેજસંરક્ષણ માટે ઊભા પાકોમાં મલ્ટિંગ ટેકનોલોજી વિકસાવી શકાય તો પાકમાં નીંદણ ઘટે, જમીનમાં ભેજ વધે અનિયમિત વરસાદી હવામાનને અનુકૂળ પાકોનું પૂરક આયોજન થઈ શકે. સાથોસાથભૂગર્ભ જળસંચય માટે, કૂવા, બોરવેલ રીચાર્જ, નાળાં, વોકળા પર આડબંધ, કન્ટુર બંડિગ, ખેત તલાવડી વગેરે દ્વારા વરસાદના પાણીને વહી જતું અટકાવવા સંકલિત કામગરીને પ્રાધાન્ય આપવું જરૂરી બને છે.

ઇઝરાયલની હાલ એન્જિનિયરિગનામની કંપનીએ ગુજરાતના જળ-વ્યવસ્થાપનની વર્તમાન અને ભાવિ જરૂરિયાતોને લક્ષમાં રાખી પોતાના એક એહવાલમાં જણાવ્યું છે કેઃ-૧. સરદાર સરોવર પ્રોજેકટની નર્મદા કૅનાલનું બાકી કાર્ય ત્વરાથી પૂર્ણ કરવું જેથી પાણીની જરૂરિયાતવાળા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમાં પાણી પહોંચે. ૨. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જ્યાં નહેરનો લાભ નથી મળવાનો ત્યાં નાની કૈનાલોને મુખ્ય નહેર સાથે જોડી દેજેથી ચોમાસામાં નર્મદામાં આવતા વધારાના પાણીના જથ્થાનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે. ૩. વરસાદી પાણીના રીચાર્જ માટે વૈજ્ઞાનિક અભિગમથી તૈયાર કરેલ કૂવાઓની ડિઝાઇન પ્રચલિત કરવી.

૪. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા બનાસકાંઠા તેમજ મધ્ય સૌરાષ્ટ્રના પ્રદેશોમાં જ્યાં પાણીનાં તળ ઊંડાં ગયાં છે અને નદીના પટ સૂકા થયા છે, ત્યાં સૂકી નદીના પટમાં રિચાર્જ કૂવા કરવા જેથી ચોમાસાનું પાણી નદીના પૂરમાં વહી જતું અટકે જમીનમાં ઊત••અ॰ માટીના ક્ષારો ધોવાય. ઉપરાંત આ કૂવાઓના પાણી ઉનાળા દરમિયાન સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકાય. ૫. પથરાળ જમીનવાળા પ્રદેશો એવા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ્યાં ઊંડા કૂવા કરવા શકય નથી, ત્યાં પણ નદી આસપાસ તળાવો ખોદી વહી જતા પાણીને જમીનમાં ઉતારવું જોઈએ. રાજ્ય સરકારે તમામ ગ્રામ પંચાયતોને પોતાની સીમ હદમાં રહેલ જળ સંગ્રહ માટેની સાઇટ નક॰ પે આપવી જોઈએ.

 ગુજરાત રાજ્યમાં ભૂગર્ભજળનો ઉપયોગ ૬૮ ટકા છે, જ્યારે જમીન પરનાં તળાવ અને નદીઓ-નહેરનાં પાણીનો ઉપયોગ ૩૨ ટકા થાય છે. પરિણામે નદીનાં પાણી દરિયામાં વહી જાય છે અને ભરાઈ રહેલા તળાવનાં પાણી બાષ્પીભવનથી ખાલી થઈ જાય છે. એકંદરે ગુજરાતમાં ભૂગર્ભ જળનો વપરાશ વધારે છે. આથી તળાવ, નદી, ખેત તલાવડી ઉપયોગમાં લેવાનો અભિગમ પ્રચલિત કરવો જરૂરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં ભૂગર્ભજળના અનિયંત્રિત વપરાશથી દરિયાનાં પાણી મીઠા જળના સ્રોતોમાં પ્રવેશ્યાં છે અને પાણી ખારાં થયાં છે, ત્યાં રિવર્સ ઓસ્મોસીસ જેવી ટેકનોલોજી અપનાવવાથી ખારું પાણી મીઠું થઈ શકે છે. દરિયાકાઠાંના વિસ્તારોના કૂવા વરસાદી પાણીથી રીચાર્જ કરવાથી દરિયાનું પાણી કૂવામાં પ્રવેશતું અટકશે ઇઝરાયલના કૃષિ ઇજનેરો જણાવે છે કે ઃ

