એક માજી ધીમે ધીમે ચાલીને જઈ રહ્યાં હતાં અને સતત જમીન પર જોઇને નીચે કંઈ શોધી રહ્યાં હતાં.ત્રણથી ચાર વાર માજીએ આમથી...
નવી દિલ્હી: મેટા (Meta) કંપનીએ (Company) મોટો દાવો કરી યુઝર્સેને (Users) સાવધાન રહેવા જણાવ્યું છે. ફેસબુક (Facebook), ઈન્સ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપની (WhatsApp)...
તાજેતરમાં અમેરિકાની પાકિસ્તાન સાથેની એફ-૧૬ સમજૂતીને લઈને ભારતીય વિદેશમંત્રીએ અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો પર સવાલો ઉઠાવ્યા છે. અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો વિશે...
કેળવણીકાર અને ઇતિહાસકાર એન્સન ડી. મોર્સના કહેવા મુજબ રાજકીય પક્ષ ખાસ કરીને પોતે જે જૂથ કે જૂથોનું પ્રતિનિધિત્વ કરે છે તેના આદર્શોને...
સુરત(Surat): દિલ્હીનાં આમ આદમી પાર્ટી(AAP)ના મુખ્યમંત્રી(CM) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને મંત્રી રાજેન્દ્ર પાલ(Rajendra Pal)નાં ધર્મ અંગે વિવાદાસ્પદ વિડીયો વાયલર થયો હતો. ત્યારબાદ...
સુરત: આજે સવારે 11.15 કલાકે સુરત શહેરમાં વીજળીના જોરદાર આંચકાએ સુરતીઓને ધ્રુજાવી દીધા હતા. વીજળીનો અવાજ એટલો પ્રચંડ હતો કે ચોકબજારથી લઈ...
મોંઘવારી ક્યાં જઈને અટકશે?? છેલ્લા કેટલાક સમયથી ભારત દેશમાં ભારે મોંઘવારીનો માહોલ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ મોંઘવારીને કાબુમાં કરવા માટે રિઝર્વ...
વડોદરા: આજે વડોદરા શહેર ભાજપા કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના કેબીનેટ મંત્રી રાજેન્દ્રપાલ દ્વારા હિન્દુઓના દેવી...
વડોદરા: અમિતનગર સર્કલ પાસે ઉભેલા અમદાવાદના કારના ચાલકને માથાભારે ભરવાડોએ લાકડીઓથી માર માર્યો હતો. ગાડીઓમાં બાઇક પર લાકડીઓ સાથે ધસી આવેલા ભરવાડ...
કરજણ: કરજણના કલા ગામે મુસ્લિમ પરિવાર અને પાટણવાડીયા પરિવાર વચ્ચે ખેતરમાં પાણી આપવા બાબતે ઝઘડો થયો હતો. જેને મુસ્લિમ પરિવારના ચાર ઈસમો...
વડોદરા: હાલ ચોમાસાની સીઝન વિદાય નાં આરે છે ત્યારે શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સાંજે શહેરમાં મુશળધાર વરસાદ...
વડોદરા: ચોમાસાની ઋતુ વિદાયના આરે આવી છે ત્યારે શુક્રવારનાં રોજ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શુક્રવારનાં સાંજ પડતાં જ શહેરમાં મુશળધાર...
વડોદરા: માંજલપુરના 19 વર્ષીય દક્ષ પટેલને તેના મિત્ર પાર્થે તિક્ષ્ણ હથિયારના પેટ તથા છાતીમાં ઉપરા છાપરી ઘા ઝિંકીને મોતના ઘાટ ઉતારી દેવામાં...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) નવરાત્રિ (Navratri) બાદ વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ચોમાસા (Monsoon) જેવા વરસાદ પડી રહ્યો...
ગરબાડા: ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારો ની અંદર લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતુ, ત્યારે લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ...
હોંગકોંગ: હોંગકોંગમાં (HongKong) એક દુર્લભ હીરાની હરાજી કરવામાં આવી છે. આ હીરો રેકોર્ડ કિંમતમાં વેચાયો છે. તેની વેચાણ કિંમતે અત્યાર સુધીના તમામ...
કાલોલ: કાલોલ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા નવરાત્રી બાદ ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે...
નડિયાદ: ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં આગામી તારીખ ૯ મી ઓક્ટોબરને રવિવારના રોજ આસો સુદ પૂનમ નિમિત્તે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે....
નડિયાદ: આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં સમયસર વરસાદના પગલે ચોમાસુ પાક સારો ઉતરવાની આશા બંધાઇ હતી. પરંતુ દશેરાના બીજા દિવસથી પાછોતરા વરસાદના...
વિરપુર : વિરપુર તાલુકામાં ચોમાસુ પુરૂ થવા આવ્યું છતાં સિંચાઇ અને પીવાના પાણીના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. જેના પગલે રોષે ભરાયેલા તાલુકાના...
કચ્છ: કચ્છમાં (Kutch) ભારતીય દરિયાઈ સીમા (Sea Border) પાસેથી ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન (Operation) હાથ...