જળસ્રોત વ્યવસ્થાપન રાજ્ય સરકારોનો વિષય હોઈ, ગુજરાતમાં પિયત વ્યવસ્થામાં ખેડૂતોની ભાગીદારી સુસ્પષ્ટ કરવી જરૂરી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખેડૂતોની જળ-વ્યવસ્થાપનમાં સક્રિયતા વધારવી. સિંચાઈ અને કૃષિ વિભાગ એક જ વહીવટ હેઠળ લાવવા અથવા તો સરકાર કક્ષાએ જરૂરી સંકલન કરવું. જ્ગ્યાક સંરક્ષણ માટે વૈજ્ઞાનિક અભિગમ ખૂબ મહત્ત્વનો છે. ખેડૂત રોગ અને જીવાંત વિશેની વૈજ્ઞાનિક માહિતીના અભાવે દવાના વેપારીઓની ભલામણ પ્રમાણે દવાઓ છાંટતો હોય છે, પરિણામે ખેતીને લાભ મળતો નથી, આવા સંજોગોમાં, કૃષિ યુનિવર્સિટી, રાજ્યનું ખેતીવાડી ખાતું અને વિસ્તરણ શિક્ષણ વિભાગે શિબિરો યોજી ખેતીમાં મદદ કરતા કીટકોના વષયે ખેડૂતોને પ્રશિક્ષિત કરવા જોઈએ, જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ, દવાની માત્રા અંગે માહિતી આપી ખેતીનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થવું જોઈએ.”

ગુજરાતમાં ૬૬ ટકા વિસ્તારમાં કૂવાનાં પાણી મહદંશે ભાંભળાં (ખારાં) અને જરૂરિયાત કરતાં ઓછાં છે. તેના કારણે લાખો હેકટર જમીન તરસી રહે છે, પરંતુ ભૂજળનો કાળજીપૂર્વક ઉપયોગ કરાય, તો જમીનને ખરાબ અસર પહોંચાડયા સિવાય વધારાનું ખેત ઉત્પાદન મેળવવાની શકયતા છે. પાણીનો ઉપયોગ કરતી વખતે ખેડૂતો પાસે પાણી, જમીન અને પાકની માવજત તથા પિયત પદ્ધતિની જાણકારી હોવી આવશ્યક છે. પાણીમાં કેવા પ્રકારના અને કેટલા પ્રમાણમાં ક્ષાર છે તેની માહિતીથી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે. ચોમાસામાં વરસાદના કે નદી, ઝરણાંના પાણીને કૂવામાં ફિલ્ટર પદ્ધતિથી જમીનમાં ઉતારી ભૂજળનો જથ્થો વધારવાથી કૂવાના પાણીની ગુણવત્તા સુધરે છે. કૂવાના પાણીમાં સોડિયમ ક્ષારોનું પ્રમાણ વધારે હોય, ત્યારે પાણીને જિપ્સમનાં થરોમાંથી પસાર કરવાથી પાણીની પી.એચ ઘટાડી શકાય છે.

દેĐતંત્રતા મળી ત્યારે આપણે અન્નક્ષેત્રે પરાવલંબી હતા. દુષ્કાળ, અને અતિવૃષ્ટિમાં અન્નનો પુરવઠો મેળવવા ઘણી મુશ્કેલી પડતી હતી, તેમજ વિશ્વના બીજા દેશો પર આધાર રાખવો પડતો હતો. પરંતુ હરિયાળી ક્રાન્તિ ઝુંબેશ વડે આપણે સ્વાવલંબી બન્યા છીએ એટલું જ નહીં, અનાજની નિકાસ પણ કરતા થયા છીએ અને આવતાં દસ વર્ષમાં તો ગુજરાત વોટર ગ્રીડ થકી વર્ષે ૧૪૦૦૦ કરોડનું ખેત ઉત્પાદન કરી હરણફાળ ભરશે. પરંતુ આ માટે હરિયાળી ક્રાન્તિ પછીના સંકલિત કૃષિ વ્યવસ્થાપનના માર્ગે વળવું પડશે. અને આ ઍજન્ડાના અગ્રભાગે જળ વ્યવસ્થાપન યોજવું પડશે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top