નવી દિલ્હી: ભારતીય ટપાલ વિભાગમાં (India Post Department) નોકરી (Job) મેળવવાની મોટી તક છે. અહીં વિવિધ ક્ષેત્રમાં ભરતી માટે 8 પાસ ઉમેદવારો...
નાસિક: શનિવારની સવારે મહારાષ્ટ્રના નાસિકમાંથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીંના નાસિક ઓરંગાબાદ રોડ પરથી પસાર થતી એક બસમાં આગ લાગી હતી. આગ...
નવી દિલ્હી: સૌરવ ગાંગુલીને (Saurav Ganguly) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, પૂર્વ...
સુરત: સુરત મહાનગરપાલિકાના (SMC) કમિશનર પદેથી (Commissioner) બંછાનિધિ પાનીની (Banchanadihi Pani) બદલી વડોદરા મહાનગરપાલિકા કમિશનર તરીકે થઇ છે. શુક્રવારે તેમની જગ્યાએ નવા...
સુરત : ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCC) તથા સઘર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી...
સુરત: સુરત શહેરનો પોતીકો તહેવાર ચંદની પડવો નજીક આવી રહ્યો છે ત્યારે સુરત (Surat) મનપાનું (Smc) ફુડ વિભાગ સતર્ક થયું છે. છેલ્લા...
સુરત : વેસ્ટર્ન રેલવેના (Western Railway) દહાણુ રોડ (Dahanu Road) રેલવે સ્ટેશને સિગ્નલ ગિયરને (Signal Gear) બદલવા માટે શનિવારે ઇલેક્ટ્રોનિક (Electronic) ઇંટરલોકિંગ...
સુરત : પાંડેસરા (Pandesara) પોલીસની(Police) દાદાગીરીની વધુ એક ફરિયાદ પોલીસ કમિશનરને (Police Commissioner) કરવામાં આવી છે. દારૂના કેસમાં પોલીસે યુવકની પાસેથી રૂા.50...
સુરત : પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે પહોંચી જઇ ક્રાઇમ બ્રાંચની (Crime Branch) ખોટી ઓળખ આપનાર મહિલા સહિતની ત્રિપુટીએ ડ્રગ્સના (Drugs)...
પૂરની તારાજી બાદ મ્યુનિનું તંત્ર જાગ્યું, દબાણકારોની યાદી તૈયાર કરી,
વડોદરા: શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી પૂરના કારણે લોકોની માલ-મિલકતોને ભારે નુકશાન થયું હતું. તેમજ રોડ પર ભરાયેલા પાણી ઉતરવામાં ખૂબ સમય લાગ્યો હતો. અને તે માટે વિશ્વામિત્રી નદી કાંઠે તેમજ કાંસમાં થયેલા દબાણો જવાબદાર હોવાની ચર્ચા ઊઠી હતી. આથી મ્યુનિ,કોર્પોરેશન દ્વારા નદીકાંઠા વિસ્તારના દબાણોનો સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં આશરે 150 જેટલા ગેરકાયદે દબાણો થયાનો રિપોર્ટ મળતા હવે તમામ દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી રહી છે અને ત્યારબાદ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જોકે, સોમવારે જ કેટલાક દબાણકારોએ જાતે જ પોતાના દબાણો હટાવવા માંડ્યા હતા.
વડોદરા શહેરમાં વિશ્વામિત્રીની નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. પૂર માટે જવાબદાર એવા વગદાર નેતાઓ તેમજ માલેતુજારોના વિશ્વામિત્રી નદી અને કાંસની ઉપર અને આસપાસ થયેલાં દબાણો હટાવવા માટે ઉગ્ર માગ ઊઠી છે. ત્યારે હવે મ્યુનિ.કોર્પોરેશને પણ દબાણો સામે કાર્યવાહીનું મન બનાવ્યું છે. સર્વે આધારે દબાણોની યાદી તૈયાર કરવા સાથે નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે શહેરીજનોને કરોડોનું નુકસાન પહોંચ્યું છે. વિશ્વામિત્રીમાં આવેલું પૂર નદી અને કાંસની આસપાસ ઊભાં કરાયેલાં ગેરકાયદેસર દબાણોના કારણે જ આવ્યું હોવાનું લોકો પણ માની રહ્યા છે. ત્યારે પાલિકા પર આ દબાણોને દૂર કરવા દબાણ ઊભું થયું છે. માપણીના રિપોર્ટના આધારે મ્યુનિની ટીમોએ દબાણોનો અભ્યાસ કરીને તેની યાદી બનાવી હતી. ચૂંટાયેલી પાંખ સાથે ચર્ચા-વિચારણા કરીને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં જ શહેર ભાજપ પ્રમુખે વિશ્વામિત્રી નદી અને કાંસ પર ઊભાં કરાયેલાં દબાણો પર કડક હાથે કાર્યવાહી કરવા અંગેનું નિવેદન આપ્યું હતું.
વડોદરા પાલિકાના કમિશનર દિલીપ રાણા પર ગાંધીનગરના દબાણથી વિશ્વામિત્રી આસપાસના દબાણને નોટિસ
વડોદરામાં આવેલા વિનાશક પૂરૂ બાદ પ્રજાના ભારે રોષ જોવા મળ્યો હતો. નગરસેવક કે ધારાસભ્ય પણ પોતાના વિસ્તારમાં જઈ શકતા ન હતા. જેના કારણે વડોદરા રાજકારણમાં ભારે ગરમાટો જોવા મળ્યો હતો. પુરનું મુખ્ય કારણ વિશ્વામિત્રી નદી પર પર ગેરકાયદેસર દબાણો અને કાંસો પણ દબાણો ગણાય છે. ત્યારે મુખ્યમંત્રીનું વડોદરા કોર્પોરેશન કમિશનર દિલીપ રાણાને ગાંધીનગરનું તેડું આવ્યું હતું .જે બાદ આજ રોજ વિશ્વામિત્રી ફરતે અને દબાણ કરેલી તમામ ઇમારતોને કોર્પોરેશન દ્વારા નોટિસો આપવાની શરૂઆત કરી હતી. લગભગ 25 જેટલી ઇમારતોને નોટિસ આપવામાં આવી છે.
આ બાબતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું વડોદરા વિશ્વામિત્રી ફરતે ગેરકાયદેસર અને વિશ્વામિત્રી પર દબાણ કરેલા હોય એવી મિલકતોને નોટિસ આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું હાલ 13 જેટલી ઇમારતોને સર્વે બાદ નોટિસ આપવામાં આવી છે. આ સર્વે ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે પછી જેટલી મિલકતો વિશ્વામિત્રીની આસપાસ દબાણ કરેલ હોય તપાસમાં ખુલ્યું હતું આ તમામ મિલકતોને 72 કલાકની નોટિસ આપવામાં આવી છે. ત્યારબાદ તેઓ તરફથી લેખિતમાં જવાબ આવશે અને પુરાવા મુકવામાં આવશે ત્યારબાદ તંત્ર ચૂંટાયેલી પાંખ સાથે બેસી નક્કી કરશે. એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્રણ દિવસ બાદ અગર કોઈ મિલકતના માલિક જવાબ આપવામાં સમર્થ હશે કોઈ કારણસર જવાબ ન પહોંચાડી શકે એમ હશે તેઓને એકાદ દિવસનો સમય જવાબ આપવા માટે આપવામાં આવશે.
વડોદરામાં આવેલા પુર બાદ ચુંટાયેલી પ્રાર્થના ધારાસભ્યો નગરસેવકો પોતાના વિસ્તારમાં રાહત સામગ્રી માટે જ્યારે ગયા ત્યારે પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું તેવામાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય કેવું રોકડિયાને પણ પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું ત્યારે રોકડિયાએ માંગ કરી હતી કે વિશ્વામિત્રી આસપાસના ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરો . જે કારણથી પૂર આવ્યું અને હાલ અમે અમારા વિસ્તારમાં જઈ પણ શકતા નથી. લોકોની નારાજગી અમારે સહન કરવી પડે છે. તાત્કાલિક ધોરણે તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં અને રૂબરૂમાં વિશ્વામિત્રી આસપાસના દબાણો દૂર કરવા માટે અપીલ કરી હતી. આજરોજ વિશ્વામિત્રી થયેલા દબાણો ઇમારતોને નોટીસ આપવાનો કામ શરૂ કરવા આવ્યું ત્યારે રોકડિયાએ જણાવ્યું હતું જ્યારે વડોદરા શહેર ફરી પૂરની પરિસ્થિતિ ન સર્જાય માટે મેં પ્રયત્ન કર્યો હતો. વિશ્વામિત્રી આસપાસના દબાણો દૂર થાય . આજે એમાં મને સફળતા મળી છે. વધુમાં જણાવ્યું હતું ત્રણ દિવસ એટલે કે 72 કલાકનો સમય હાલ જે તે મિલકતોને આપવામાં આવેલો છે. 72 કલાકમાં જે તે દબાણ કરેલી મિલકત દૂર કરવામાં નહીં આવે તો અમે પોતે બુલ ડઝર લઈ નોટિસ આપેલી ઈમારતોને તોડવા પહોંચી જઈશું. તેઓને વધારે સમય આપવામાં નહીં આવે.
પાલિકા દ્વારા નોટિસ મળતા સ્વૈચ્છિકરીતે દબાણ દૂર કરવાનું શરૂ
વિશ્વામિત્રી આસપાસ ગેરકાયદેસર દબાણો અને ઇમારતોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા મંગળવારે નોટિસ આપવાનો શરૂ કર્યું હતું જેની મદદ ૭૨ કલાક એટલે કે ત્રણ દિવસની નોટિસ આપવામાં આવી હતી નોટિસ મળતાની સાથે જ કેટલીક ઇમારતો ના માલિકો દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. સ્વૈચ્છિક દબાણનો દૂર કરવા માં મેરીલેન્ડ પાર્ટ પ્લોટ ની કેન્ટીન, ગ્લોબલ ડીસ્વકરી સ્કુલ, હરણી તથા વડસર સ્થિત વોટર લીલી ખાતે દબાણો હટાવવાની કામગીરી સ્વેચ્છીક શરૂ કરી દેવામાં આવી છે.